AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીવન મરણના સંકટથી ઉગારશે હનુમાન ચાલીસાની આ ચોપાઈ! જાણો મનશાપૂર્તિ ચોપાઈઓ

આમ તો સંપૂર્ણ હનુમાન ચાલીસા જ અત્યંત ફળદાયી છે. પણ, કહે છે કે જો વિશેષ સમસ્યાઓના સંજોગોમાં હનુમાન ચાલીસાની વિશેષ ચોપાઈઓનું અનુષ્ઠાન કરવામાં આવે તો ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે !

જીવન મરણના સંકટથી ઉગારશે હનુમાન ચાલીસાની આ ચોપાઈ! જાણો મનશાપૂર્તિ ચોપાઈઓ
Lord Hanuman (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:27 AM
Share

હનુમાન ચાલીસા (hanuman chalisa) એટલે એક એવી સ્તુતિ કે જેનાથી કોઈ અજાણ હોઈ જ ન શકે. આ તો પવનસુતની એ સરળ સ્તુતિ છે કે જેનું ઘર-ઘરમાં પઠન થાય છે. હનુમાન ચાલીસાનું તો પઠન માત્ર ફળદાયી મનાય છે. એમાંય, શાસ્ત્રોક્ત નિયમ અનુસાર હનુમાન ચાલીસાના પઠનથી અનેક પ્રકારના લાભની પ્રાપ્તિની માન્યતા છે. પણ, શું તમને એ ખબર છે કે આ જ હનુમાન ચાલીસાની વિવિધ ચોપાઈઓનો એક મંત્રની જેમ જાપ કરવાથી સવિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે છે ?

આમ તો સંપૂર્ણ હનુમાન ચાલીસા જ અત્યંત ફળદાયી છે. પણ કહે છે કે જો વિશેષ સમસ્યાઓના સંજોગોમાં હનુમાન ચાલીસાની વિશેષ ચોપાઈઓનું અનુષ્ઠાન કરવામાં આવે તો ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે! આવો આજે આવી જ કેટલીક ચોપાઈઓ વિશે વાત કરીએ.

અભ્યાસ અર્થે ચોપાઈ

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશ વિકાર ।। જો બાળકોનું મન અભ્યાસમાં ન લાગતું હોય. બાળક વધુ પડતાં ચંચળ હોય તો બાળકોને ઉપરોક્ત ચોપાઈ બોલાવડાવવી જોઈએ.જ્યારે બાળક ભણવા બેસે તે પહેલાં બાળક પાસે  11 વાર આ ચોપાઈનો જાપ કરાવવો જોઈએ અને આ કાર્ય સતત 27 દિવસ સુધી કરાવવાથી ચોક્કસપણે લાભ થવાની માન્યતા છે.

ભય મુક્તિ અર્થે ચોપાઈ

ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે । મનમાં કોઇપણ કારણ વગર સતત ભય સતાવતો હોય તો ઉપરોક્ત પંક્તિનો 27 વાર પાઠ કરવો. તેનાથી કોઇપણ વ્યક્તિના મનમાં રહેલ ભય કાયમ માટે દૂર થાય છે. આ ચોપાઇના નિરંતર જાપ કરતા રહેવાથી વ્યક્તિ નિર્ભય બની જાય છે.

કાર્યસિદ્ધિ અર્થે ચોપાઈ

ભીમ રૂપ ધરિ અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે । માન્યતા અનુસાર આ ચોપાઈનો ઓછામાં ઓછો 13 વાર જાપ કરવાથી કોઇપણ કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલે કે સફળતા મેળવવાની કામના હોય ત્યારે આ ચોપાઈ બોલીને જ કાર્ય માટે નિકળવું જોઇએ.

રોગમુક્તિ અર્થે ચોપાઈ

નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા । ઘરમાં કોઈપણ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય ત્યારે આ ચોપાઈનો જાપ કરવો. ખાસ તો દવા લેવાની હોય તેની પહેલા 7 વાર અવશ્ય તેનો જાપ કરવો. કહે છે કે આ ચોપાઇના જાપથી તો લાંબા સમયની માંદગી પણ દૂર થઈ જાય છે અને ઘર પરિવાર માંદગી રહિત બની જાય છે.

જીવન મરણના સંકટથી મુક્તિ

સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા

જ્યારે પણ વ્યક્તિ પર જીવન મરણને લઈને સંકટ આવે ત્યારે સતત આ પંક્તિનો પાઠ મનમાં જાપ કરતાં રહેવું જોઈએ. કહે છે કે તેનાથી મોટામાં મોટા સંકટ પણ દૂર થઈ જાય છે. આપના જીવનમાં આવનાર દરેક સંકટને ટાળી દે છે આ ચોપાઈનો જાપ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

આ પણ વાંચો : તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">