AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips for Money: ઠન ઠન ગોપાલ થવાનું શું છે કારણ ? આ વાસ્તુ દોષને કારણે ઘરમાં નથી ટકતા પૈસા

Vastu Tips: ચાલો જાણીએ તે વાસ્તુ દોષો વિશે, જે તમારી સંપત્તિ સાથે સંબંધિત છે.

Vastu Tips for Money: ઠન ઠન ગોપાલ થવાનું શું છે કારણ ? આ વાસ્તુ દોષને કારણે ઘરમાં નથી ટકતા પૈસા
શું તમે જાણો છો કે પૈસાની અછતનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:12 AM
Share

Vastu Tips for Money: એવું કહેવાય છે કે જીવનમાં પૈસા કમાવાની કળા પહેલા તેને ખર્ચ કરવાની અને તેને બચાવવાની કળા શીખવી જોઈએ. આપણા જીવનમાં ઘણી વખત એવું બને છે કે આપણે સખત મહેનત કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ પરંતુ પૈસા આપણા ઘરમાં ક્યારેય ટકતા નથી. પર્સ ખૂબ જ ઝડપથી ખાલી થઈ જાય છે. શું તમે જાણો છો કે પૈસાની અછતનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે? હા, ઘરની અંદર આવા ઘણા વાસ્તુ દોષો છે, જેના કારણે ઘરમાં લાખ પ્રયત્નો કરવા છતાં પૈસા ટકતા નથી અને જીવનમાં ગરીબી કાયમ રહે છે. ચાલો જાણીએ તે વાસ્તુ દોષો વિશે, જે તમારી સંપત્તિ સાથે સંબંધિત છે.

1 ઘર બનાવતી વખતે ક્યારેય પૂર્વ દિશામાં ઊંચી દીવાલ ન બાંધવી જોઈએ. આ ઘરની અંદર સૂર્યપ્રકાશના પ્રવેશને અવરોધે છે અને ઘરના લોકોને સંપત્તિ અને સ્વાસ્થ્યનું નુકસાન કરે છે.

2 ઘરના ઉત્તર-પૂર્વ ખૂણાને ક્યારેય ગંદો ન રાખવો જોઈએ, નહીં તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે ધનની દેવીના આશીર્વાદ તમારા પર રહે, તો ઈશાનમાં ભગવાન વિષ્ણુના પગ દબાવતી દેવી લક્ષ્મીનો ફોટો રાખો અને તેમની પૂજા કરો.

3 જે જગ્યાએ ઘરમાં પૈસા રાખવામાં આવે છે તેની નજીક સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુમાં તેને ગંભીર ખામી માનવામાં આવે છે, જેના કારણે ધનની દેવી ગુસ્સે થઈ જાય છે અને ઘર છોડીને જાય છે.

4 જો તમારા ઘરમાં બાથરૂમ અને શૌચાલયના દરવાજા ઘણીવાર ખુલ્લા હોય છે, તો જાણી લો કે તેનાથી ગંભીર વાસ્તુ ખામીઓ સર્જાય છે, જે તમારા પૈસા પર અસર કરે છે.

5 પાણીને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ઘરના કોઈપણ નળ અથવા પાઇપમાંથી પાણી ટપકતું રહેવું ન જોઇએ, નહીં તો તમારા પૈસા ધીમે ધીમે પાણીની જેમ ઘરની બહાર ચાલ્યા જશે.

6 જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા રહે, તો તમારા ઘરમાં કાંટા અથવા દૂધવાળા છોડ રોપવાનું ટાળો. ઝેરી છોડ પણ ઘરની અંદર ન લગાવવા જોઈએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ, લોક માન્યતાઓ અને વાસ્તુના આધારે તૈયાર કરવામાં આવી છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Health Tips: આ જડીબુટ્ટીઓ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે

આ પણ વાંચો: GUJARAT : રાજ્યમાં 12 ઓગષ્ટે રેકોર્ડબ્રેક 6.33 લાખ લોકોને કોરોના રસી અપાઈ, કુલ રસીકરણ 3.85 કરોડ થયું

g clip-path="url(#clip0_868_265)">