AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીપળાના ઝાડ પર ખરેખર કોઈ ભૂત હોય છે? જાણો પીપળા વિશેની બધી ગેરસમજોનું સત્ય!

પીપળાના ઝાડ વિશે અનેક ગેરસમજો ફેલાઈ છે, જેની વાસ્તવિકતા જાણી શકાતી નથી. જ્યારે શાસ્ત્રોમાં પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ગેરસમજો પાછળના તથ્યો જાણો.

પીપળાના ઝાડ પર ખરેખર કોઈ ભૂત હોય છે? જાણો પીપળા વિશેની બધી ગેરસમજોનું સત્ય!
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 02, 2021 | 11:23 PM

પીપળાના ઝાડ વિશે અનેક ગેરસમજો ફેલાઈ છે, જેની વાસ્તવિકતા જાણી શકાતી નથી. જ્યારે શાસ્ત્રોમાં પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ગેરસમજો પાછળના તથ્યો જાણો. એવું કહેવામાં આવે છે કે પીપળાના ઝાડ પર ભૂત છે પણ કોણે જોયું? તો પછી શા માટે આપણે પીપળાની નીચે દીવો પ્રગટાવીએ અને ઝાડને પાણી આપીએ? શું આપણે પીપળા પર રહેતા ભૂતોને ખુશ કરવા આ બધું કરીએ છીએ? આવા ઘણા પ્રશ્નો છે, જે લોકોના મનમાં ક્યારેક ને ક્યારેક ઊભા થાય હશે. ચાલો આજે અમે તમને પીપળાના ઝાડથી સંબંધિત તમામ ગેરસમજો વિશે જણાવીએ.

આ પીપળા પર ભૂત હોવાનું સત્ય છે

પ્રાચીન સમયમાં જ્યારે લાકડાઓ બળતણનો મુખ્ય સ્ત્રોત હતો, ત્યારે લોકો વૃક્ષોને કાપીને બળતણની વ્યવસ્થા કરતા હતા. આવી સ્થિતિમાં તેઓ કોઈપણ વૃક્ષને કાપી નાખતા હતા. પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે, તેથી એવો ડર ઊભો કરવામાં આવ્યો કે પીપળાના ઝાડમાં ભૂતનો વાસ હોવાથી તેને કપવાથી બચાવવામાં મદદરૂપ થતું.

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘરે બેઠા કરે છે લાખોની કમાણી, જાણો સિક્રેટ રીત
સચિનની લાડલી સારા તેંડુલકરને થયો પ્રેમ, કહ્યું- તમે મારું દિલ જીતી લીધું...
17 વર્ષની અભિનેત્રીના પરિવાર વિશે જાણો
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત

ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે પીપળો

આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં બધી વનસ્પતિ દેવી-દેવતાઓ સાથે સંકળાયેલી છે, કારણ કે તેમાં ખૂબ ઉચ્ચ ગુણો છે. પીપળો પણ એક એવું જ વૃક્ષ છે. વાસ્તવિકતા એ છે કે પીપળ વૃક્ષ ખૂબ જ શુભ છે. પીપળએ શ્રીકૃષ્ણનું પ્રિય વૃક્ષ છે. ગીતામાં શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હું ઝાડમાં એક પીપળ છું.

વેદમાં પણ છે પીપળાનો ઉલ્લેખ

વેદોમાં પીપળાને ઉપાસક પણ કહેવામાં આવ્યો છે. તેના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવનો વાસ છે, સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે પીપળાના મૂળમાં વિષ્ણુ, થડમાં કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં શ્રીહરિ અને ફળમાં બધા દેવતાઓ રહેલા છે. શાસ્ત્રોમાં તે દેવી છોડ તરીકે વર્ણવવામાં આવ્યું છે.

તેને ઘરમાં સ્થાપિત કરવાની મંજૂરી કેમ નથી

પીપળાનું ઝાડ ઘરમાં ન લગાવવાનું કહેવામાં આવે છે. પરંતુ હકીકતમાં તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે તેનું આયુષ્ય ખૂબ જ લાંબુ  છે અને તેના મૂળિયા પણ વધતાં રહે છે. ઉપરાંત, તે જમીનમાં ઊંડાણ સુધી તેના મૂળયા ફેલાય છે. જો પીપળો ઘરમાં લગાવવામાં આવે તો તેના મૂળ ધીરે ધીરે ફેલાતા રહેશે અને ઘરની જમીન અને દિવાલો તોડીને બહાર આવી જશે. તેનાથી ઘરને નુકસાન થશે. આ કારણોસર, લોકોને ઘરમાં ઉગાડવાની ના પાડે છે. પરંતુ સત્ય એ છે કે ઘરમાં પીપળાની હાજરીને કારણે, ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં ફેરવાય છે. ઘરમાં પીપળા રાખવું ખૂબ જ શુભ છે. તમે તેને ઘરના કુંડામાં લગાવી શકો છો, જેથી તેની શુભતા પ્રાપ્ત થાય અને ઘરની દિવાલોને નુકસાન ન થાય.

વાસ્તુદોષ માટે ફળદાયી પીપળો

પીપળો એ એક દેવી છોડ છે. આનો ઉપયોગ કરવાથી ઘરની વાસ્તુદોષની ખામી દૂર થાય છે. ઘરે શાંતિ અને સુખ આવે છે. જો તમારા ધાબે અથવા તમારા ઘરની કોઈ દિવાલ પર પીપળાનું ઝાડ ઊગે તો ડરશો નહીં, પીપળાને નુકસાન કર્યા વિના તેને કાઢી નાખો અને તેને કોઈ કુંડામાં કે અન્ય જગ્યાએ રોપી દો. પીપળ વૃક્ષ ભગવાન વિષ્ણુનું જીવંત સ્વરૂપ છે, જે માનવો અને પૂર્વજોનો ઉદ્ધાર રહે છે. પીપળના ઝાડ નીચે કરવામાં આવેલો જાપ, તપ, યજ્ઞ, ધાર્મિક વિધિઓ ખૂબ શુભ માનવામાં આવે છે અને ફળપ્રાપ્તિ રૂપ છે.

એટલા માટે જ પીપળા પર પાણી ચઢાવવામાં આવે છે

જ્યોતિષ શાસ્ત્રમાં પણ પીપળના ઝાડનો ખૂબ મહિમા છે. શનિને લગતી સમસ્યાઓ માટે પીપળાના ઝાડ વાવવા, પાણી આપવું વગેરેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. પીપળમાં રાત્રે ખાસ પ્રકારની ક્રિયા કરવાની લાક્ષણિકતા છે, જેના કારણે પીપળ પણ રાત્રે ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જ્યારે અન્ય વૃક્ષો ઉત્પન્ન કરતાં નથી. પીપળના મૂળમાં જેટલું પાણી આપવામાં આવે છે, તે વધુ ઓક્સિજન ઉત્સર્જન કરશે. આ જ કારણ છે કે પીપળાને પાણી અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Oxford Hindi Word: ઓક્સફર્ડ લેન્ગવેજીસે ‘આત્મનિર્ભરતા’ શબ્દને જાહેર કર્યો વર્ડ ઓફ ધ યર 2020

g clip-path="url(#clip0_868_265)">