AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેદારનાથને 230 કિલો સોનાનો ચઢાવો, મુંબઈના એક વેપારીએ દિવાલો પર સોનાની પ્લેટ મઢાવી

કેદારનાથ મંદિરના ગર્ભગૃહની આસપાસની દીવાલો પર સુવર્ણ પ્લેટ મઢાવવામાં આવી છે. આ માટે મુંબઈના એક વેપારીએ 230 કિલો સોનાનો ચઢવો ભગવાનને અર્પણ કર્યો છે. અગાઉ કેદારનાથ ધામના ગર્ભગૃહની આ દિવાલ ચાંદીની બનેલી હતી. પરંતુ હવે અહીં સોનાનો ઢોળ ચઢશે.

કેદારનાથને 230 કિલો સોનાનો ચઢાવો, મુંબઈના એક વેપારીએ દિવાલો પર સોનાની પ્લેટ મઢાવી
Kedarnath temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 5:24 PM
Share

ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ શ્રી કેદારનાથ મંદિર (Kedarnath Temple) ના ગર્ભગૃહની અંદરની દિવાલ હવે સોનાની બનશે. દિવાળીના શુભ મુહૂર્તમાં કેદારનાથના ગર્ભગૃહની દીવાલ સોનાની (GOLD) બનાવ્યા બાદ તે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે.આ દિવાલ સોનાની બનાવવા માટે મુંબઈ (Mumbai) ના એક વેપારીએ લગભગ 230 કિલો સોનું દાનમાં આપ્યું છે. અગાઉ કેદારનાથ ધામના ગર્ભગૃહની આ દિવાલ ચાંદીની બનેલી હતી. પરંતુ હવે અહીં સોનાનો ઢોળ ચઢશે. શંખ, ત્રિશુલ, ડમરુ જેવા ચિહ્નો, જે ભગવાન શંકરના પ્રતિક છે, આ સોનાની પ્લેટ પર કોતરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સોનાની આ પ્લેટ પર જય બાબા કેદાર, હર હર મહાદેવ પણ લખવામાં આવ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં બનેલી આ દિવાલ 230 કિલો સોનાથી બનેલી છે. આ સોનું મુંબઈના એક બિઝનેસમેને દાનમાં આપ્યું છે.

ગર્ભગૃહમાં ચાંદીની દીવાલ હટાવીને સોનાની દીવાલ તૈયાર કરાવી

230 કિલો સોનું દાનમાં આપનાર વેપારીએ જણાવ્યું કે ચાંદીની દીવાલ જોયા બાદ તેને વારંવાર વિચાર આવતો હતો કે ભગવાનના ગર્ભગૃહની દીવાલ સોનાની કેમ ન બને. ત્યારબાદ કરોડો રૂપિયા ખર્ચીને આ સોનાની દિવાલ તૈયાર કરવામાં આવી હતી. આ પછી, દિવાળીના શુભ મુહૂર્ત પર, તેને સોનાની પ્લેટ દિવાલ પર સ્થાપિત કરવામાં આવી હતી.

સ્થાનિક પૂજારીઓ સોનાની દિવાલ બનાવવાનો વિરોધ કરી રહ્યા છે

બદ્રીકેદાર ટેમ્પલ કમિટી અને ઉત્તરાખંડ સરકારે આ સોનાના જડતરના કામ માટે પરવાનગી આપી હતી.પરંતુ સ્થાનિક પૂજારી તેનો વિરોધ કરી રહ્યા હતા.આઘાતની લાગણી અનુભવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો અને ઉપવાસની ચેતવણી આપી હતી. પરંતુ સરકાર અને મંદિર સમિતિએ મંદિરની દિવાલ પર સોનાની પ્લેટ લગાવવા માટે મુંબઈના વેપારીને માત્ર ટેકો જ આપ્યો નથી, પરંતુ તેના માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

આજે સૂર્યગ્રહણ દરમિયાન મંદિરના દરવાજા બંધ રહેશે

જણાવી દઈએ કે આજે સૂર્યગ્રહણના કારણે બાબા કેદારનાથનું મંદિર બંધ રહેશે. આ સિવાય બંદરી-કેદાર મંદિર સમિતિ હેઠળના તમામ મંદિરો બંધ રહેશે. મંદિરના દરવાજા સવારે 4:26 થી સાંજના 5:32 સુધી એટલે કે ગ્રહણના સમયગાળા દરમિયાન બંધ રહેશે.

ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી
સેવન્થ ડે સ્કૂલમાં ફરી મારામારીની ઘટના સામે આવી
g clip-path="url(#clip0_868_265)">