AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse of 2022 : આ તારીખે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, તે દિવસ ન કરો આ કામ

Solar Eclipse of 2022 : સનાતન ધર્મ અનુસાર, ગ્રહણ (Grahan) હોવું અશુભ માનવામાં આવે છે અને તેથી જ આ દિવસે જીવનમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે પૂજા-પાઠ ( Worship tips) કરવાની સલાહ આપવામાં આવે છે. મોટા નુકસાનથી બચવા માટે આ દિવસે કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ.

Solar Eclipse of 2022 : આ તારીખે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, તે દિવસ ન કરો આ કામ
solar-eclipse-2022 (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 2:07 PM
Share

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ (Solar Eclipse 2022) એપ્રિલના અંતમાં થવાનું છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને એક બીજાથી સીધી રેખામાં હોય છે, ત્યારે આ સમય દરમિયાન ગ્રહણ થાય છે. ચંદ્ર (Moon) ના નાના કદને કારણે, સૂર્ય ચમકતી વીંટી જેવો દેખાય છે. સનાતન ધર્મ અનુસાર ગ્રહણ લાગવું અશુભ માનવામાં આવે છે અને એટલા માટે આ દિવસે જીવનમાં સુખ-શાંતિ બનાવી રાખવા માટે પૂજા-પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. આ દિવસે મોટા નુકસાનથી બચવા માટે કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ. આ લેખમાં, અમે તમને આ કાર્યો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ પહેલા તમને જણાવી દઈએ કે એપ્રિલમાં સૂર્યગ્રહણ કઈ તારીખે થવા જઇ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સમય અનુસાર ગ્રહણ 30 એપ્રિલે થશે. તેનો સમય બપોરે 12.15 વાગ્યે શરૂ થશે અને 4:7 વાગ્યા સુધી ચાલુ રહેશે.

નિષ્ણાતો કહે છે કે ભારતમાં તે આંશિક હશે અને આ કારણોસર તેનું સુતક પણ માન્ય રહેશે નહીં. અહેવાલો અનુસાર, જે દેશોમાં ગ્રહણ દેખાઈ શકે છે તેમાં દક્ષિણ અને પશ્ચિમ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને એન્ટાર્કટિકાના નામ સામેલ છે. ભારતમાં ગ્રહણની અસર ઘણી ઓછી જોવા મળે છે, પરંતુ તેમ છતાં કેટલીક વસ્તુઓ કરવાનું ટાળવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો આ કામો વિશે….

આ વસ્તુઓ કરવાનું ટાળો

  1. કહેવાય છે કે ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને આ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે ગૃહપ્રવેશ અથવા અન્ય કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તેનાથી બચવું તમારા માટે સારું રહેશે. આ સમય દરમિયાન શુભ કાર્ય કરવાને બદલે પૂજા કરો.
  2. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ દરમિયાન કોઈ પણ રીતે તીક્ષ્ણ હથિયાર વાળા કામ કરવાથી બચવું જોઈએ. માત્ર ગર્ભવતી મહિલાઓએ જ નહીં, આ દરમિયાન કોઈએ પણ સોયમાં દોરો સ્પર્સ ન કરવો જોઇએ. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન સિલાઈનું કામ કરવું અશુભ છે.
  3. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘણી સાવચેતી રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે તેઓએ કોઈપણ પ્રકારની છરી અથવા તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આના કારણે બાળકને નુકસાન પડી શકે છે.
  4. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગ્રહણ દરમિયાન યાત્રા ન કરવી જોઈએ. આ સમય દરમિયાન યાત્રા કરવી અશુભ છે અને આ ભૂલથી મોટું નુકસાન થઈ શકે છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :કંડલા પોર્ટ પર ફરી હેરોઇન ઝડપાયું, એક કન્ટેનરમાંથી 5 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત

આ પણ વાંચો :અમદાવાદમાં AMCના ડમ્પરે માસૂમનો લીધો જીવ, બાળકની લાશને પોટલામાં ભરવી પડી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">