Solar Eclipse 2022: વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ ભારતમાં વસનારા અને વિદેશમાં વસનારા ભારતીયોને અલગ અલગ અસર કરશે? વાંચો શું કહે છે તજજ્ઞ

|

Apr 26, 2022 | 5:32 PM

વર્ષનું પહેલું ખંડગ્રાસ સૂર્યગ્રહણ (Solar Eclipse 2022) 30 એપ્રિલ 2022 શનિ અમાવસ્યાના રોજ મેષ રાશિ(Aries) અને ભરણી નક્ષત્ર માં ખંડગ્રાસ સૂર્યે ગ્રહણ થશે. જે ભારતીય સમય અનુસાર રાત્રે 12 કલાક 15 મીનીટ 19 સેકન્ડે શરૂ થઈ મોડી રાત્રે 4 કલાક 7 મીનીટ અને 56 સેકન્ડ સુધી રહેશે.

Solar Eclipse 2022: વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ ભારતમાં વસનારા અને વિદેશમાં વસનારા ભારતીયોને અલગ અલગ અસર કરશે? વાંચો શું કહે છે તજજ્ઞ
Solar Eclipse 2022 (Symbolic Image)

Follow us on

Solar Eclipse 2022: વર્ષનું પહેલું ખંડગ્રાસ સૂર્યગ્રહણ (Solar Eclipse 2022) 30 એપ્રિલ 2022 શનિ અમાવસ્યાના રોજ મેષ રાશિ(Aries) અને ભરણી નક્ષત્ર માં ખંડગ્રાસ સૂર્યે ગ્રહણ થશે. જે ભારતીય સમય અનુસાર રાત્રે 12 કલાક 15 મીનીટ 19 સેકન્ડે શરૂ થઈ મોડી રાત્રે 4 કલાક 7 મીનીટ અને 56 સેકન્ડ સુધી રહેશે.  જ્યોતિષી ચેતન પટેલ ના જણાવ્યા અનુસાર આ સૂર્ય ગ્રહણ ભારત(India)માં દેખાવાનું નથી માટે તેની અસર નહિ રહે.

બીજુ શાસ્ત્ર અનુસાર રાત્રે થનારું સૂર્યે ગ્રહણ પણ અસર નથી કરતું તેથી પણ તેનું સૂતક ભારતમાં લાગશે નહીં ભલે ઘણી જગ્યાએ આપણને લખેલું વાંચવા મળે છે કે આ રાશિને શુભ અને આ આ રાશિ ને અશુભ જેમાં કઈ તથ્ય નથી. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આ સૂર્યગ્રહણની ભારતમાં કોઇ પણ રાશિને શુભ કે અશુભ અસર થવાની નથી જેથી કોઇપણ જાતની શંકા થી પીડાવું નહિ

આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જે દક્ષિણ/પશ્ચિમ અમેરિકા, પેસિફિક એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં વિસ્તાર માં દેખાશે. ત્યાં તેની ગાઢ અસર થઈ શકે જે ગ્રહણ સમય થી 40 દિવસ અશુભ અસર થઈ શકે કોઈપણ કુદરતી આફત આવી શકે સાવચેતી રાખવી જોઈએ. શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણની સીધી અસર સમગ્ર જગત પર પડે છે કેમકે તે આપણા જગત નો સૂર્ય જનક છે જ્યાં ગ્રહણ દેખાય ત્યાં , સૂર્યગ્રહણ પહેલાના 12 કલાકથી ગ્રહણ ની અસર શરૂ થઈ જાય છે અને તેની ગાઢ અસર લગભગ 40 દિવસ રહે છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કેવી રીતે સૂર્ય ગ્રહણ થાય

પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે.બીજીબાજુ ચંદ્ર પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે.હવે ચંદ્રમા ફરતો ફરતોસૂર્ય અને પૃથ્વી વચ્ચે આવી જાય ત્યારે તે સૂર્યને થોડા અંશે ઢાંકી દે. આ પરિસ્થિતિમાં સૂર્ય,ચંદ્ર,પૃથ્વી એક લાઇનમાં આવી જાય. જોકે ચંદ્રનું કદ  સૂર્યના કદ કરતાં ઘણું ઘણું નાનું હોવાથી ચંદ્રમા સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી ન શકે.પરિણામે સૂર્યની ગોળ કિનારી જોઇ શકાય જેને વલયાકાર સૂર્ય ગ્રહણ કહેવાય છે.

 

આ પણ વાંચો-Astrology Latest News: 100 વર્ષે શનિવારે સર્જાઈ રહ્યો છે શુભ સંયોગ, શનિ મહારાજને રિઝવવા માટે અજમાવો આ ખાસ ઉપાયો

આ પણ વાંચો- Shani Panoti 2022: આ ત્રણ રાશિ શનિ પનોતીમાંથી મુક્ત અને પાંચ રાશિની પનોતી શરૂ, જાણો શનિ પનોતી છતા કોને લાભ થવાના યોગ

 

Next Article