Bhakti: શાકંભરી અને માતા લક્ષ્મી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવશે આ અત્યંત સરળ અને ફળદાયી મંત્ર

શાકંભરી લક્ષ્મીનો આ મંત્ર એ તો દેવી લક્ષ્મી અને માતા શાકંભરી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવનારો છે. કહે છે કે તેના પ્રભાવને લીધે વ્યક્તિને જીવનમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી વર્તાતી.

Bhakti: શાકંભરી અને માતા લક્ષ્મી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવશે આ અત્યંત સરળ અને ફળદાયી મંત્ર
Shakambhari devi (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 13, 2022 | 6:49 AM

દેવી શાકંભરી (goddess shakambhari) એટલે તો આદ્યશક્તિનું એ સ્વરૂપ કે જેને લીધે જ સૃષ્ટિને અન્ન-જળની પ્રાપ્તિ થઈ. દેવી શાકંભરી જ તો સમસ્ત જગતનું પાલન-પોષણ કરે છે. પણ, શું તમને ખબર છે કે દેવી શાકંભરી તો છે લક્ષ્મી સ્વરૂપા ! અને લક્ષ્મી સ્વરૂપા શાકંભરી તો ભક્તો પર વરસાવે છે વિશેષ કૃપા ! માન્યતા અનુસાર લક્ષ્મી સ્વરૂપા શાકંભરી તો કુબેર સમાન ધનની પ્રાપ્તિ કરાવનારા છે. ત્યારે આવો, આજે તે સંદર્ભે વધુ જાણકારી મેળવીએ.

લૌકિક માન્યતા અનુસાર શાકંભરીનું લક્ષ્મી સ્વરૂપ એ ‘શાકંભરી લક્ષ્મી’ના નામે પૂજાય છે. એમાં પણ ગુરુવારના રોજ થતી શાકંભરી લક્ષ્મીની સાધના વિશેષ ફળદાયી મનાય છે. આવો જાણીએ આ પૂજાથી કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ થાય છે ?

ફળદાયી પૂજન ⦁ આ પૂજાથી દેવી ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલાં રાખે છે. ⦁ વ્યક્તિને સમયસર ગરમ ભોજનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ⦁ દેવી ભક્તને સુખી અને સમૃદ્ધ જીવનના આશીર્વાદ પ્રદાન કરે છે. ⦁ શાકંભરીની કૃપાથી ભક્તમાં અન્નદાનની વૃત્તિ પણ વધે છે !

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

માન્યતા અનુસાર અષ્ટલક્ષ્મીની જેમ શાકંભરી લક્ષ્મી પણ અષ્ટ પ્રકારના ફળની પ્રાપ્તિ કરાવનારા છે. કહે છે કે શાકંભરી લક્ષ્મીના આઠ સ્વરૂપોની સાધનાથી જીવન સફળ થઈ જાય છે. પણ, આપણે તો આજે વાત કરવી છે શાકંભરી ધાન્ય લક્ષ્મીની. કે જેની ઉપાસના વ્યક્તિને ધાન્ય અને ધન બંન્નેથી પરિપૂર્ણ કરે છે.

શાંકભરી લક્ષ્મી પાસેથી ધન-ધાન્યના આશીર્વાદની પ્રાપ્તિ કરાવતો મંત્ર અત્યંત સરળ છે. કહે છે કે ગુરુવારની રાત્રીએ નીચે દર્શાવેલ મંત્રનો 108 વખત જાપ કરવો લાભદાયી બને છે. એમાંય શાકંભરી નવરાત્રીના અવસરે તે વિશેષ લાભદાયી બની રહે છે.

ફળદાયી મંત્ર “ૐ શ્રીં ક્લીં ।”

શાકંભરી લક્ષ્મીનો આ મંત્ર એ તો દેવી લક્ષ્મી અને માતા શાકંભરી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવનારો છે. કે જેના પ્રભાવને લીધે વ્યક્તિને જીવનમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નથી વર્તાતી. માન્યતા અનુસાર ગુલાબી રંગના વસ્ત્ર પહેરી, ગુલાબી આસન પર બિરાજમાન થઈ આ મંત્રજાપ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : દેવી-દેવતાઓની પૂજા કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખો, મળશે પૂજાનું સંપૂર્ણ ફળ

આ પણ વાંચો : શાકંભરી નવરાત્રિનો શા માટે છે વિશેષ મહિમા ? જાણો મા શાકંભરીની કૃપાપ્રાપ્તિની ફળદાયી વિધિ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">