AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2021: શારદીય નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ

આસો માસની નવરાત્રી એ શરદ ઋતુમાં આવતી હોઈ તે શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. ચારેય નવરાત્રીમાં આ નવરાત્રીની એક આગવી જ મહત્તા છે. એટલે જ તેને મહા નવરાત્રી પણ કહે છે. જેમાં ઘટસ્થાપનની વિધિની વિશેષ મહત્તા છે.

Navratri 2021: શારદીય નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ
ઘટસ્થાપનથી જ થશે કલ્યાણની પ્રાપ્તિ !
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 3:20 PM
Share

સમગ્ર વર્ષ દરમિયાન આમ તો કુલ ચાર નવરાત્રી (Navratri) આવતી હોય છે. જેમાં બે સાધનાની નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. આસો માસ અને ચૈત્ર માસની નવરાત્રી એ સાધનાની નવરાત્રી છે. સંસારીઓ અને સાધકો બંન્ને આ નવરાત્રીમાં માની આરાધના કરે છે. જ્યારે ગુપ્ત નવરાત્રીની સાધના મોટાભાગે સંસારીઓ નથી કરતા. આસો માસની નવરાત્રી એ શરદ ઋતુમાં આવતી હોઈ તે શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખાય છે. ચારેય નવરાત્રીમાં આ નવરાત્રીની એક આગવી જ મહત્તા છે. એટલે જ તેને મહા નવરાત્રી પણ કહે છે.

આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ 7 ઓક્ટોબર, 2021ને ગુરુવારના રોજથી થઈ રહ્યો છે. માન્યતા અનુસાર દેવી આ વર્ષે પાલખીમાં સવાર થઈને આવી રહ્યા છે. જે ભક્તો પર વિશેષ કૃપાની વૃષ્ટિ કરશે. આ વખતે બે તિથિ એક જ દિવસે હોઈ નવરાત્રી નવને બદલે આઠ દિવસની રહેશે. 9 ઓક્ટોબર, 2021ના રોજ ત્રીજા અને ચોથા નોરતાની પૂજા કરવાની રહેશે. આ સિવાયની તિથિઓ નીચે મુજબ રહેશે.

મહત્વની તિથિઓ 12/10/2021 – સાતમું નોરતું 13/10/2021 – આઠમું નોરતું (આઠમના ઉપવાસ, નૈવેદ્ય, હવન આ દિવસે કરવા) 14/10/2021 – નવમું નોરતું (નવરાત્રીની સમાપ્તિ થશે) 15/10/2021 – દશેરા

ઘટસ્થાપન મહિમા ઉલ્લેખનિય છે કે આ વખતે એકમ તિથિ પર ચિત્રા નક્ષત્ર અને વૈધુતી યોગ છે. તેમજ એકમ તિથિ બપોરે 13:47 સુધી જ છે. માટે જો સવારના સમયે ઘટસ્થાપન કરી શકાય તો તે વિશેષ ફળદાયી બની રહેશે.

ઘટસ્થાપનના શુભ મુહૂર્ત સવારે 06:34 થી 08:03 સુધી બપોરે 12:25 થી 12:55 સુધી

અભિજીત મુહૂર્ત સવારે 11:46 થી બપોરે 12:32 સુધી

ઘટસ્થાપનાની વિધિ 1.શુભ મુહૂર્તમાં માટીના વાસણમાં સપ્ત ધાન્ય મૂકો. 2.એક કળશમાં જળ ભરીને તેના ઉપરના ભાગ પર નાડાછડી બાંધો. 3.કળશને સપ્ત ધાન્યવાળા માટીના પાત્ર પર મૂકી દો. 4.કળશ પર આસોપાલવના પાન મૂકો. 5.એક નારિયેળને લાલ વસ્ત્રમાં લપેટી નાડાછડી વડે બાંધી દો. 6.નાડાછડી વડે બંધાયેલું નારિયેળ કળશના પાન પર સ્થાપિત કરો. 7.કળશની શાસ્ત્રોક્ત પૂજા કરી આદ્યશક્તિનું આવાહન કરો. 8.નવરાત્રીના તમામ દિવસો દરમિયાન આસ્થા સાથે કળશની પૂજા કરો 9.તામસિક ભોજન અને ખરાબ આદતોથી દૂર રહો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ આ પણ વાંચોઃ પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ પુષ્પ કરશો અર્પણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">