Navratri 2021: નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ

નવરાત્રીના દિવસો દરમિયાન ભક્તો આસ્થા સાથે દેવીનું અનુષ્ઠાન કરતા હોય છે. પણ, આ અનુષ્ઠાન પૂર્વે અને દેવીના સ્થાપન પૂર્વે કેટલીક ખાસ તૈયારીઓ પણ કરવી પડતી હોય છે. તેમાં કોઈ ચૂક ન રહી જાય તે ખૂબ જ જરૂરી છે.

Navratri 2021: નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ
મા આદ્યશક્તિની આરાધનામાં રાખો વિશેષ ધ્યાન
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 06, 2021 | 1:41 PM

નવરાત્રી (Navratri) દરમિયાન આદ્યશક્તિના પૂજન અને તેમની ઉપાસનાનો મહિમા છે. માઈ ભક્તો 9 દિવસ દેવીનું અનુષ્ઠાન કરતા હોય છે. નિત્ય દેવીની પૂજા કરતા હોય છે. લોકો 9 દિવસ દેવીની ઉપાસના કરે છે. ત્યારે દેવીના પૂજન પહેલાં, દેવીના અનુષ્ઠાન પૂર્વે ખાસ તૈયારી પણ કરવી પડતી હોય છે. કેટલીક ખાસ સામગ્રીની જરૂર પણ પડતી હોય છે. ત્યારે આજે આ જ પૂજાની સામગ્રીની આપણે વાત કરીશું. જાણીશું કે સ્થાપન પૂર્વે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે ? કઈ કઈ વસ્તુઓની તૈયારી કરવી જોઈએ ? આવો જાણીએ કે દેવીના સ્થાપન પૂર્વે, દેવીના અનુષ્ઠાન પૂર્વે શું કરશો તૈયારી.

પૂજન પૂર્વે શું તૈયારી કરશો ? દેવી ઉપાસનામાં તેમના નિત્ય થતાં પૂજનનું વિશેષ મહત્વ છે. તે માટે પહેલેથી જ સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. 1. મા દુર્ગાની એક તસવીર કે મૂર્તિની સ્થાપના માટે તૈયાર કરી લેવી. 2.જે સ્થાન પર સ્થાપન કરવાનું છે ત્યાં પાથરવા માટે લીલા રંગનું કપડું તૈયાર રાખવું. 3. દેવીને અર્પણ કરવા માટે લાલ રંગની સાડી કે ચુંદડી ખરીદી લેવી. 4. માને અર્પણ કરવા પુષ્પ કે પુષ્પ માળા તૈયાર રાખવી. 5. નાડાછડી, ચોખા, લવિંગ, એલચી, પાન, સોપારી અને કપુર જેવી પૂજનની સામગ્રી સાથે રાખવી. 6.સ્થાપન દરમિયાન અખંડ દીપ પ્રજવલ્લિત કરવા માટે દીવો અને ઘી તૈયાર રાખવા.

માતાને શૃંગારમાં શું કરશો અર્પણ ? માતાને અર્પણ કરવા માટે લાલ સાડી કે લાલ રંગની ચુંદડી તૈયાર કરી લેવી. ત્યારબાદ તમામ સૌભાગ્ય દ્રવ્યો પણ તૈયાર રાખવા. જેમકે બંગડી, સિંદુર, ચાંદલા, કાજલ, મહેંદી, મંગળસૂત્ર વગેરે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અનુષ્ઠાનમાં કળશની સ્થાપના માટે કઈ વસ્તુઓની પડશે જરૂર ? કળશની સ્થાપના માટે સૌથી પહેલાં એક કળશ અને નારિયેળ લો. કળશ કોઈ ધાતુ કે માટીનો પણ આપ લઈ શકો છો. તેને બાંધવા માટે નાડાછડી પણ સાથે રાખો. કળશમાં ભરવા માટે ગંગાજળ કે શુદ્ધ જળ લેવું. ત્યારબાદ કેસર, જાયફળ જેવા દ્રવ્યોનો પણ ઉપયોગ થતો હોય છે. કળશના પૂજન માટે કંકુ લેવું. કળશની નીચે રાખવા માટે ઘઉં કે ચોખા પણ લેવાં.

જવારા માટે કઈ કઈ વસ્તુઓની પડશે જરૂર ? જવારા એ તો સ્વયં દેવીનું સ્વરૂપ મનાય છે ! ત્યારે જવારા વાવવા માટે પણ ખાસ તૈયારી કરવાની હોય છે. સૌપ્રથમ જવારા વાવવા માટે એક માટીનું વાસણ લેવું. સ્વચ્છ માટી અને શુદ્ધ જળ લેવું. જ્યારે વાવવા માટે ઘઉં કે જુવાર જેવા અનાજનો ઉપયોગ કરવો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ પુષ્પ કરશો અર્પણ આ પણ વાંચોઃ નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">