AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Safala Ekadashi 2021: સફલા એકાદશીએ સરળ ઉપાયથી બનાવો આપના કામને સફળ

હજારો વર્ષોની તપસ્યાનું ફળ સફલા એકાદશીના વ્રત માત્રથી પ્રાપ્ત થાય છે. શક્ય હોય તો સફલા એકાદશીએ ઘરની પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવવો જોઈએ. આવતી કાલે જરૂરિયાતમંદને દાન કરવું.

Safala Ekadashi 2021: સફલા એકાદશીએ સરળ ઉપાયથી બનાવો આપના કામને સફળ
LAXMI-NARAYAN (Symbolic Image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:35 AM
Share

સફલા એકાદશી (SAFALA EKADASHI) એટલે તો શ્રીહરિ વિષ્ણુની આરાધનાનો ઉત્તમ અવસર. આવતી કાલે એટલે કે 30 ડિસેમ્બરે સફલા એકાદશી છે. વર્ષ 2021ની આ અંતિમ એકાદશી છે. આ દિવસ શ્રીહરિ વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની આરાધના કરવાનો અને તેમના આશીર્વાદની પ્રાપ્તિ કરવાનો પણ છે. આજે અમે આપને જણાવીશું એ ઉપાય કે જેને સફલા એકાદશીએ કરવાથી આપના દરેક કામ સફળ થઈ જશે.

1. વર્ષની તમામ એકાદશીનું વ્રત કરવું ફળદાયી મનાય છે. પણ જો અન્ય કોઈ ન કરી શકો તો સફલા એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ. એવું કહેવાય છે કે હજારો વર્ષોની તપસ્યાનું ફળ સફલા એકાદશીના વ્રત માત્રથી પ્રાપ્ત થાય છે. અને એટલું જ નહીં માન્યતા તો એવી પણ છે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે સફલા એકાદશીનું વ્રત.

2. શક્ય હોય તો સફલા એકાદશીએ ઘરની પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવવો જોઈએ. એવું કહેવાય છે કે શ્રીહરિ વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. એટલે કે આવતી કાલે તુલસીનો છોડ અચૂક વાવજો. અને સાથે જ નિયમિત છોડને પાણી પણ પીવડાવવું એટલે કે છોડનું જતન કરવું જોઈએ. તો શ્રીહરિ ને પીળો રંગ પસંદ હોવાનું કહેવાય છે એટલે પીળા રંગના પુષ્પ ગલગોટાના છોડને વાવો તો તે પણ ઉત્તમ માનવામાં આવે છે. અને તેના માટે ઘરની ઉત્તર દિશા શુભ માનવામાં આવે છે.

3. તો સાથે જ એવી માન્યતા છે કે સફલા એકાદશીના દિવસે વ્યક્તિએ કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. અને પીળા રંગના વસ્ત્ર પહેરવાં જોઈએ. તો સાથે જ શ્રીહરિને પણ આવતી કાલે પીળા વસ્ત્ર અને પીળા ફૂલ અર્પણ કરવાં જોઈએ.

4. ભગવાન વિષ્ણુની પ્રતિમા ને ધુપ, દિપ અને ફળ અને નૈવેદ્ય અર્પણ કરવાં જોઈએ.

5. જો શક્ય હોય તો આવતી કાલે જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ. આપ અન્નનું દાન કરી શકો છો. આપ પીળા રંગના વસ્ત્રનું દાન કરો તો તે પણ ઉત્તમ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સફલા એકાદશીના માહાત્મયથી પરિચિત કરાવ્યા હતાં. વ્યક્તિ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રતથી ન પ્રાપ્ત કરી શકે તેવા શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ માત્ર સફલા એકાદશીથી પ્રાપ્ત થાય છે.  અત્યંત પુણ્યદાયી મનાય છે સફલા એકાદશી.

આ પણ વાંચો: ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

આ પણ વાંચો: Tulsi Puja: તુલસીનો એક છોડ પ્રદાન કરશે સંતાન અને કારકિર્દીના આશીર્વાદ ! જાણો તુલસી પૂજાના રસપ્રદ લાભ !

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">