AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: વ્રજમાં 10થી 25 માર્ચ સુધી ઉજવવામાં આવશે ‘રંગોત્સવ’, આ મંદિરોમાં યોજાશે મુખ્ય કાર્યક્રમો

બરસાનાના રંગીલી ચોક, પ્રિયા કુંડ અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં ભીડ વધુ હોય છે. ત્યાં તપાસની જવાબદારી એસ.ડી.એમ. ગોવર્ધનને આપવામાં આવી છે. જર્જરિત ઇમારતોને ધ્યાને રાખીને તેઓ આવી ઇમારતો પર લોકોને મોટી સંખ્યામાં બેસવા દેશે નહીં.

Uttar Pradesh: વ્રજમાં 10થી 25 માર્ચ સુધી ઉજવવામાં આવશે 'રંગોત્સવ', આ મંદિરોમાં યોજાશે મુખ્ય કાર્યક્રમો
'Rangotsav' will be celebrated in Vraja from March 10 to 25
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 8:39 AM
Share

જો કે વ્રજમાં હોળી (Holi 2022) વસંત પંચમીથી (Basant Panchami) શરૂ થાય છે અને વ્રજમાં હોળી 40 દિવસ સુધી ઉજવવામાં આવે છે. વ્રજમાં સૌથી મહત્વપૂર્ણ હોળી નંદગાંવ બરસાનાથી (Nandgaon Barsana) શરૂ થાય છે, જે હોળીના દિવસના લગભગ થોડા દિવસો પહેલા ઉજવવામાં આવે છે.

આ વખતે વ્રજમાં હોળીનો કાર્યક્રમ અને મંદિરોમાં બ્રજ 10 માર્ચથી શરૂ થશે, જે 25 માર્ચ સુધી ચાલશે. વહીવટીતંત્ર દ્વારા 10 માર્ચથી 25 માર્ચ સુધી ઉજવવામાં આવતા હોળીના કાર્યક્રમને ‘રંગોત્સવ’ (Rangotsav) નામ આપવામાં આવ્યું છે. જેમાં વિવિધ સ્થળો અને મંદિરોમાં 15 દિવસ સુધી હોળીના રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

બરસાના અને નંદગાંવની હોળીની વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેમાં જિલ્લા પંચાયતરાજ અધિકારીને સ્વચ્છતા માટે સ્ટાફ રાખવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ફાયનાન્સ યોગાનંદ પાંડેએ જણાવ્યું કે, સમગ્ર મેળા વિસ્તારમાં પોલીસનું વિશેષ વ્યવસ્થાપન કરવામાં આવશે. મુખ્ય માર્ગો પર બેરિકેડિંગ અને પાર્કિંગના સ્થળો પર પણ પોલીસ દળ હાજર રહેશે તેમજ CCTV અને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. જેમાં ભીડને કાબૂમાં લેવા માટે ટ્રાફિક પ્લાન બનાવવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆતની રૂપરેખા પણ રજૂ કરવામાં આવશે.

જર્જરિત મકાનો પર લોકોની સંખ્યા રહેશે ઓછી

બરસાનાના રંગીલી ચોક, પ્રિયા કુંડ અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં ભીડ વધુ હોય છે, ત્યાં તપાસની જવાબદારી એસ.ડી.એમ. ગોવર્ધનને આપવામાં આવી છે. જર્જરિત ઇમારતોને ધ્યાને રાખીને તેઓ આવી ઇમારતો પર લોકોને મોટી સંખ્યામાં બેસવા દેશે નહીં.

ભક્તોની સુવિધા માટે બસો ચલાવવામાં આવશે

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમને ‘લઠ્ઠામાર મેળા’ માટે 100 બસોની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. જે અલગ-અલગ રૂટ પર દોડાવવામાં આવશે. બસો પર સ્ટીકર બનાવવા માટે ડ્રાઈવર ઓપરેટરોને નેમ પ્લેટ સાથે યુનિફોર્મમાં ઉભા રહેવા સૂચના આપવામાં આવી છે.

અહીંયા થશે પરંપરાગત હોળીનો તહેવાર

શ્રી રાધારાણી મંદિર બરસાના

શ્રી નંદબાબા મંદિર નંદગાંવ

શ્રી રાધારાણી મંદિર, રાવલ

શ્રી બાંકે બિહારી મંદિર, વૃંદાવન

શ્રી કૃષ્ણ જન્મભૂમિ, મથુરા

નંદકિલા નંદ ભવન, ગોકુલ

શ્રીદ્વારિકા મંદિરમ, શ્રીપ્રહલાદ મંદિર ફલેન

શ્રી મુકુટ મુખારબિન્દુ મંદિર, ગોવર્ધન

વ્રજની હોળી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હોળીની ઉજવણીમાં ભાગ લેવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. તેને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સરકારી સ્તરે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Holi celebrations 2022: ભારતની આ જગ્યા પર અનોખા અંદાજમાં મનાવવામાં આવે છે હોળી, જુઓ તસ્વીર

આ પણ વાંચો: Bank Holidays in February 2022 : ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંકો બંધ રહેશે, યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">