Diwali 2022: શું દિવાળીના દિવસો દરમિયાન તમે દ્વાર પર લખો છો શુભ લાભ ? જાણી લો તમારા લાભની વાત !

દિવાળીના (Diwali) દિવસો દરમિયાન ઉંબરા પૂજનની સાથે જ ઘરના દ્વાર પર શુભ-લાભ લખીને સ્વસ્તિક બનાવવાનો મહિમા છે. લૌકિક માન્યતા અનુસાર નિત્ય શક્ય ન હોય તો પણ, ધનતેરસ, દિવાળી અને બેસતા વર્ષના શુભ દિવસે આ કાર્ય જરૂરથી કરવું જોઈએ.

Diwali 2022: શું દિવાળીના દિવસો દરમિયાન તમે દ્વાર પર લખો છો શુભ લાભ ? જાણી લો તમારા લાભની વાત !
Umbara pujan
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 20, 2022 | 6:21 AM

દિવાળીનો (Diwali 2022) રૂડો અવસર નજીક આવી પહોંચ્યો છે. ઘરોની સાફ-સફાઈ બાદ લોકો તેની સજાવટમાં વ્યસ્ત બની ગયા છે. પણ, ઘરની સાફ-સફાઈની સાથે ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય અને ઘરમાં શુભ તત્વોનું આગમન થાય તે ખૂબ જ જરૂરી છે. અને આ મહત્વપૂર્ણ કાર્ય ઉંબરા પૂજન (umbra pujan) તેમજ શુભ લાભ (shubh labh) દ્વારા જ પાર પડી શકે છે ! આસો વદ એકાદશી, એટલે કે રમા એકાદશીથી લઈને કારતક સુદ પંચમી, એટલે કે લાભ પાંચમ સુધીના દિવસો એ દિવાળીના દિવસો મનાય છે. આ સપરમા દિવસો દરમિયાન ઉંબરા પૂજનનો સવિશેષ મહિમા રહેલો છે. પણ, તેની સાથે જ ઘરના દ્વાર પર શુભ-લાભ લખવાનું પણ આગવું જ મહત્વ છે. આવો, આજે તે વિશે વિગતે જાણીએ.

શુભ-લાભથી સુખ-સમૃદ્ધિ !

⦁ દિવાળીના દિવસો દરમિયાન ઉંબરા પૂજનની સાથે જ ઘરના દ્વાર પર શુભ-લાભ લખીને સ્વસ્તિક બનાવવાનો મહિમા છે. લૌકિક માન્યતા અનુસાર તો આ કાર્ય નિત્ય જ કરવું જોઈએ. પરંતુ, નિત્ય શક્ય ન હોય તો પણ, ધનતેરસ, દિવાળી અને બેસતા વર્ષના શુભ દિવસે આ કાર્ય જરૂરથી કરવું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

⦁ માન્યતા અનુસાર શુભ-લાભ ઘરની આસપાસની તમામ નકારાત્મક ઊર્જાને નષ્ટ કરી દે છે. ઘરના મુખ્ય દ્વાર પર શુભ-લાભ લખવાથી કોઈની પણ કુદૃષ્ટિ કે નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશી નથી શકતી. અને ઘરમાં સુખ-શાંતિ અકબંધ રહે છે.

⦁ શુભ અને લાભ બંન્ને ગણેશજીના પુત્ર છે. એટલે ઘરના દ્વાર પર શુભ-લાભ લખવાથી ગજાનન ગણેશની પણ કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે. કારણ કે, પોતાના પુત્રોના સ્મરણથી શ્રીગણેશ સવિશેષ પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન વિઘ્નહર્તા ભક્તોના જીવનના સઘળા વિઘ્નોનું શમન કરી દે છે.

⦁ શુભ-લાભની માતા રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે, પુત્રોના ઘરમાં આગમનથી માતાઓ પણ સ્વયં જ ઘરમાં ખેંચાઈ આવે છે. રિદ્ધિથી વ્યક્તિને આર્થિક સમૃદ્ધિનું સુખ પ્રાપ્ત થાય છે. તો સિદ્ધિ વ્યક્તિને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે, જો તમે ઘરના દ્વાર પર શુભ-લાભ લખો છો તો ઘરની સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">