Navratri 2024: નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઇ? જાણો 9 દિવસના વ્રતની કહાની

Navratri 2024: થોડા દિવસોમાં ચૈત્રી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ શા માટે આપણે નવરાત્રી ઉજવીએ છીએ. ચાલો જાણી નવરાત્રી 9 દિવસ ઉજવવા પાછળની કહાની વીશે.

Navratri 2024: નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઇ? જાણો 9 દિવસના વ્રતની કહાની
Navratri 2024
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 11:53 AM

Navratri Kyu Manaya Jata hai: નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે, નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે, એક વખત શારદીયમાં અને એક વખત ચૈત્ર નવરાત્રિમાં, આ સિવાય ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન બે વાર દેવી દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે નવરાત્રીની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? નવરાત્રિ દરમિયાન 9 દિવસ ઉપવાસ કરનાર સૌપ્રથમ કોણ હતા? જો નહીં, તો આજે અમે તમને જણાવીશું કે નવરાત્રિની ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને સૌપ્રથમ નવરાત્રિનું વ્રત કોણે રાખ્યું.

નવરાત્રિની શરૂઆત કેવી રીતે થઈ?

મા દુર્ગા પોતે શક્તિનું મૂર્ત સ્વરૂપ છે અને નવરાત્રિ દરમિયાન તમામ ભક્તો તેમની પૂજા કરે છે અને આધ્યાત્મિક શક્તિ, સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ઉપવાસ કરે છે. નવરાત્રિ શરૂ કરનાર રાજાએ પણ આધ્યાત્મિક શક્તિ અને દેવી દુર્ગા પાસેથી વિજયની પ્રાર્થના કરી હતી. વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે કે, લંકા ચડાઇ કરતા પહેલા ભગવાન રામે કિષ્કિંધા પાસે ઋષ્યમુક પર્વત પર દુર્ગાની પૂજા કરી હતી. ભગવાન બ્રહ્માએ ભગવાન રામને દેવી દુર્ગાના સ્વરૂપ ચંડી દેવીની પૂજા કરવાની સલાહ આપી અને બ્રહ્માજીની સલાહ પ્રાપ્ત કર્યા પછી, ભગવાન રામે પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ચંડી દેવીની પૂજા અને પાઠ કર્યા.

નવરાત્રિની શરૂઆત કયા રાજાએ કરી? (How navratri is celebrated)

ચંડી પૂજાની સાથે જ ભગવાન બ્રહ્માએ રામજીને કહ્યું કે ચંડી પૂજા અને હવન પછી તમે 108 નીલ કમળ ચડાવશો તો જ તમારી પૂજા સફળ થશે. આ નીલ કમળ દુર્લભ માનવામાં આવે છે. રામજીને તેમની સેનાની મદદથી આ 108 વાદળી કમળ મળ્યા, પરંતુ જ્યારે રાવણને ખબર પડી કે રામ ચંડી પૂજા કરી રહ્યા છે અને વાદળી કમળની શોધ કરી રહ્યા છે, ત્યારે તેણે પોતાની જાદુઈ શક્તિથી એક વાદળી કમળને ગાયબ કરી દીધા. ચંડી પૂજાના અંતે, જ્યારે ભગવાન રામ માતાજીને નીલ કમળ અર્પણ કરી રહ્યા હતા ત્યારે એક કમળ ઓછું પડ્યું. આ જોઈને તેઓ ચિંતિત થઈ ગયા અને અંતે તેણે કમળને બદલે દેવી ચંડીને પોતાની એક આંખ અર્પણ કરવાનું નક્કી કર્યું. જેમ જ તેમણે આંખ અર્પણ કરવા માટે તીર ઊંચક્યું, માતા ચંડી પ્રગટ થયા અને તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને વિજયના આશીર્વાદ આપ્યા.

જાંબુનો ઠળિયો કરશે અનેક રોગો સામે રક્ષણ, આ રીતે કરો સેવન
World Best Mango Dish : બેસ્ટ મેંગો ડિશમાં ભારતની એક રેસિપી નંબર-1, બીજી ટોપ-5માં
આજનું રાશિફળ તારીખ : 16-06-2024
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પાસે કેટલી સંપત્તિ છે?
આ 6 લોકોએ પનીર ખાધું તો ગયા સમજજો, એક્સપર્ટે જણાવ્યું કારણ
મહિલાઓના વાળ ખરતા અટકાવશે આ ફળ ! જુઓ લિસ્ટ

નવરાત્રિનું વ્રત સૌપ્રથમ કોણે રાખ્યું હતું?

ભગવાન રામે પ્રતિપદાથી નવમી સુધી માતા ચંડીને પ્રસન્ન કરવા અન્ન જળનો ત્યાંગ કર્યો હતો. ભગવાન રામે નવ દિવસ સુધી દેવી દુર્ગાના સ્વરૂપ પૂજા કર્યા બાદ રાવણ પર વિજય મેળવ્યો હતો. એવું માનવામાં આવે છે કે ત્યારથી નવરાત્રિની ઉજવણી અને 9 દિવસના ઉપવાસ શરૂ થયા. આવી સ્થિતિમાં ભગવાન રામ પ્રથમ રાજા અને પ્રથમ મનુષ્ય હતા જેમણે નવરાત્રિના 9 દિવસનો ઉપવાસ કર્યો હતો.

ચૈત્ર નવરાત્રિ 2024 ક્યારે છે? (ChaitraNavratri 2024 date)

વર્ષ 2024માં 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દેવી માતાના આશીર્વાદ મેળવવા માટે, ભક્તો વ્રત રાખે છે જે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન ભક્તિભાવથી માતાની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
પાલનપુરના મોટા ગામનો ડામર રોડનું કામ રેલવેએ અટકાવી દેતા વિરોધ, જુઓ
પાલનપુરના મોટા ગામનો ડામર રોડનું કામ રેલવેએ અટકાવી દેતા વિરોધ, જુઓ
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
રાયપુર દરવાજા નજીક જવેલર્સના કર્મચારી પાસેથી 1 કિલો સોનાની લૂંટ
રાયપુર દરવાજા નજીક જવેલર્સના કર્મચારી પાસેથી 1 કિલો સોનાની લૂંટ
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અકરાપાણીએ જોવા મળ્યા
g clip-path="url(#clip0_868_265)">