AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Day 7: નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર

Navratri Day 7: મા કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. માતાના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે. માતાના ગળામાંની માળા વીજળીની જેમ ચમકે છે. માતા કાલરાત્રીને ચાર હાથ અને ત્રણ આંખો છે. માતાએ એક હાથમાં ખડગ (તલવાર), બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર,ત્રીજા હાથમાં વરમુદ્રામાં અને ચોથા હાથમાં અભય મુદ્રામાં છે.

Navratri Day 7: નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર
Navratri Day 7
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 7:00 AM
Share

21મી ઓક્ટોબર 2023એ શારદીય નવરાત્રીનો સાતમો દિવસ, શનિવાર છે. આ દિવસ મા કાલરાત્રીને સમર્પિત છે. દેવી કાલરાત્રીને મહાયોગીશ્વરી, મહાયોગિની અને શુભંકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા કાલરાત્રિની પૂજા કરવાથી ભક્તોની મૃત્યુથી રક્ષા થાય છે અને અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. જાણો નવરાત્રીના સાતમા દિવસનો મનપસંદ રંગ, ફૂલ, પ્રસાદ, મા કાલરાત્રિની પૂજા પદ્ધતિ, શુભ સમય, સ્વરૂપ અને અન્ય વિશેષ બાબતો-

મા કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે. માતાના ગળામાંની માળા વીજળીની જેમ ચમકે છે. માતા કાલરાત્રીને ચાર હાથ અને ત્રણ આંખો છે. માતાએ એક હાથમાં ખડગ (તલવાર), બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર,ત્રીજા હાથમાં વરમુદ્રામાં અને ચોથા હાથમાં અભય મુદ્રામાં છે.

મા કાલરાત્રી પૂજા વિધી-

સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.દેવી માતાની મૂર્તિને ગંગા જળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવો.માતાને લાલ રંગના વસ્ત્રો અર્પણ કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાને લાલ રંગ પસંદ છે. માતાને સ્નાન કરાવ્યા પછી ફૂલ ચઢાવો.માતાને રોલી કુમકુમ ચઢાવો.મા કાલરાત્રિને મધ પ્રસાદ અર્પણ કરો.શક્ય હોય ત્યાં સુધી મા કાલરાત્રીનું ધ્યાન કરો.

નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવાથી દેવી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા કાલરાત્રિ ભક્તોને અનિષ્ટથી બચાવે છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

મા કાલરાત્રિ મંત્ર

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता। लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥ वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा। वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥

મા કાલરાત્રિને અર્પણ કરવુંઃ મા કાલરાત્રિને ગોળ ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના સાતમા દિવસે માતા રાણીને ગોળનો પ્રસાદ ચઢાવવો ખૂબ જ શુભ હોય છે.

શુભ રંગ : લાલ રંગ મા કાલરાત્રિને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં મા કાલરાત્રિની પૂજા દરમિયાન લાલ વસ્ત્રો પહેરવા શુભ છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">