AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri 2021 : નવરાત્રિમાં વ્રત પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે

નવરાત્રિના નવ દિવસોમાં ભક્તોએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. ચાલો જાણીએ નવરાત્રિની શરૂઆત પહેલા કયા કાર્યો કરવા જોઈએ જેથી પૂજામાં કોઈ અવરોધ ન આવે.

Navratri 2021 : નવરાત્રિમાં વ્રત પહેલા કરો આ કામ, દરેક મનોકામના પૂરી થશે
Navratri 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 5:04 PM
Share

આવતીકાલથી નવરાત્રિનો (Navratri) પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. આસો સુદ એકમની તિથિથી નવમી તિથિ સુધી નવ દિવસ માટે નવરાત્રીનું વ્રત માતા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે.

ઘણા લોકો નવરાત્રિનું વ્રત કંઈ પણ ખાધા કે પીધા વગર રાખે છે. કેટલાક લોકો માત્ર ફળ ખાતા હોય છે. નવરાત્રી દરમિયાન દરરોજ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રીનો તહેવાર 07 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ઘણા લોકો નવરાત્રિ દરમિયાન ઘરમાં કળશની સ્થાપના કરે છે. આ નવ દિવસો દરમિયાન, ભક્તોએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. ચાલો જાણીએ મા દુર્ગાના આગમન પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

1. નવરાત્રીના ઉપવાસ દરમિયાન સંપૂર્ણ સાત્વિક ખોરાક લેવો જોઈએ. લસણ અને ડુંગળીનો ઉપયોગ ખોરાકમાં ન કરવો જોઈએ. આ સિવાય કોઈએ કોઈને ખરાબ ન બોલવું જોઈએ.

2. મા દુર્ગાના આગમન પહેલા ઘરને સાફ કરો. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય ત્યાં માતાની કૃપા હોતી નથી. એટલા માટે નવરાત્રિ દરમિયાન ઘરની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરના પૂજા સ્થળને સારી રીતે સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આમ કરવાથી તમારું ઘર શુદ્ધ થઈ જશે.

3. નવરાત્રિમાં રંગોનું વિશેષ મહત્વ છે. દરેક દિવસે જુદા જુદા રંગના કપડા પહેરવામાં આવે છે. આ સિવાય ઘરમાં ઉપવાસની વસ્તુઓ અગાઉથી રાખો.

4. ઘરના જે ભાગમાં માતાનું સ્થાપન કરો તેની સામે સ્વસ્તિક ચિહ્ન બનાવો. આ સિવાય કળશ સ્થાપનાની પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્રિત રાખો જેથી પૂજા સમયે કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે.

5. નવરાત્રિની શરૂઆત પહેલા તમારા ઘરમાંથી માંસાહારી વસ્તુઓ કાઢી નાખો. આગામી નવ દિવસ સુધી આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

6. જો તમે વાળ, દાઢી કાપવાનું વિચારી રહ્યા છો, તો નવરાત્રિ પહેલા તેને કાપી લો. નવરાત્રિમાં આ બધી વસ્તુઓ કરવી અશુભ માનવામાં આવે છે. આ સિવાય નખ કાપવું પણ વર્જિત માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Navratri 2021: નવરાત્રીમાં દેવીના આવાહન પૂર્વે શું કરશો ખાસ તૈયારી? જાણો નવરાત્રીની પૂજન સામગ્રીનું મહત્વ

આ પણ વાંચો : Navratri 2021: શારદીય નવરાત્રીનો થશે પ્રારંભ, જાણો ઘટસ્થાપનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">