AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન

રવિવાર એ સૂર્ય (sun) ઉપાસનનાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. ત્યારે આજે અમે આપને એક ખાસ સ્તોત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૂર્યદેવની કૃપા મેળવવા ખાસ કરો આ સ્તોત્રનું પઠન
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 14, 2021 | 8:04 PM
Share

રવિવાર એ સૂર્ય (sun) ઉપાસનનાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. ત્યારે આજે અમે આપને એક ખાસ સ્તોત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે રામને યુદ્ધમાં વિજયી બનાવવા અગત્સય ઋષિએ સૂર્યદેવની કૃપા અપાવતા આ ખાસ આદિત્ય હ્રદય સ્તોત્રનું વર્ણન કર્યું હતું. એવું કહેવાય છે કે જો આ સ્તોત્રનું નિયમિત પઠન કરવામાં આવે તો આપને આપના નક્કી કરેલા કાર્યમાં ચોક્કસ જીત મળે છે.

આદિત્યહ્રદય સ્તોત્રનું રોજ પઠન કરવાથી વ્યક્તિને સૂર્ય સમાન તેજની પ્રાપ્તિ થાય છે. કાયદાકીય બાબતોમાં વિજયની પ્રાપ્તિ પણ આ પાઠથી થાય છે. એવું કહેવાય છે કે હાડકાં કે આંખોના રોગથી પીડાતા વ્યક્તિ જો આ પાઠ કરે તો તેને રોગથી મુક્તિ મળી જાય છે. એટલું જ નહીં સૂર્ય સંબંધી સમસ્યાઓના નિવારણ માટે આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે.

જો કે આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવા માટે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જરૂરી છે

1. આ સ્તોત્રનું પઠન રવિવારે સવારે કરવું. 2. શક્ય હોય તો દરરોજ સૂર્યોદય સમયે પાઠ કરવો. 3. સૌપ્રથમ સ્નાન કરીને સૂર્યને અર્ધ્ય આપવું. 4. ત્યાર પછી સૂર્યની સામે જ પાઠ કરવો. 5. પાઠ કર્યા પછી સૂર્ય દેવનું ધ્યાન કરવું. 6. મદિરા અને માંસાહારને ત્યાગવું. 7. આ પાઠ કરતાં હોવ તો તેલનો પણ ઉપયોગ ટાળવો. 8. શક્ય હોય તો સૂર્યાસ્ત પછી નમકનું સેવન ન કરવું.

કહેવાય છે કે આ તમામ નિયમોના પાલન સાથે જો આસ્થાથી સૂર્યદેવ સમક્ષ આદિત્યહ્રદય સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

આ પણ વાંચો 7 દ્રવ્ય અને 7 મંત્રથી પ્રાપ્ત કરો મહાદેવની કૃપા, પૂર્ણ થશે સઘળી મનોકામના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">