Mahashivratri 2023 : મહાદેવના આ મંદિરમાં દર્શન માત્રથી થાય છે કાલસર્પ દોષ દુર, મળે છે સુખ-શાંતિ

જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય અને તમે ઈચ્છિત પ્રગતિ કરી શકતા ન હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે મહાશિરાત્રી પર આ શિવ ધામો કરો વિશેષ પૂજા મળશે ફાયદો.

Mahashivratri 2023 : મહાદેવના આ મંદિરમાં દર્શન માત્રથી થાય છે કાલસર્પ દોષ દુર, મળે છે સુખ-શાંતિ
Kalsharp Dosh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 4:49 PM

મહાશિવરાત્રી 2023: મહાશિવરાત્રી, જે ભગવાન શિવની ઉપાસના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ વર્ષે 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવની આરાધના કરવાથી ભોલેના ભક્તોને શનિ સંબંધિત દોષોમાંથી મુક્તિ મળી શકે છે તો બીજી તરફ આ દિવસે જેમની કુંડળીમાં કાલસર્પની સમસ્યા હોય તેમને પણ આમાથી મુક્તિ મળી શકે છે. હિંદુ માન્યતા અનુસાર, જો મહાશિવરાત્રિના અવસર પર દેશના કેટલાક ખાસ મંદિરોમાં જઈને ભગવાન શિવની પૂજા કે દર્શન કરવામાં આવે તો કુંડળીમાં કાલસર્પ દોષ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ શિવના પવિત્ર ધામ વિશે અને તેમની પૂજા અને ઉપાય વિશે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ

મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં સ્થિત ભગવાન મહાકાલની પૂજા પણ કાલસર્પ દોષમાંથી મુક્તિ આપનારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના શુભ અવસર પર ભગવાન મહાકાલેશ્વરની વિધિ-વિધાન અનુસાર પૂજા કરવાથી કુંડળીમાં કાલસર્પ દોષ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ આંખના પલકારામાં દૂર થઈ જાય છે.

તક્ષેકેશ્વર મંદિર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં યમુના કિનારે સ્થિત તક્ષેકેશ્વર મંદિર વિશે એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ માત્ર દર્શન અને પૂજા કરવાથી દૂર થઈ જાય છે. અહીં સર્પોના સ્વામી શ્રી તક્ષક નાગનું પવિત્ર તીર્થ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના આ પવિત્ર મંદિરમાં નાગની જોડી અર્પણ કરીને અને નિયમો અનુસાર તેમની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલા કાલસર્પ દોષ દૂર થાય છે અને શિવની કૃપાથી ભવિષ્યમાં સર્પદંશનો ભય દુર થાય છે.

પાકિસ્તાનની સૌથી લાંબી નદી કઈ છે? ભારત સાથે છે ખાસ કનેક્શન
હેલિકોપ્ટરને હિંદીમાં શું કહે છે, આજે જાણી લો અસલી નામ
આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ

એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ દૂર થઈ જાય છે. આ જ કારણ છે કે કાલસર્પ દોષ શાંતિની પૂજા કરવા માટે લોકો દૂર-દૂરથી અહીં પહોંચે છે.

ઓમકારેશ્વર

મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કિનારે સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પર, વ્યક્તિ નિયમો અનુસાર શિવ સાધના કરીને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે. અહીં કાલસર્પ દોષને શાંત કરવા માટે 1001 પાર્થિવ શિવલિંગ બનાવવામાં આવ્યા છે.

ઘરે કાલસર્પ દોષની પૂજા કેવી રીતે કરવી

જો કાલસર્પ દોષ તમારા જીવનમાં પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહ્યો છે અને આ દોષને કારણે તમને દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તેનાથી મુક્તિ મેળવવા માટે તમે તમારા ઘરમાં કાલસર્પ દોષની વિશેષ પૂજા કરી શકો છો. કાલસર્પ દોષની શાંતિ માટે તમારા ઘરમાં પાર્થિવ શિવલિંગ પર રૂદ્રાભિષેક કરો અને ચાંદીનો સાપ બનાવીને ભગવાન શિવને અર્પણ કરો. આ સાથે આ પૂજામાં મહામૃત્યુંજય મંત્રનો વિશેષ રીતે જાપ કરો.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
g clip-path="url(#clip0_868_265)">