Rathyatra 2022: ભગવાન જગન્નાથ પણ પડે છે બીમાર, 14 દિવસનો હોય છે તેમનો ક્વોરેન્ટીન ! જાણો પૂરી કહાણી આ અહેવાલમાં
Knowledge news : કોરોના માહામારી સમયે ઓડિશા સરકારે પણ ધાર્મિક પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે ભગવાન જગન્નાથ પણ વાર્ષિક રથયાત્રા પહેલા ક્વોરેન્ટાઇન રૂમમાં સ્વયને અલગ રાખે છે.
Rathyatra 2022 : ભગવાન જગન્નાથને (Lord Jagarnath) કોણ નથી જાણતુ. દેશમાં અલગ અલગ રાજ્યોમાં નીકળતી તેમની યાત્રાઓ દુનિયાભરમાં જાણીતી છે. તેમા પણ ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા (Jagarnath yatra) વિશે કોણ નથી જાણતુ. થોડા દિવસમાં ભવ્ય જગન્નાથ નીકળશે. થોડા દિવસ પહેલા 108 ઘડા પાણીમાં સ્નાન કર્યાના એક દિવસ પછી ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ તેમના મંદિરમાં રહ્યા કારણ કે તેઓ પરંપરા મુજબ બીમાર પડ્યા હતા. જગન્નાથ સંસ્કૃતિ સંશોધક ભાસ્કર મિશ્રા અનુસાર ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથ ત્રણેય અઠવાડિયા સુધી એકાંતમાં રહે છે. દૈતાપતિ સેવકો સિવાય કોઈને મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો નથી, જ્યાં ભગવાન બીમાર પડ્યા પછી આરામ કરે છે.
ભાસ્કર મિશ્રા અનુસાર, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને બીમાર પડ્યા બાદ અનાસર ઘર નામના રૂમમાં એકાંતમાં રાખવામાં આવ્યા છે. મહેલના રાજ વૈદ્યની સૂચના પર જડીબુટ્ટીઓ, ફૂલો અને મૂળના અર્કથી તેની સારવાર કરવામાં આવી રહી છે. ત્રણેય દેવી-દેવતાઓની એવી જ રીતે સારવાર કરવામાં આવે છે જે રીતે માણસ બીમાર પડે ત્યારે તેની સાથે કરવામાં આવે છે.
કેમ હતુ 14 દિવસનું ક્વોરેન્ટાઇન ?
ભગવાન પણ ‘અનાસર ઘર’માં 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈનમાં રહેશે. તમને યાદ હશે કે જ્યારે કોરોના રોગચાળાની શરૂઆતમાં 14-દિવસની ક્વોરેન્ટાઇન એટલે કે સેલ્ફ-આઇસોલેશનનો નિયમ બનાવવામાં આવ્યો હતો, ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું કે ક્વોરેન્ટાઇન માટે માત્ર 14 દિવસ જ કેમ નક્કી કરવામાં આવ્યા હતા. બાદમાં ડોકટરો અને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેવી રીતે ચેપી રોગોના ચક્રને તોડવું જરૂરી છે અને આ માટે 14 દિવસનો ક્વોરેન્ટાઇન સમયગાળો મહત્વપૂર્ણ છે.
પૌરાણિક માન્યતા અને પરંપરા શું છે?
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન જગન્નાથ, તેમના ભાઈ ભગવાન બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રાને સ્નાન પૂર્ણિમાના દિવસે પવિત્ર જળના 108 ઘડાથી સ્નાન કરાવ્યું હતું. આટલું નાહ્યા પછી ત્રણેયને તાવ આવ્યો. આ ચેપને વધુ ફેલાતો અટકાવવા માટે ત્રણેય દેવતાઓને અનાસર ઘર લઈ જવામાં આવ્યા અને ત્યાં રાખવામાં આવ્યા. અનાસરના ઘરમાં જ તેની સારવાર કરવામાં આવી હતી. ત્રણેય દેવતાઓ 14માં દિવસે સાજા થઈ ગયા. તેથી જ આ પરંપરા ચાલી આવે છે. દર વર્ષે રથયાત્રાના 14 દિવસ પહેલા ભગવાન ક્વોરેન્ટાઇન થાય છે અને જ્યારે તે સ્વસ્થ હોય ત્યારે બહાર આવે છે.