AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે આ ખાસ ઉપાય કરશો તો, ભગવાન ગણેશ તમારી બધી પરેશાનીઓ દૂર કરશે અને ભાગ્ય પણ ચમકશે

જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેમણે પોતાના ખિસ્સામાં લીલો રૂમાલ રાખવો અથવા લીલા કપડા પહેરવા જોઈએ. આ સિવાય બુધવારે લીલા મગની દાળ અને લીલા રંગના કપડા ગરીબોને દાન કરી શકાય છે.

જો તમે આ ખાસ ઉપાય કરશો તો, ભગવાન ગણેશ તમારી બધી પરેશાનીઓ દૂર કરશે અને ભાગ્ય પણ ચમકશે
Lord Ganesha
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 12:12 PM
Share

હિંદુ ધર્મમાં, ભગવાન ગણેશને પ્રથમ પુજ્ય અને વિઘ્નહર્તા દેવ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા અવશ્ય કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી અને તેનાથી સંબંધિત ઉપાય કરવાથી ઘરમાં રહેલા તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પર ભગવાન ગણેશની કૃપા હોય તો તેના તમામ પ્રકારના વિઘ્નો દુર થાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. જે લોકોની કુંડળીમાં બુધ ગ્રહ સંબંધિત ખામીઓ હોય છે અને તેમના કામમાં વારંવાર અવરોધો આવતા હોય છે, તેમના ભાગ્યના દરવાજા ભગવાન ગણેશ સાથે સંબંધિત ઉપાય કરવાથી લાભ મળે છે.

લીલા રંગનું જ્યોતિષીય મહત્વ

ધાર્મિક રીતે બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસ બુધ ગ્રહ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં જે લોકોની કુંડળીમાં બુધ નબળો હોય તેમણે બુધવારે પોતાના ખિસ્સામાં લીલા કપડા અથવા લીલો રૂમાલ રાખવો જોઈએ. આ સિવાય બુધવારે લીલા મગની દાળ અને લીલા રંગના કપડા ગરીબોને દાન કરી શકાય છે.

ગણપતિને દુર્વા ચઢાવીને પ્રસન્ન કરો

દુર્વા ઘાસ, ઘરો પણ કહેવામાં આવે છે, તે ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જો સતત 11 બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરવામાં આવે તો તે જલદી ખુશ થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. જો તમે કોઈ ગંભીર બિમારીથી પરેશાન છો અથવા વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું છે, તો સાચા મનથી ગણેશજીના મંત્રનો પાઠ કરતી વખતે દૂર્વા ચઢાવો, તો તમારી પરેશાનીઓ જલદી દૂર થઈ જશે.

ભગવાન ગણેશને શમીના પાન ચઢાવો

શમીના પાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે ભગવાન શિવને તેમના પુત્ર ગણેશને પણ અર્પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ગણેશજીને શમીના પાન અર્પિત કરવાથી માનસિક વિકારોથી મુક્તિ મળે છે અને ઘરમાં અશાંતિ દૂર થાય છે.

ગણેશજીને મોદક અર્પણ કરો

ભગવાન ગણેશની પૂજા મોદક વિના અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે ભગવાન ગણેશની પૂજા કરો અથવા કોઈ સમસ્યાનો સામનો કરો અને તેનાથી છૂટકારો મેળવવા માટે ગણેશજીને લાડુ ચઢાવો.

સિંદૂર ચઢાવો

આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા અને જીવનમાં ધન અને સમૃદ્ધિ મેળવવા માટે ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો. સિંદૂર ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. આ ઉપાયથી ગણેશજી હંમેશા તમારા પર કૃપા વરસાવશે.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">