Bhakti : હિન્દુ ધર્મમાં પંચદેવ અને પંચોપચાર પૂજાનું ઘણું મહત્વ છે, જાણો શા માટે ?

કોઈપણ શુભ કાર્ય દરમિયાન પંચદેવ એટલે કે ભગવાન સૂર્ય (Lord Sun), સૌપ્રથમ પૂજન પામેલા ભગવાન ગણેશ (Lord Ganesh), દેવી દુર્ગા, દેવાધિદેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા કરવામાં આવે છે.

Bhakti : હિન્દુ ધર્મમાં પંચદેવ અને પંચોપચાર પૂજાનું ઘણું મહત્વ છે, જાણો શા માટે ?
પંચદેવ અને પંચોપચાર પૂજાનું મહત્વ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 8:18 PM

પંચ દેવ, પંચામૃત, પાંચ કર્મેન્દ્રિય, પંચ મહાભૂત, પંચોપચાર પૂજા વગેરે જેવી સનાતન પરંપરામાં પાંચની સંખ્યાનું મહત્વ ખૂબ જ છે. કોઈપણ શુભ કાર્ય દરમિયાન પંચદેવ એટલે કે ભગવાન સૂર્ય (Lord Sun), સૌપ્રથમ પૂજન પામેલા ભગવાન ગણેશ (Lord Ganesh), દેવી દુર્ગા, દેવાધિદેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની (Lord Vishnu) પૂજા કરવામાં આવે છે. સાથે જ આ તમામ દેવી-દેવતાઓની પંચોપચાર એટલે કે સુગંધ, ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્યની પૂજાનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ આ પાંચ પ્રકારના મુખ્ય દેવતાઓ અને તેમની પાંચ પ્રકારની પૂજા વિશે.

સનાતન પરંપરાના પંચદેવ

સનાતન પરંપરામાં, કોઈપણ શુભ કાર્ય પાંચ દેવતાઓની પૂજા વિના અધૂરું માનવામાં આવે છે, ભગવાન સૂર્ય આકાશ તત્વ, ભગવાન ગણેશ જળ તત્વ, દેવી દુર્ગા અગ્નિ તત્વ, ભગવાન શિવ પૃથ્વી તત્વ અને ભગવાન વિષ્ણુ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે આ પાંચ દેવી-દેવતાઓની પૂજા કરવાથી વ્યક્તિના તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થાય છે.

આ પાંચ દેવતાઓમાં ગણપતિની પૂજા કરવાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને શુભ લાભ મળે છે. બીજી તરફ બ્રહ્માંડના રક્ષક ગણાતા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ શક્તિની સાધના કરવાથી જીવન સંબંધિત તમામ પ્રકારના રોગ, દુ:ખ અને શત્રુઓનો નાશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે, જ્યારે દ્રશ્ય દેવતા સૂર્યની પૂજા કરવાથી સ્વાસ્થ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ભગવાનની પંચોપચાર પૂજા પદ્ધતિ

એવું માનવામાં આવે છે કે વ્યક્તિની શ્રદ્ધા અને ભાવનાથી પૂજા કરવાથી તેના પ્રિય દેવતાઓની કૃપા જલ્દી વરસે છે. ઘણી વખત દૈવી સાધના-પૂજામાં પંચોપચાર પૂજાનો ઉલ્લેખ જોવા મળે છે. આમાં, પાંચ દેવતાઓ એટલે કે ભગવાન ગણેશ, ભગવાન શિવ, માતા દુર્ગા, ભગવાન વિષ્ણુ અને દૃશ્યમાન દેવતા ભગવાન સૂર્યદેવની સુગંધ, ફૂલો, ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજા કરવામાં આવે છે.

પંચોપચાર પદ્ધતિમાં પાંચ પ્રકારની મુદ્રાઓમાં કોઈપણ દેવતાની પાંચ રીતે પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે, જેના દ્વારા દેવતાઓને તે પૂજા સામગ્રી પ્રાપ્ત થાય છે. તેમાં ગંધ મુદ્રા, ફૂલ મુદ્રા, ધૂપ મુદ્રા, દીપ મુદ્રા અને નૈવેદ્ય મુદ્રાનો સમાવેશ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Mahashivratri 2022: આ વખતે મહાશિવરાત્રિ પર બની રહ્યો છે ખૂબ જ ખાસ યોગ, જીવનમાંથી તમામ પરેશાનીઓ થશે દૂર

આ પણ વાંચો : Maha Shivratri 2022 : જાણો શિવરાત્રી પર ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરવાનું મહત્વ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">