AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

01 July 2025 વૃષભ રાશિફળ: વિદેશ યાત્રાના સંકેત મળી શકે છે, પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખજો

1 જુલાઈ 2025નો દિવસ વૃષભ રાશિના જાતકો માટે મિશ્ર હોઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ બની શકે છે પણ પ્રેમ સંબંધોમાં થોડી સાવચેતી રાખવી પડશે. માન-પ્રતિષ્ઠા અને યોજના ગુપ્ત રાખવી લાભદાયી રહેશે.

01 July 2025 વૃષભ રાશિફળ: વિદેશ યાત્રાના સંકેત મળી શકે છે, પ્રેમ સંબંધોમાં ધ્યાન રાખજો
| Updated on: Jul 01, 2025 | 6:01 AM
Share

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ? દિવસ દરમિયાન તમારે શું-શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે માઁ લક્ષ્મીની કૃપા વધશે? કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં…

વૃષભ રાશિ

કાર્યસ્થળ પર કોઈ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરો નહીંતર છેતરાઈ જશો. મહત્વપૂર્ણ કાર્યોમાં તમારે વધુ સંઘર્ષ કરવો પડશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારી ધીરજ ઓછી ન થવા દો નહીંતર નુકસાન થવાની સંભાવના વધી જશે. સમાજમાં તમારા માન અને પ્રતિષ્ઠા પ્રત્યે સતર્ક રહો.

નોકરી ક્ષેત્રે કામ કરતા લોકોને તેમના સાથીદારો સાથે વધુ સંકલન કરવાની જરૂર પડશે. તમને વિદેશ યાત્રાના સંકેત મળી શકે છે. ખાનગી વ્યવસાય કરતા લોકો માટે આ સમય ફાયદાકારક રહેશે. તમારી યોજનાઓને ગુપ્ત રાખવાનો પ્રયાસ કરો. મજૂર વર્ગને પણ સારો એવો રોજગાર મળશે. પ્રવાસ પર જવાના સંકેતો વધુ છે. બીજું કે, બાળકોની જવાબદારી પૂર્ણ થશે.

આર્થિક:- આજે વ્યવસાયમાં સારી આવકના સંકેતો છે. અચાનક અટકેલા પૈસા મળવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખો. બિનજરૂરી ખર્ચાઓ ટાળો. તમારી જરૂરિયાતો પર નિયંત્રણ રાખો. ઘર ખરીદવાની યોજના પણ બની શકે છે. પરિવારમાં મહેમાનના આગમનને કારણે ઘરના ખર્ચમાં વધારો થશે.

ભાવનાત્મક:- આજના દિવસે ખાસ કે, પ્રેમ સંબંધોમાં કોઈનાથી પણ પ્રભાવિત ન થાઓ. તમારી વચ્ચે ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારા પ્રેમીની લાગણીઓ અને વિચારોને સારી રીતે સમજવાનો પ્રયાસ કરો. લગ્ન સંબંધિત બાબતોનો ઉકેલ આવશે. વિવાહિત જીવનમાં, પતિ-પત્ની વચ્ચે કૌટુંબિક મુદ્દાઓને લઈને મતભેદો ઉભા થશે. સારા કામને લઈને તમારી પ્રશંસા થશે. તમે નવા મિત્રો બનાવશો.

સ્વાસ્થ્ય:- જો આજે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય, તો તાત્કાલિક સારવાર કરાવો. બીજું કે, ધીમે વાહન ચલાવો. સાંધાના દુખાવા, પેટ સંબંધિત બીમારી, આંખ સંબંધિત સમસ્યાઓ વગેરેથી સાવધ રહો. ખાવા-પીવામાં સંયમ રાખો. નિયમિત યોગ અને કસરત કરતા રહો.

ઉપાય:- આજે મંદિરમાં કેળાનું દાન કરો. ગુલાબનું અત્તર લગાવો. તમારા જીવનસાથીનો આદર કરો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">