હનુમાનજી દૂર કરશે વિવાહ આડેના વિઘ્ન ! હનુમાન જયંતીએ અચૂક કરો આ સરળ ઉપાય

ચૈત્રમાસની પૂર્ણિમાનો દિવસ હનુમાનજીની જયંતી તરીકે ઉજવાય છે. જો વારંવાર વિવાહ આડે વિઘ્ન આવે છે તો હનુમાન જયંતીએ કેટલાક સરળ ઉપાયો કરવાથી આપ આ અવરોધોને દૂર કરી શકો છો. સિંદૂરની એક ચપટી માત્રથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

હનુમાનજી દૂર કરશે વિવાહ આડેના વિઘ્ન ! હનુમાન જયંતીએ અચૂક કરો આ સરળ ઉપાય
LORD HANUMAN (SYMBOLIC IMAGE)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:51 AM

દર વર્ષે ચૈત્રમાસની પૂર્ણિમાનો દિવસ હનુમાનજીની (HANUMANJI) જયંતી તરીકે ઉજવાય છે. આ દિવસે હનુમાનજીના જન્મોત્સવને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો હનુમાન જયંતીએ હનુમાનજી માટે વ્રત રાખતાં હોય છે, તો કોઈ વિશેષ પૂજા પાઠ પણ કરતાં હોય છે. કહે છે કે જો હનુમાન જયંતીએ કોઇ ખાસ ઉપાય કરવામાં આવે તો હનુમાનજીની કૃપાની પ્રાપ્તિ થાય છે. આપણાં શાસ્ત્રોમાં ચિરંજીવીઓનો ઉલ્લેખ છે. તેમાં અશ્વત્થામા, બલિ, મહર્ષિ વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામનો સમાવેષ થાય છે. માન્યતા છે કે આ એ અમર આત્માઓ છે જે આજે પણ આપણી પૃથ્વી પર આપણી વચ્ચે હાજર છે. કળિયુગમાં આ સાત ચિરંજીવીઓમાં મહાબલી હનુમાનજીની સાધનાનું અદકેરું જ મહત્વ છે. કહેવાય છે કે પવનપુત્ર હનુમાનનું માત્ર નામ લેવાથી વ્યક્તિના સંકટ ટળી જાય છે, અને દરેક કષ્ટોનું હનુમાનજી નિવારણ કરે છે.

આજે અમે આપને જણાવીશું હનુમાન જયંતીએ કરવાના કેટલાક ખાસ ઉપાયો. જો વારંવાર વિવાહ આડે વિઘ્ન આવે છે તો હનુમાન જયંતીએ કેટલાક સરળ ઉપાયો કરવાથી આપ આ અવરોધોને દૂર કરી શકો છો. સિંદૂરની એક ચપટી માત્રથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

હનુમાન જયંતીના દિવસે કરવાના ઉપાય

1. કન્યાઓ કે જેમના વિવાહ થવામાં વિલંબ થતો હોય તેમણે એક ચપટી સિંદૂર હનુમાનજીના ચરણોમાં રાખી લો અને હનુમાનજીને લગ્ન સંબંધિત પ્રાર્થના કરો. કહે છે કે એક ચપટી સિંદૂર માત્રથી કન્યાઓના કોડની પૂર્તિ થાય છે અને વિવાહ આડે આવતા અવરોધો પણ દૂર થાય છે. 2. હનુમાન જયંતીના દિવસે ઘીમાં એક ચપટી સિંદૂર મેળવી હનુમાનજીને તેનો લેપ લગાવવો જોઇએ. આ ઉપાયથી પણ વ્યક્તિની મનોકમાના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. 3. ચપટી સિંદૂરમાં ઘી મેળવીને કાગળ પર સ્વસ્તિકનું ચિન્હ બનાવી તેને હનુમાનજીના હ્દય પર લગાવીને તેને તિજોરીમાં રાખી લો. આવું કરવાથી વ્યક્તિની આર્થિક પરેશાની હળવી થતી હોવાની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : તમે નહીં જોઈ હોય આવી દુર્લભ ગણેશ પ્રતિમા, જાણો પુણેના ત્રિશુંડ મયૂરેશ્વર ગણપતિનો મહિમા

આ પણ વાંચો : આ 7 બાબતોનું રાખી લો ધ્યાન, સિદ્ધ કુંજિકા સ્તોત્ર ચોક્કસથી કરશે શ્રેષ્ઠ ફળ પ્રદાન!

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">