કોણ છે હનુમાનજીના સસરા? શા માટે બાલાજીએ કરવા પડ્યા હતા લગ્ન, જાણો રોચક કથા

Hanuman Jayanti : તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી બીરાજે છે પત્ની સાથે, અહીંના લોકો જેઠ સુદ દશમી પર હનુમાનજીના લગ્ન ઉત્સવની ઉજવણી કરે છે.

કોણ છે હનુમાનજીના સસરા? શા માટે બાલાજીએ કરવા પડ્યા હતા લગ્ન, જાણો રોચક કથા
Hanuman Jayanti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 5:01 PM

આ વર્ષે હનુમાન જયંતિ (Hanuman Jayanti) 6 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ઉત્તર ભારતમાં ચૈત્ર પૂર્ણિમા પર દર વર્ષે હનુમાન જયંતીની ઉજવણી (Hanuman Jayanti Celebration) કરવામાં આવે છે. હનુમાનજીના 108 નામ છે જેમ કે બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર. દરેક નામનો અર્થ તેમના જીવનનો સાર જણાવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર છે. હનુમાનજી વિશેની માહિતી રામાયણ, શ્રીરામચરિતમાનસ, મહાભારત અને અન્ય ગ્રંથોમાં જોવા મળે છે. હનુમાનજીની માતા અંજનાને ભગવાન શિવે તેમના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું.

સૂર્ય દેવ પહેલા ગુરુ બન્યા પછી સસરા

બાળપણમાં હનુમાનજીને મારુતિના નામથી બોલાવતા હતા. તે સૂર્યને ફળ સમજીને ગળી જાય છે. આના પર ભગવાન ઈન્દ્રએ તેને તેના વ્રજ્ર વડે પ્રહાર કર્યો, જેનાથી તેનું જડબું તૂટી ગયું. આ ઘટના પછી મારુતિ હનુમાન તરીકે ઓળખાવા લાગ્યા બાદમાં હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા. સૂર્યદેવે તેમને નવમાંથી પાંચ વિદ્યાઓ શીખવી હતી, પરંતુ જ્યારે ચાર વિદ્યાનો વારો આવ્યો ત્યારે સૂર્યદેવે હનુમાનજીને તેમની સાથે લગ્ન કરવા કહ્યું.

કારણ કે આ શિક્ષણનું જ્ઞાન પરિણીતને જ આપી શકાતું હતું. સૂર્યદેવે તેમની પુત્રી સુવર્ચલા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હનુમાનજી અને સુવર્ચલાના લગ્ન થયા. સુવર્ચલા પરમ તપસ્વી હતા. લગ્ન પછી તે તપસ્યામાં લીન થઈ ગયા. બીજી બાજુ, હનુમાનજીએ તેમની ચાર શિક્ષા મેળવવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં લગ્ન કર્યા પછી પણ હનુમાનજીનું બ્રહ્મચર્યનું વ્રત તોડ્યું ન હતું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો :Horoscope Today Video : આ 4 રાશિના જાતકોને આજે વ્યવસાયમાં લાભની સ્થિતિ સર્જાઈ રહી છે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ Video

હનુમાનજીની ગુરુ દક્ષિણા

આગળ, હનુમાનજીને સૂર્ય ભગવાન પાસેથી તમામ જ્ઞાન પ્રાપ્ત થયું. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી હનુમાનજીએ તેમના ગુરુ સૂર્ય નારાયણને ગુરુ દક્ષિણા માટે પ્રાર્થના કરી. હનુમાનજીના શિષ્યત્વથી પ્રસન્ન થઈને સૂર્યદેવે ગુરુ દક્ષિણામાં કંઈ ન લેવાનું કહ્યું. પરંતુ હનુમાનજીએ ફરીથી વિનંતી કરી, ત્યારે સૂર્યદેવે તેમના પીડિત પુત્ર સુગ્રીવને યાદ કર્યા અને હનુમાનજીને ગુરુ દક્ષિણાના રૂપમાં સુગ્રીવની રક્ષા અને મદદ કરવા કહ્યું. હનુમાનજીએ સૂર્યદેવનું પાલન કર્યું અને સુગ્રીવની મદદ કરવા ગયા.

તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી બીરાજે છે પત્ની સાથે

તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાની પૂજા કરવામાં આવે છે. અહીં બનેલું આ જૂનું મંદિર વર્ષોથી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સ્થાનિક લોકો જેઠ સુદ દશમી પર હનુમાનજીના લગ્ન ઉત્સવની ઉજવણી કરે છે. જો કે ઉત્તર ભારતમાં રહેતા લોકો માટે આ આશ્ચર્યથી ઓછું નથી. કારણ કે હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">