AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAKTI: રમા એકાદશીએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી દેશે સમૃદ્ધિના આશીર્વાદ !

દિવાળીએ ચોપડા પૂજન કરતા પહેલાં ભાગ્યોદય માટેનો શ્રેષ્ઠ અવસર રમા એકાદશી પૂરો પાડે છે ! જો વેપારમાં ખોટ ચાલી રહી હોય, ધંધો નુકસાનમાં હોય તો રમા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી જોઈએ !

BHAKTI: રમા એકાદશીએ ભૂલ્યા વિના કરી લો આ કામ, દેવી લક્ષ્મી દેશે સમૃદ્ધિના આશીર્વાદ !
lakshmi narayan
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 19, 2022 | 6:34 AM
Share

દિવાળી (Diwali 2022) પર્વના વિધિવત પ્રારંભની તિથિ એટલે રમા એકાદશી. આસો માસના વદ પક્ષની એકાદશી એ રમા એકાદશીના (rama ekadashi) નામથી પ્રસિદ્ધ છે. ગુજરાતી પંચાંગ અનુસાર તે વર્ષની અંતિમ એકદાશી મનાય છે. આ એકાદશી દેવી લક્ષ્મી (goddess lakshmi) અને ભગવાન વિષ્ણુ (lord vishnu) બંન્નેની કૃપાપ્રાપ્તિ માટે સર્વોત્તમ મનાય છે. તો રમા એકાદશીનો મહિમા એટલે પણ વધારે છે કેમ કે, ત્યારબાદ દીપોત્સવી પર્વના વિધ-વિધ ઉત્સવોનો પ્રારંભ થઈ જાય છે. પણ, જાણો છો, આ એકાદશી તો ભક્તોના વિવિધ મનોરથોને સિદ્ધ કરનારી પણ છે !

રમા એકાદશી

આ વખતે રમા એકાદશી 21 ઓક્ટોબર, શુક્રવારના રોજ છે. આમ તો એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા અર્થે કરવામાં આવતું હોય છે. પરંતુ, રમા એકાદશીમાં લક્ષ્મી-નારાયણ બંન્નેની આરાધનાનો મહિમા છે. ખાસ વાત તો એ છે કે આ એકાદશીએ ભક્તો વિષ્ણુ ભગવાનની પૂજા કરે ત્યારે તેમના પર માતા લક્ષ્મીના આશિષ વરસતા હોય છે. અને દેવી લક્ષ્મી ભક્તોના વિધ-વિધ મનોરથોને પરિપૂર્ણ પણ કરતા હોય છે. આવો, કેટલાંક તેવા જ ઉપાયો જાણીએ.

વેપારમાં વૃદ્ધિ અર્થે

દિવાળીના દિવસો એ સપરમા દિવસો એટલે કે ખૂબ જ સારા દિવસો મનાય છે. વેપારીઓ તેમનું આવનારું વર્ષ સારું જાય તે માટે ચોપડાનું પૂજન કરતા હોય છે. પણ, દિવાળીએ ચોપડા પૂજન કરતા પહેલાં ભાગ્યોદય માટેનો શ્રેષ્ઠ અવસર રમા એકાદશી પૂરો પાડે છે ! જો વેપારમાં ખોટ ચાલી રહી હોય, ધંધો નુકસાનમાં હોય તો રમા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂરથી કરવી જોઈએ. આ પૂજા સમયે પ્રભુને એક રૂપિયાનો સિક્કો અર્પણ કરવો. સિક્કા પર પણ કુમકુમ, અક્ષત, પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ આ સિક્કાને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને ઓફિસમાં ધન રાખવાની જગ્યા પર મૂકી દેવું. માન્યતા અનુસાર તેનાથી ચોક્કસથી લાભની પ્રાપ્તિ થાય છે.

નોકરીમાં બઢતી

જો સતત પ્રયાસ કરવા છતાં નોકરીમાં બઢતી ન મળી રહી હોય અથવા તો નવી નોકરીની તક ન મળી રહી હોય તો રમા એકાદશીએ એક ખાસ પ્રયોગ કરવો. કોઈપણ વિષ્ણુ મંદિરે જઈને પ્રભુને પીળા રંગનું વસ્ત્ર અર્પણ કરવું. અને સાથે જ પોતાની મનશા અભિવ્યક્ત કરતા પ્રાર્થના કરવી. માન્યતા અનુસાર તમને ટૂંક સમયમાં જ નોકરી સંબંધી સારા સમાચાર મળશે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

જો તમારા ઘરમાં નાણાંની અછત વર્તાતી હોય અથવા તો કોઈપણ કારણસર ઘરમાં નાણાં બચતા જ ન હોય તો રમા એકાદશીના દિવસે 11 કોડીઓ લાવીને દેવી લક્ષ્મીને સમર્પિત કરવી. આ કોડીઓની વિધિવત પૂજા કરવી. ત્યારબાદ બીજા દિવસે સવારે આ કોડીને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને ઘરની તિજોરીમાં મૂકી દેવી. માન્યતા અનુસાર આ પ્રયોગથી વ્યક્તિની આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.

સુખી લગ્નજીવન માટે

દરેક સંસારી સુખી લગ્નજીવનની જ મનશા સેવે છે. વળી, રમા એકાદશી તો લક્ષ્મી-નારાયણ બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર છે. ત્યારે જો તમે ઈચ્છતા હોવ કે તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે પ્રેમ હંમેશા અકબંધ રહે તો એક ખાસ પ્રયોગ અજમાવો. રમા એકાદશીએ જરૂરથી તુલસી ક્યારે જળ અર્પણ કરો. અને ત્યારબાદ આ ક્રમ નિયમીતપણે જાળવો. કહે છે કે તેનાથી પતિ-પત્નીના સંબંધો સદૈવ સૂમેળભર્યા બની રહેશે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">