AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે બુધવારે કરો છો મગનું દાન ? જાણો, બુધ ગ્રહની શાંતિના અત્યંત સરળ ઉપાય !

બુધ એક શુભ ગ્રહ મનાય છે. પણ, કેટલીકવાર અન્ય ગ્રહ સાથેની તેની યુતિથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થતું હોય છે. અલબત્, ખૂબ જ સરળ ઉપાયો દ્વારા આપ બુધ દેવતાને પ્રસન્ન કરી શકો છો.

શું તમે બુધવારે કરો છો મગનું દાન ? જાણો, બુધ ગ્રહની શાંતિના અત્યંત સરળ ઉપાય !
મગના દાનથી થશે બુધ ગ્રહની શાંતિ !
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:26 PM
Share

વ્યક્તિની કુંડળીમાં (Kundali) જ્યારે કોઈ ગ્રહનો દોષ ચાલી રહ્યો હોય અથવા કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય ત્યારે તે વ્યક્તિના ભાગ્યોદયને રોકે છે. આવાં ગ્રહોનું અશુભ ફળ રોકી શકાય તે માટે જ્યોતિષાચાર્યો લોકોને ક્યારેક મુશ્કેલ તો ક્યારેક સરળ ઉપાયો સૂચવતા હોય છે, કે જેથી ગ્રહદોષનું નિવારણ કરી તે જ ગ્રહથી શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય. આજે આપણે જાણીએ બુધ ગ્રહની શાંતિ માટેના કેટલાંક આવાં જ સરળ ઉપાય.

આમ તો બુધ એક શુભ ગ્રહ મનાય છે. પણ, કેટલીકવાર અન્ય ગ્રહ સાથેની તેની યુતિથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થતું હોય છે. અલબત્, ખૂબ જ સરળ ઉપાયો દ્વારા આપ બુધ દેવતાને પ્રસન્ન કરી શકો છો. આવો, આજે જાણીએ આવાં જ કેટલાંક સરળ ઉપાય.

બુધ દેવતાની પ્રસન્નતાના સરળ ઉપાય

1. બુધ દેવતાને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય એટલે મગનું દાન કરવું. લીલા રંગના મગ એ બુધ ગ્રહ સંબંધિત કઠોળ મનાય છે. લૌકિક માન્યતા અનુસાર બુધવારે કોઈ જરૂરિયાત મંદને કે પછી કોઈ મંદિરમાં લીલા મગનું દાન કરવું. તેનાથી બુધ દેવતા પ્રસન્ન થશે અને બુધ ગ્રહના દોષ શાંત થશે.

2. ગાય એ પૂજનીય અને પવિત્ર મનાય છે. ગૌ માતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. એટલે, શક્ય હોય ત્યાં સુધી બુધવારે અચૂક ગાયને લીલું ઘાસ ખવડાવો.

3. માન્યતા અનુસાર પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી પણ, બુધ ગ્રહના દોષ શાંત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

4. બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જવું અને ગણેશજીને દૂર્વા અર્પણ કરવી. કહે છે કે ગજાનનને 11 કે 21 દૂર્વા ચઢાવવાથી વ્યક્તિને ચોક્કસથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

5. બુધવારના રોજ ગણેશજીને મોદકનો ભોગ લગાવવો. મોદકના ભોગથી ગજાનન પ્રસન્ન થાય છે. તો, તેમની પ્રસન્નતાથી બુધ ગ્રહના દોષ પણ દૂર થઈ જાય છે.

6. બુધવારના રોજ વક્રતુંડને સિંદૂર અર્પણ કરવું. શક્ય હોય તો સિંદૂરનું લેપન કરવું. તેનાથી પણ બુધ દેવતા પ્રસન્ન થશે.

7. આમ તો, મંગળવાર અને બુધવારના રોજ હનુમાનજીની પૂજાનો મહિમા છે. પણ, બુધવારના રોજ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી બુધ ગ્રહની પીડાથી વ્યક્તિને મુક્તિ મળતી હોવાની માન્યતા છે. કહે છે કે તેનાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

8. બુધના દોષની શાંતિ અર્થે સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવું. અલબત્, તે પૂર્વે કોઈ વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન મેળવી લેવું ઈચ્છનીય છે.

ઉલ્લેખનીય છે કે આ બધી જ માહિતી લૌકિક માન્યતાઓ પર આધારીત છે. આ સરળ ઉપાયો દ્વારા બુધ દોષની શાંતિ થતી હોવાની અને બધુ દેવતાની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

આ પણ વાંચોઃ મંગળનું પરિક્રમણ: આજે થનારા મંગળના પરિક્રમણની જાણો 5 રસપ્રદ વાત, કેમ કહેવાય છે મંગળને કમાન્ડર-ઈન-ચીફ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">