AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે બુધવારે કરો છો મગનું દાન ? જાણો, બુધ ગ્રહની શાંતિના અત્યંત સરળ ઉપાય !

બુધ એક શુભ ગ્રહ મનાય છે. પણ, કેટલીકવાર અન્ય ગ્રહ સાથેની તેની યુતિથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થતું હોય છે. અલબત્, ખૂબ જ સરળ ઉપાયો દ્વારા આપ બુધ દેવતાને પ્રસન્ન કરી શકો છો.

શું તમે બુધવારે કરો છો મગનું દાન ? જાણો, બુધ ગ્રહની શાંતિના અત્યંત સરળ ઉપાય !
મગના દાનથી થશે બુધ ગ્રહની શાંતિ !
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 20, 2021 | 6:26 PM
Share

વ્યક્તિની કુંડળીમાં (Kundali) જ્યારે કોઈ ગ્રહનો દોષ ચાલી રહ્યો હોય અથવા કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય ત્યારે તે વ્યક્તિના ભાગ્યોદયને રોકે છે. આવાં ગ્રહોનું અશુભ ફળ રોકી શકાય તે માટે જ્યોતિષાચાર્યો લોકોને ક્યારેક મુશ્કેલ તો ક્યારેક સરળ ઉપાયો સૂચવતા હોય છે, કે જેથી ગ્રહદોષનું નિવારણ કરી તે જ ગ્રહથી શુભ ફળની પ્રાપ્તિ કરી શકાય. આજે આપણે જાણીએ બુધ ગ્રહની શાંતિ માટેના કેટલાંક આવાં જ સરળ ઉપાય.

આમ તો બુધ એક શુભ ગ્રહ મનાય છે. પણ, કેટલીકવાર અન્ય ગ્રહ સાથેની તેની યુતિથી વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓનું સર્જન થતું હોય છે. અલબત્, ખૂબ જ સરળ ઉપાયો દ્વારા આપ બુધ દેવતાને પ્રસન્ન કરી શકો છો. આવો, આજે જાણીએ આવાં જ કેટલાંક સરળ ઉપાય.

બુધ દેવતાની પ્રસન્નતાના સરળ ઉપાય

1. બુધ દેવતાને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય એટલે મગનું દાન કરવું. લીલા રંગના મગ એ બુધ ગ્રહ સંબંધિત કઠોળ મનાય છે. લૌકિક માન્યતા અનુસાર બુધવારે કોઈ જરૂરિયાત મંદને કે પછી કોઈ મંદિરમાં લીલા મગનું દાન કરવું. તેનાથી બુધ દેવતા પ્રસન્ન થશે અને બુધ ગ્રહના દોષ શાંત થશે.

2. ગાય એ પૂજનીય અને પવિત્ર મનાય છે. ગૌ માતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા છે. એટલે, શક્ય હોય ત્યાં સુધી બુધવારે અચૂક ગાયને લીલું ઘાસ ખવડાવો.

3. માન્યતા અનુસાર પ્રથમ પૂજનીય ગણેશની પૂજા કરવાથી પણ, બુધ ગ્રહના દોષ શાંત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

4. બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ગણેશજીના મંદિરમાં જવું અને ગણેશજીને દૂર્વા અર્પણ કરવી. કહે છે કે ગજાનનને 11 કે 21 દૂર્વા ચઢાવવાથી વ્યક્તિને ચોક્કસથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

5. બુધવારના રોજ ગણેશજીને મોદકનો ભોગ લગાવવો. મોદકના ભોગથી ગજાનન પ્રસન્ન થાય છે. તો, તેમની પ્રસન્નતાથી બુધ ગ્રહના દોષ પણ દૂર થઈ જાય છે.

6. બુધવારના રોજ વક્રતુંડને સિંદૂર અર્પણ કરવું. શક્ય હોય તો સિંદૂરનું લેપન કરવું. તેનાથી પણ બુધ દેવતા પ્રસન્ન થશે.

7. આમ તો, મંગળવાર અને બુધવારના રોજ હનુમાનજીની પૂજાનો મહિમા છે. પણ, બુધવારના રોજ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાથી બુધ ગ્રહની પીડાથી વ્યક્તિને મુક્તિ મળતી હોવાની માન્યતા છે. કહે છે કે તેનાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

8. બુધના દોષની શાંતિ અર્થે સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવું. અલબત્, તે પૂર્વે કોઈ વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન મેળવી લેવું ઈચ્છનીય છે.

ઉલ્લેખનીય છે કે આ બધી જ માહિતી લૌકિક માન્યતાઓ પર આધારીત છે. આ સરળ ઉપાયો દ્વારા બુધ દોષની શાંતિ થતી હોવાની અને બધુ દેવતાની કૃપા પ્રાપ્ત થતી હોવાની માન્યતા પ્રચલિત છે.

આ પણ વાંચોઃ મંગળનું પરિક્રમણ: આજે થનારા મંગળના પરિક્રમણની જાણો 5 રસપ્રદ વાત, કેમ કહેવાય છે મંગળને કમાન્ડર-ઈન-ચીફ

સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
g clip-path="url(#clip0_868_265)">