Remedies of Thursday : ગુરુવારે કરો પીળા રંગ સાથે જોડાયેલા આ ઉપાય, લક્ષ્મીનારાયણ દેશે સુખ-સમૃદ્ધિના આશીર્વાદ

ગુરુવારના દિવસે હળદર કે ચંદનનું તિલક (Tilak) અવશ્ય કરવું જોઇએ. સાથે જ પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું. માન્યતા અનુસાર આમ કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે. સાથે જ પ્રગતિના દ્વાર પણ ખૂલી જાય છે.

Remedies of Thursday : ગુરુવારે કરો પીળા રંગ સાથે જોડાયેલા આ ઉપાય, લક્ષ્મીનારાયણ દેશે સુખ-સમૃદ્ધિના આશીર્વાદ
Lord Vishnu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jun 02, 2022 | 6:17 AM

હિન્દુ ધર્મમાં (Hindu dharma) અઠવાડિયાના દરેક વારને અલગ અલગ દેવી-દેવતા સાથે જોડવામાં આવ્યો છે. તેમાં ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને (Lord vishnu) સમર્પિત કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગુરુવારના દિવસનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે છે. આ દિવસે ગુરુ ગ્રહ અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેના દ્વારા આપ અગણિત પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો. સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મીને પણ પ્રસન્ન કરી શકો છો. ત્યારે અમે આજે આપને એ જણાવવાના છીએ કે ગુરુવારના દિવસે કયા ઉપાયો કરવાથી આપની આર્થિક સંપન્નતામાં વધારો થશે.

કહે છે કે ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં રહેલી આર્થિક સમસ્યાઓ દૂર કરી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ સંબંધિત કેટલાક ઉપાયો પણ દર્શાવ્યા છે કે જે ગુરુવારના દિવસે કરવાથી આપનું નસીબ ચમકી ઉઠશે અને ભગવાન વિષ્ણુના અગણિત આશીર્વાદની પ્રાપ્તિ થશે.

સુખી દાંપત્યજીવન 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગુરુવારના દિવસે સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરવી જોઇએ. આ કાર્ય કરવાથી પતિ-પત્નીની વચ્ચે રહેલ અંતર દૂર થાય છે. પતિ-પત્નીના સંબંધોમાં સુમેળ રહે છે અને તેમનું દાંપત્યજીવન ખુશહાલ રહે છે. ખુશહાલ પરિવાર પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા વરસતી જ રહે છે.

વિષ્ણુકૃપા પ્રાપ્તિ

જો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા હોય તો ગુરુવારના દિવસે પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું જોઇએ. ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિનું ધ્યાન ધરવું જોઇએ સાથે જ હાથમાં પીળા રંગનો દોરો બાંધવો જોઇએ. મહિલાઓએ આ દોરો ડાબા હાથમાં બાંધવો જોઇએ. પુરુષોએ આ દોરો જમણા હાથમાં બાંધવો જોઇએ.

જીવનમાં પ્રગતિના આશિષ

ગુરુવારના દિવસે હળદર કે ચંદનનું તિલક અવશ્ય કરવું જોઇએ. ગુરુવારના દિવસે પીળા રંગનું ભોજન ગ્રહણ કરવું. જેમ કે કેળા, બેસનના લાડુ, ગોળ, પપૈયુ, કેરી. આ દિવસે પીળા રંગના વસ્ત્ર દાન કરવા જોઇએ. આ ઉપાય કરવાથી આપનો ગુરુગ્રહ મજબૂત થાય છે. સાથે જ પ્રગતિના દ્વાર પણ ખૂલે છે.

ગુરુ ગ્રહદોષ મુક્તિ

ગુરુ ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે ગુરુવારના દિવસે હળદરવાળા પાણીથી સ્નાન કરવું જોઇએ. સાથે જ સ્નાન કરતા સમયે “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ કરવો જોઇએ. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

સુખ-સમૃદ્ધિના આશીર્વાદ

ગુરુવારના દિવસે કેળના વૃક્ષની પૂજા કરવી જોઇએ. કેળના વૃક્ષના મૂળમાં પાણી ઉમેરવું જોઇએ. સાથે જ ચણાની દાળ, હળદર, ગોળ અને સૂકી દ્રાક્ષ પણ અર્પણ કરવા જોઈએ. વૃક્ષની નીચે તેલનો દીવો પ્રજવલિત કરવો જોઇએ અને કેળના વૃક્ષના મૂળની પૂજા કરવી જોઇએ. કહે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થશે. સાથે જ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પણ મળશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">