આજે અચૂક કરો આ વ્રત, શિવ, શક્તિ અને સોમદેવના મળશે આશીર્વાદ !

સોમવારનું વ્રત શિવજી અને સાથે જ ચંદ્રદેવ બંન્નેની કૃપાની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. આ વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. દરેક મનોકામનાને પૂર્ણ કરનારૂં છે સોમવારનું વ્રત.

આજે અચૂક કરો આ વ્રત, શિવ, શક્તિ અને સોમદેવના મળશે આશીર્વાદ !
File Image
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 10, 2022 | 9:54 AM

મહાદેવની(MAHADEV) કૃપાની પ્રાપ્તિ માટે ઉત્તમ અવસર એટલે સોમવાર. સોમવારે સૌ કોઈ શિવાલય જાય છે અને ભોળાનાથની ભક્તિ કરે છે. આ દિવસે લોકો દાન, હવન, વ્રત અને જાપ કરે છે. તેમના પર માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થતા હોવાની માન્યતા છે.

લોકો સોમવારનું વ્રત પણ કરતાં હોય છે. સોમવારનું વ્રત શિવજી અને સાથે જ ચંદ્રદેવ બંન્નેની કૃપાની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. ત્યારે આજના લેખમાં આ વ્રત સંબંધી જ આપણે કરીશું વાત. જાણીશું કે કેવા ફળની પ્રાપ્તિ કરાવે છે સોમવારનું વ્રત. સાથે જ જાણીશું કે આ વ્રત કરવાના નિયમો શું છે ?

1. ખાસ તો સ્ત્રીઓ અખંડ સૌભાગ્યના આશિષ, સંતાન પ્રાપ્તિ અને નિર્ધનતા દૂર કરવા સોમવારનું વ્રત કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. સોમવારનું વ્રત કરવાથી શિવ અને શક્તિ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

2. માન્યતા છે કે આ વ્રત કરનારની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

3. આ વ્રત કરનારને યશ, કિર્તી અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.

4. નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ કરાવનારું વ્રત મનાય છે સોમવારનું વ્રત.

5. સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિની આર્થિક પરેશાની પણ મહાદેવ દૂર કરતાં હોવાની માન્યતા છે.

6. સોમવારનું વ્રત શિવને સમર્પિત મનાય છે એટલે કે સંસારના દરેક ભયમાંથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે સોમવારનું વ્રત.

7. કેહવાય છે કે પૃથ્વીના તમામ તીર્થોના દર્શનનું પુણ્ય આ એક વ્રતમાં સમાયેલું છે. ભવિષ્યપુરાણમાં પણ સોમવારના વ્રતનો ઉલ્લેખ મળે છે.

8. માનસિક અશાંતિ તેમજ હ્દયની ચંચળતાને દૂર કરી હ્દયને શાંતિ પ્રદાન કરે છે આજનું વ્રત. જો આજે વિધિ વિધાન સાથે સોમદેવ એટલે ચંદ્રદેવનનું પૂજન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થિર થાય છે સાથે જ શારિરીક સમસ્યાઓ પણ દૂર થાય છે.

9. આ વ્રત કોઇપણ સોમવારથી શરૂ કરી શકાય છે. શુક્લપક્ષના પ્રથમ સોમવારથી આ વ્રતનો પ્રારંભ કરવો જોઇએ. આ વ્રત વધારેમાં વધારે જેટલી સંખ્યામાં આપ કરી શકો તેટલા આપ કરી શકો છો. માન્યતા છે કે ઓછામાં ઓછા

10 સોમવારના વ્રત તો કરવા જ જોઈએ. શ્રેષ્ઠ તો એ રહેશે કે તમે જે માસમાં આ વ્રતની શરૂઆત કરો એ માસમાં જ તેની પૂર્ણાહૂતિ કરો. સોમવારે નિત્યક્રમ કામ પછી ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ શિવાલયમાં જઈ શિવજીનો શુદ્ધ જળ અને વિધ વિધ દ્રવ્યોથી અભિષેક કરવો. બીલીપત્ર અને ધતુરો શિવજીને ખાસ અર્પણ કરવા. દિવસ દરમિયાન શિવજીના મંત્રનો જાપ કરતાં રહેવું. આ વ્રત સર્વમનોકામનાની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો :શું તમે પણ નથી કરતાં ને આ ભૂલ ? અત્યારે જ જાણી લો કે સોમવારે શું કરશો અને શું નહીં

આ પણ વાંચો :શું તમને પણ થાય છે આ સવાલ ? કેમ સોમવાર મનાય છે શિવપૂજા માટે શ્રેષ્ઠ ?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">