AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શુક્રવારે કરો આ આસાન વ્રત, ખુલી જશે ભાગ્યના તાળા, નહીં રહે ધન-ધાનની કમી, જાણો પૂજા વિધિ

હિંદુ ધર્મમાં, દરેકને દેવી લક્ષ્મી માટે અપાર આદર છે. માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય તો કોઇ પણ માણસની ગરીબી દૂર થઈ જાય છે અને ઘર સંપત્તિમાં વધારો થાય છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દેવી વૈભવ લક્ષ્મીનું વ્રત રાખવામાં આવે છે.

શુક્રવારે કરો આ આસાન વ્રત, ખુલી જશે ભાગ્યના તાળા, નહીં રહે ધન-ધાનની કમી, જાણો પૂજા વિધિ
Vaibhav Laxmi Vrat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2024 | 9:07 AM
Share

Vaibhav Laxmi Vrat: હિંદુ ધર્મમાં, દરેકને દેવી લક્ષ્મી માટે અપાર આદર છે. માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય તો કોઇ પણ માણસની ગરીબી દૂર થઈ જાય છે અને ઘર સંપત્તિમાં વધારો થાય છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દેવી વૈભવ લક્ષ્મીનું વ્રત રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિની કમી નથી આવતી.

કયા દિવસે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું?

શુક્રવારે મા વૈભવ લક્ષ્મીનું વ્રત કરવામાં આવે છે. ભક્તિ અનુસાર મા વૈભવ લક્ષ્મીનું વ્રત 11 કે 21 શુક્રવાર સુધી રાખવામાં આવે છે. માન્યતા અનુસાર, શુક્રવારે સ્નાન કરી, સ્વચ્છ અને સુઘડ વસ્ત્રો પહેરો અને 11 કે 21 ની સંખ્યામાં માતા વૈભવ લક્ષ્મી વ્રત રાખવાનો સંકલ્પ લો. હવે આગામી 11 કે 21 શુક્રવાર વ્રત રાખો અને ઉપવાસ કરો. ઉપવાસના દિવસે ફક્ત ફળો જ ખાઓ અથવા તમે સાંજે એક ટાઇમ ભોજન પણ લઈ શકો છો. 11 કે 21 દિવસના ઉપવાસ કર્યા પછી વ્રતનું ઉજવણું કરો. એવું માનવામાં આવે છે કે ઉજવણું કરવાથી ઉપાસનાનું ફળ મળે છે. ઉજવણમાં  5 સુહાગણ સ્ત્રીઓને જમાડી યથા શક્તિ દાન અર્પણ કરવું.

મા વૈભવ લક્ષ્મીની ઉપવાસની વિધિ

વૈભવ લક્ષ્મી વ્રત પુરૂષો અને સ્ત્રીઓ બંને રાખી શકે છે. શુક્રવારે ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને પછી ઘરના મંદિર અથવા કોઈપણ સ્વચ્છ અને પવિત્ર સ્થાન પર પાટલો મૂકો અને તેના પર લાલ રંગનું કપડું પાથરો. હવે પાટલા પર મા વૈભવ લક્ષ્મીનો ફોટો અથવા મૂર્તિ મૂકો, ઘઉં અથવા ચોખાની ઢગલી કરો અને તેના પર પાણીથી ભરેલો કળશ મૂકો અને દીવો પ્રગટાવો અને માતા વૈભવ લક્ષ્મીને તિલક, અક્ષત, ફૂલની માળા, ફળ અને વસ્ત્રો અર્પણ કરો. આ પછી દેવી વૈભવ લક્ષ્મીને ખીર અથવા મીઠાઈ અર્પણ કરો. હવે વૈભવ લક્ષ્મી વ્રત કથા વાંચો અથવા સાંભળો. આ પછી આરતી કરો.

દેવી વૈભવ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમના મંત્રનો જાપ પણ કરી શકો છો.

દેવી વૈભવ લક્ષ્મી મંત્ર

या रक्ताम्बुजवासिनी विलासिनी चण्डांशु तेजस्विनी। या रक्ता रुधिराम्बरा हरिसखी या श्री मनोल्हादिनी॥

या रत्नाकरमन्थनात्प्रगटिता विष्णोस्वया गेहिनी। सा मां पातु मनोरमा भगवती लक्ष्मीश्च पद्मावती ॥

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">