AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ

સનાતન પરંપરામાં સૂર્યની ઉપાસના ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે વ્યક્તિ પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તે રાજાની જેમ જીવે છે. સુખ, સૌભાગ્ય અને સ્વાસ્થ્ય આપનાર પ્રત્યક્ષ દેવતા સૂર્યના સરળ અને અસરકારક ઉપાયો જાણવા માટે આ લેખ વાંચો.

Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ
Surya Puja Vidhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 4:56 PM
Share

જ્યોતિષમાં સૂર્યને (Lord Surya) રાજા માનવામાં આવે છે. જન્મકુંડળીના 12 ખાનામાં રહેતા નવ ગ્રહોમાં સૂર્ય કોઈપણ વ્યક્તિના આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને ઓળખનું પ્રતીક છે. જ્યારે કુંડળીમાં સૂર્ય શુભ હોય છે, ત્યારે વ્યક્તિ ભવ્ય ઐશ્વર્યનું જીવન જીવે છે. નોકરીની વાત હોય કે પછી સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસની વાત હોય સૂર્ય તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કોઈપણ વ્યક્તિનું સરકારી નોકરીનું સપનું સાકાર કરવામાં સૂર્યદેવની મહત્વની ભૂમિકા હોય છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં સૂર્યથી તેનું સુખ, કીર્તિ, તેજ, ​​શૌર્ય, આત્મા, નોકરી, માથાના રોગો, આંખના રોગ, શત્રુતા, સ્વાસ્થ્ય વગેરેનો વિચાર કરવામાં આવે છે. આવો જાણીએ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે ભૂલીને પણ પૂજામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

સૂર્યદેવની પૂજાનો ઉપાય સૂર્યદેવની શુભતા મેળવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે સવારે ઊગતા સૂર્યને જળ ચઢાવવું. આ માટે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં ભગવાન સૂર્યને જળ ચઢાવવું જોઈએ. આ પછી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, જે ભગવાન સૂર્યદેવની કૃપા વરસાવે છે. આદિત્ય હૃદય સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરો.

સૂર્યદેવને જળ અર્પણ કરવાની રીત હંમેશા પૂર્વ દિશામાં ભગવાન સૂર્યને જળ અર્પિત કરો અને જળ અર્પણ કરતી વખતે તાંબાના વાસણને બંને હાથે પકડીને તમારા માથા ઉપરથી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. વાસણમાં પાણીની સાથે લાલ ફૂલ, કુમકુમ અને ચોખા ઉમેરો. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે, પાણીના વહેતા પ્રવાહની વચ્ચેથી આવતા સૂર્યના કિરણોને જુઓ. પાણી આપતા સમયે ભગવાન સૂર્યના મંત્રનો જાપ કરો. આ પછી તમે જે જગ્યાએ ઉભા રહીને સૂર્યદેવને જળ ચઢાવો છો, ત્યાં જઈને સૂર્યદેવની પરિક્રમા પૂર્ણ કરો.

પૂજામાં આ વાતોનું ધ્યાન રાખો હંમેશા ઉગતા સૂર્યદેવને જળ અર્પિત કરવાનો પ્રયાસ કરો અને જો કોઈ કારણસર તમે તેમ ન કરી શકતા હોય તો તે દિવસે જળમાં કુમકુમ અને અક્ષત નાખીને સૂર્યદેવને જળ અર્પિત કરો. સૂર્ય ભગવાનને હંમેશા ઉઘાડા પગે જ જળ ચઢાવો અને સૂર્ય દ્વારા આપવામાં આવતું જળ તમારા પગ પર ન પડે તેનું ધ્યાન રાખો. સૂર્યદેવને હંમેશા શુદ્ધ અને પવિત્ર જળ ચઢાવો. જો શક્ય હોય તો પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો : Kangana Ranaut Controversy : દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ કંગના રનૌત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો : Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">