AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય

રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં નોંધવામાં આવી હતી. જો કે તેજ પવનને કારણે આજથી તેમાં સુધારો થવાની ધારણા છે.

Delhi Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણો વધુ કડક થઇ શકે છે, લોકડાઉન અંગે આજે લેવાશે નિર્ણય
Delhi - Air Pollution
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 7:12 AM
Share

રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા (Delhi Air Quality) ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી. જો કે તેજ પવનને કારણે આજથી તેમાં સુધારો થવાની ધારણા છે. રવિવારે સવારે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 347 નોંધાયો હતો. શુક્રવારે આ આંકડો 370 હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા પરથી આ માહિતી મળી છે.

દિલ્લીમાં પ્રદૂષણની કટોકટીની પરિસ્થિતિઓને કારણે કમિશન ફોર એર ક્વોલિટી (CAQM) એ 16 નવેમ્બરથી અમલમાં મૂક્યું હતું. તેમાંથી ઘણાની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી છે. આ સ્થિતિમાં આજે CAQM આ પ્રતિબંધોને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે. જે પ્રતિબંધો 21 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યા છે. રાજધાનીમાં બિન-જરૂરી ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોનો પ્રવેશ, દિલ્હી NCRમાં બાંધકામના કામ પર પ્રતિબંધ અને સરકારી કચેરીઓમાં ઘરેથી કામ મુખ્ય છે.

લોકડાઉન અંગે નિર્ણય લઈ શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન સંજોગોમાં ઘરેથી કામ કરવાની તારીખો લંબાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અને બાંધકામના કામ પર પ્રતિબંધનો આદેશ આપવામાં આવી શકે છે. પરંતુ ટ્રકોના પ્રવેશ પરના પ્રતિબંધને લંબાવવા અંગે શંકા સેવાઈ રહી છે. કારણ કે દિલ્હીની સપ્લાય ચેનને લાંબા સમય સુધી રોકી શકાય તેમ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે.

દિલ્હીમાં AQI ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં દિલ્હીમાં ભારે પવનને કારણે રવિવારથી હવાની ગુણવત્તામાં સુધારો થવાની સંભાવના છે. પ્રદૂષણનો સામનો કરવા માટે દિલ્હી સરકારે બુધવારે 10 માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં બિન-આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને આગળના આદેશો સુધી શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો સમાવેશ થાય છે.

રવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છે.

રવિવારથી સુધરવાની આશા છે ગાઝિયાબાદ (342), ગુડગાંવ (340) અને નોઈડા (363)ના પડોશી જિલ્લાઓમાં પણ હવાની ગુણવત્તા અત્યંત નબળી શ્રેણીમાં નોંધાઈ હતી. સંબંધિત અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોરદાર પવનને કારણે રવિવારથી હવાની ગુણવત્તામાં સુધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતા બે ડિગ્રી વધારે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">