Bhakti: દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે આ રીતે કરો શિવ તાંડવ સ્તોત્ર, જાણો તેનું ધાર્મિક મહત્વ
આ સ્તોત્રની રચના લંકાપતિ રાવણ દ્વારા કરવામાં આવી હતી. આ સ્તોત્ર મહાદેવને ખૂબ જ પ્રિય છે, એટલા માટે જે કોઈ ભક્ત તેનો પાઠ કરે છે, તો તેના પર મહાદેવજી પ્રસન્ન થાય છે.

શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી મહાદેવજી (Lord Shiv) પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સ્તોત્રની રચના લંકાપતિ રાવણ દ્વારા કરવામાં આવી હતી. આ સ્તોત્ર મહાદેવને ખૂબ જ પ્રિય છે, એટલા માટે જે કોઈ ભક્ત તેનો પાઠ કરે છે, તો તેના પર મહાદેવજી પ્રસન્ન થાય છે.
શિવ તાંડવ સ્તોત્રના ફાયદા
1. દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.
2. શિવ તાંડવનો પાઠ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સાધકના ચહેરા પર એક અલગ તેજ દેખાવા લાગે છે.
3. શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી જન્મકુંડળીમાં રહેલા કાલસર્પ યોગ અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
4. દરરોજ શિવ તાંડવનો પાઠ કરવાથી વચન સિદ્ધિની પ્રાપ્તિ કરી શકાય છે.
5. જો જાતકની જન્મકુંડળીમાં શનિ દોષ હોય તો તેને દૂર કરવા માટે દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
6. દરરોજ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો શક્ય ન હોય તો ભક્તોએ સોમવાર અને શનિવારે તેનો પાઠ કરવો જોઈએ.
શિવ તાંડવ સ્તોત્રનું મહત્વ
તાંડવ એ ભગવાન મહાદેવની નૃત્ય મુદ્રા છે, જેમાં ક્રોધ જોવા મળે છે. સનાતન ધર્મમાં શિવ તાંડવનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવ તાંડવમાં માત્ર ક્રોધ જ નહીં પરંતુ લીલાઓ પણ છે. તાંડવ કરતી વખતે ભગવાન શિવ પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે ત્યારે પૃથ્વી પર પ્રલય આવી જાય છે. ભોલેનાથ જ્યારે ડમરુ વગાડીને તાંડવ કરે છે ત્યારે તે પરમ આનંદની મુદ્રામાં હોય છે. આનંદમય તાંડવ સમયે તેઓ નટરાજ કહેવામાં આવે છે.
આ પણ વાંચો : 8 July PANCHANG : આજે અષાઢ વદ છઠ્ઠ, 8 જુલાઇ શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી!
કેવી રીતે કરવો શિવ તાંડવ સ્તોત્રનો પાઠ
મહાદેવને પ્રિય એવા શિવ તાંડવ સ્તોત્રનો પાઠ સૂર્યોદય સમયે કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. પાઠ શરૂ કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને તેની સામે ધૂપ અને દીવો કરવો જોઈએ. આ સાથે જ શિવને પ્રિય બિલિપત્ર, ધતુરા વગેરે અવશ્ય અર્પણ કરવા જોઈએ. જલાભિષેક કર્યા બાદ શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.