Vastu Tips : દિવાળી પર રંગોળી ક્યાં અને કેવી રીતે બનાવવી જોઈએ, જાણો યોગ્ય વાસ્તુ નિયમો

Vastu Tips : દિવાળીના દિવસે ઘર અને આંગણામાં ક્યાં અને કેવા પ્રકારની રંગોળી બનાવવામાં આવે તો ધનની દેવી લક્ષ્મી ઘરમાં આવે પાવન પગલે, જાણવા માટે વાંચો આ લેખ.

Vastu Tips : દિવાળી પર રંગોળી ક્યાં અને કેવી રીતે બનાવવી જોઈએ, જાણો યોગ્ય વાસ્તુ નિયમો
Rangoli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 7:42 PM

દિવાળીના (Diwali) શુભ પર્વ પર ઘરને શુભ પ્રતીકો અને શુભ ચિન્હોથી શણગારવાની પરંપરા છે. તેની પાછળ અલગ-અલગ ધાર્મિક માન્યતાઓ છે. એક માન્યતા અનુસાર દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ (Lord Ram) 14 વર્ષનો વનવાસ અને રાવણનો વધ કર્યા બાદ અયોધ્યામાં પરત ફર્યા હતા. જેના આગમનની ખુશીમાં લોકોએ આખી અયોધ્યાને શણગારી હતી અને દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી આજદિન સુધી દિવાળીના દિવસે ઘરને રંગોળી, દીવા વગેરેથી શણગારવાની પરંપરા ચાલી આવે છે. દિવાળીના દિવસે બનાવેલી રંગોળીને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ઘરની બહાર અને અંદર બનાવવામાં આવતી રંગોળી(Rangoli) દેવી લક્ષ્મીના સ્વાગત માટે બનાવવામાં આવે છે. દીપાવલીના દિવસે ઘરના કયા ખૂણામાં શુભ અને સૌભાગ્યમાં વધારો કરતી રંગોળી કેવી રીતે બનાવવી જોઈએ અને તેનું ધાર્મિક મહત્વ શું છે, ચાલો જાણીએ તેના વિશે વિગતવાર.

1. રંગોળી શબ્દ બે શબ્દો ‘રંગ’ અને ‘અવલ્લી’ના સંયોજન પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે – રંગોની પંક્તિ. ઉત્સવો પર આ પ્રાચીન કળા બનાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

2. ઘરની અંદર અને બહાર અનેક પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે, પરંતુ દિવાળીના દિવસે કમળની ડિઝાઇનવાળી રંગોળી બનાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, દિવાળી પર કમળની રંગોળી બનાવવામાં આવે તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.

3. વાસ્તુ અનુસાર દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવી જોઈએ. આ જગ્યાએ રંગોળી બનાવવા માટે ખાસ કરીને લાલ, પીળો, લીલો, ગુલાબી, નારંગી જેવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ રંગોનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જા વધે છે. વાસ્તુ અનુસાર રંગોળી માટે કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ.

4. રંગોળી બનાવતી વખતે, તમારી આંગળી અને અંગૂઠો મળીને જ્ઞાનમુદ્રા (પ્રાણાયામ પોઝ) બનાવે છે. એવું માનવામાં આવે છે કે આંગળીની આ મુદ્રાઓ તમારા મગજને વધુ ઉર્જાવાન અને સક્રિય બનાવે છે, સાથે જ તમારી બૌદ્ધિક શક્તિમાં પણ વધારો કરે છે.

5. રંગોળી બનાવતી વખતે લોટ, ચોખા, હળદર, કુમકુમ, ફૂલ અને પાંદડાનો ઉપયોગ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઇચ્છો તો દિવાળીના દિવસે ચોખાને વિવિધ રંગોમાં રંગીને રંગોળી બનાવવા માટે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Latest News Updates

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">