AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2022 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવશે ધનપતિ, વાંચો કઈ રીતે કરશો ધનતેરસના દિવસે આ ખાસ ઉપાય

Dhanteras 2022 : ધનતેરસ પર સુખ અને સૌભાગ્ય વધારવા માટે, તમારે બધી વસ્તુઓ સાથે સાવરણી શા માટે ખરીદવી જોઈએ અને તેનાથી સંબંધિત ચોક્કસ ઉપાયો શું છે, તે જાણવા માટે આ લેખ ચોક્કસ વાંચો.

Dhanteras 2022 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવશે ધનપતિ, વાંચો કઈ રીતે કરશો ધનતેરસના દિવસે આ ખાસ ઉપાય
Dhanteras 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 1:12 PM
Share

Dhanteras 2022 : હિન્દુ ધર્મમાં દિવાળીનું પંચમહાપર્વ ધનતેરસના દિવસથી શરૂ થાય છે. ધનતેરસના દિવસે તમામ પ્રકારની વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કે ધનતેરસ પર તમે ઈચ્છો તે કોઈપણ વસ્તુ ખરીદી શકો છો, પરંતુ આજે તમારે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરીના આશીર્વાદ મેળવવા માટે ખાસ કરીને સાવરણી ખરીદવી જોઈએ. હિંદુ ધર્મમાં સાવરણીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ધનતેરસ પર તેને ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસ(Dhanteras)ના દિવસે સાવરણી ખરીદવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે. જે સાવરણીનો ઉપયોગ આપણે ઘરને સાફ રાખવા માટે વારંવાર કરીએ છીએ, આવો જાણીએ એ જ સાવરણી(Brooms) થી સંબંધિત ચોક્કસ ઉપાય વિશે, જેના પર ધનની દેવી લક્ષ્મી જલ્દી જ પોતાના આશીર્વાદ વરસાવે છે.

સાવરણી કરવાની ચોક્કસ રીત

  1. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ધનતેરસના દિવસે સાવરણી ખરીદો અને તેને શાંતિથી મંદિરમાં અથવા પૂજા ઘરમાં રાખો. તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને મા લક્ષ્મીની કૃપા વરસશે.
  2. ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવાનો અર્થ એ નથી કે તમે જૂની સાવરણી ફેંકી દો. તે દિવસે ઘરમાંથી જૂની સાવરણી બિલકુલ હટાવી ન જોઈએ. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે જ્યારે જૂની સાવરણી બહાર ફેંકવામાં આવે છે તો ઘરની લક્ષ્મી પણ દૂર થઈ જાય છે.
  3. હિંદુ માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સાવરણી ખરીદ્યા બાદ દિવાળીના દિવસે ઉપયોગ કરવો જોઈએ. જેના કારણે ઘરમાં હંમેશા ઘર નાણા અને અનાજ ભરાયેલા રહે છે.
  4. ધાર્મિક માન્યતા અનુસાર ધનતેરસના દિવસે નવી સાવરણીની સાથે સાથે જૂની સાવરણીનું પણ સિંદૂર, કુમકુમ અને અક્ષત વગેરેથી પૂજન કરવું જોઈએ.
  5. વાસ્તુ અનુસાર ધનનું પ્રતિક ગણાતા સાવરણીને હંમેશા ઘરના કોઈને કોઈ ખૂણામાં સંતાડીને રાખવી જોઈએ.
  6. એવું માનવામાં આવે છે કે સાવરણીને ક્યારેય ઘરમાં ઉભી ન રાખવી જોઈએ અને ન તો તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવું વાસ્તુમાં મોટો દોષ માનવામાં આવે છે.
  7. વાસ્તુ અનુસાર સાંજના સમયે ઘર સાફ કરવું અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, તેથી પ્રયાસ કરો કે સાંજ અથવા સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવો.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">