AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન

માન્યતા અનુસાર દત્ત મંત્રના જાપથી વ્યક્તિના જીવનના સઘળા કષ્ટ નષ્ટ થઈ જાય છે. ગુરુ દત્તના મંત્ર ભક્તના શારીરિક અને માનસિક રોગોને હરી લે છે. એટલું જ નહીં, પિતૃઓની કૃપા પ્રાપ્તિ અર્થે પણ દત્ત મંત્ર સર્વોત્તમ મનાય છે.

Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન
lord dattatreya (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 10, 2022 | 6:55 AM
Share

ભગવાન દત્તાત્રેય (dattatreya) એ તો ત્રિદેવનો (trideva) અવતાર મનાય છે. એટલે જ એવી માન્યતા પ્રચલિત છે કે તેમની સાધના કરવાથી ભક્તને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે તે અનુસાર ગુરુ દત્તાત્રેયની ઉપાસના વ્યક્તિના જીવનના તમામ વિઘ્નોને હરી લે છે. એટલું જ નહીં, પ્રભુ દત્તાત્રેય તો બુદ્ધિ, જ્ઞાન અને બળના દાતા છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે કેવી રીતે પ્રભુ દત્તની વિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ગુરુવાર, પૂનમ તેમજ દત્ત જયંતીના અવસરે પ્રભુ દત્તના પૂજનનો સવિશેષ મહિમા છે. આ દિવસો દત્તાત્રેયની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે. વળી, પ્રભુ દત્તની ઉપાસના શીઘ્ર ફળ પ્રદાન કરનારી પણ છે. ત્યારે આજે વાત કરીએ કેટલાંક એવાં સરળ દત્ત મંત્રની કે જે ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરનારા મનાય છે.

ગુરુ દત્તાત્રેયનો મહામંત્ર

“દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા”

તાંત્રોક્ત દત્તાત્રેય મંત્ર

“ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ।”

દત્ત ગાયત્રી મંત્ર

“ૐ દિગંબરાય વિદ્મહે અવધૂતાય ધીમહિ તન્નો દતઃ પ્રચોદયાત ।”

મંત્રજાપના નિયમ

⦁ દત્ત મંત્રના જાપ વહેલી સવારે કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.  સવારે શક્ય ન હોય તો સંધ્યા સમયે પણ આ મંત્રજાપ કરી શકાય.

⦁ જો તમે સંધ્યા સમયે મંત્રજાપ કરવા માંગતા હોવ તો તે પૂર્વે પુનઃ સ્નાન કરી લેવું જોઈએ.

⦁ એક સ્વચ્છ આસન પર બિરાજમાન થઈ મનમાં પ્રભુ દત્તનું સ્મરણ કરવું. અને પછી મંત્રજાપનો પ્રારંભ કરવો.

⦁ શક્ય હોય ત્યાં સુધી દત્તાત્રેયના મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવો જોઈએ.

⦁ નિત્ય જ મંત્રની એક માળા કરવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછો 108 વખત મંત્રનો જાપ કરો ત્યારે તે ફળદાયી બને છે.

⦁ જો દરરોજ શક્ય ન હોય તો પણ દર ગુરુવારે આ ક્રમ જળવાયેલો રહે તો પણ પ્રભુની કૃપા ભક્તો પર ઉતરતી હોય છે.

મંત્રજાપના લાભ

⦁ માન્યતા અનુસાર દત્ત મંત્રના જાપથી વ્યક્તિના જીવનના સઘળા કષ્ટ નષ્ટ થઈ જાય છે.

⦁ શારીરિક રોગોથી વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ થાય છે.

⦁ દત્ત મંત્રના જાપથી વ્યક્તિને આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે. અને તેની વિચારધારા પણ સકારાત્મક બને છે. જેનાથી તે વધુ સકારાત્મક બાબતોને જીવનમાં આકર્ષે છે.

⦁ પિતૃઓની કૃપા પ્રાપ્તિ અર્થે પણ દત્ત મંત્ર સર્વોત્તમ મનાય છે.

⦁ કહે છે કે આસ્થા સાથે દત્ત મંત્રના જાપ કરવાથી પિતૃદોષ સંબંધી સમસ્યાઓથી જાતકને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા

આ પણ વાંચોઃ અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">