AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન

માન્યતા અનુસાર દત્ત મંત્રના જાપથી વ્યક્તિના જીવનના સઘળા કષ્ટ નષ્ટ થઈ જાય છે. ગુરુ દત્તના મંત્ર ભક્તના શારીરિક અને માનસિક રોગોને હરી લે છે. એટલું જ નહીં, પિતૃઓની કૃપા પ્રાપ્તિ અર્થે પણ દત્ત મંત્ર સર્વોત્તમ મનાય છે.

Bhakti: આસ્થા સાથે કરી લો આ દત્ત મંત્રનો જાપ, પિતૃદોષ ક્યારેય નહીં કરે પરેશાન
lord dattatreya (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 10, 2022 | 6:55 AM
Share

ભગવાન દત્તાત્રેય (dattatreya) એ તો ત્રિદેવનો (trideva) અવતાર મનાય છે. એટલે જ એવી માન્યતા પ્રચલિત છે કે તેમની સાધના કરવાથી ભક્તને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે તે અનુસાર ગુરુ દત્તાત્રેયની ઉપાસના વ્યક્તિના જીવનના તમામ વિઘ્નોને હરી લે છે. એટલું જ નહીં, પ્રભુ દત્તાત્રેય તો બુદ્ધિ, જ્ઞાન અને બળના દાતા છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે કેવી રીતે પ્રભુ દત્તની વિશેષ કૃપાની પ્રાપ્તિ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ગુરુવાર, પૂનમ તેમજ દત્ત જયંતીના અવસરે પ્રભુ દત્તના પૂજનનો સવિશેષ મહિમા છે. આ દિવસો દત્તાત્રેયની કૃપાને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ મનાય છે. વળી, પ્રભુ દત્તની ઉપાસના શીઘ્ર ફળ પ્રદાન કરનારી પણ છે. ત્યારે આજે વાત કરીએ કેટલાંક એવાં સરળ દત્ત મંત્રની કે જે ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરનારા મનાય છે.

ગુરુ દત્તાત્રેયનો મહામંત્ર

“દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા”

તાંત્રોક્ત દત્તાત્રેય મંત્ર

“ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ।”

દત્ત ગાયત્રી મંત્ર

“ૐ દિગંબરાય વિદ્મહે અવધૂતાય ધીમહિ તન્નો દતઃ પ્રચોદયાત ।”

મંત્રજાપના નિયમ

⦁ દત્ત મંત્રના જાપ વહેલી સવારે કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.  સવારે શક્ય ન હોય તો સંધ્યા સમયે પણ આ મંત્રજાપ કરી શકાય.

⦁ જો તમે સંધ્યા સમયે મંત્રજાપ કરવા માંગતા હોવ તો તે પૂર્વે પુનઃ સ્નાન કરી લેવું જોઈએ.

⦁ એક સ્વચ્છ આસન પર બિરાજમાન થઈ મનમાં પ્રભુ દત્તનું સ્મરણ કરવું. અને પછી મંત્રજાપનો પ્રારંભ કરવો.

⦁ શક્ય હોય ત્યાં સુધી દત્તાત્રેયના મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવો જોઈએ.

⦁ નિત્ય જ મંત્રની એક માળા કરવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછો 108 વખત મંત્રનો જાપ કરો ત્યારે તે ફળદાયી બને છે.

⦁ જો દરરોજ શક્ય ન હોય તો પણ દર ગુરુવારે આ ક્રમ જળવાયેલો રહે તો પણ પ્રભુની કૃપા ભક્તો પર ઉતરતી હોય છે.

મંત્રજાપના લાભ

⦁ માન્યતા અનુસાર દત્ત મંત્રના જાપથી વ્યક્તિના જીવનના સઘળા કષ્ટ નષ્ટ થઈ જાય છે.

⦁ શારીરિક રોગોથી વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ થાય છે.

⦁ દત્ત મંત્રના જાપથી વ્યક્તિને આંતરિક શાંતિની અનુભૂતિ થાય છે. અને તેની વિચારધારા પણ સકારાત્મક બને છે. જેનાથી તે વધુ સકારાત્મક બાબતોને જીવનમાં આકર્ષે છે.

⦁ પિતૃઓની કૃપા પ્રાપ્તિ અર્થે પણ દત્ત મંત્ર સર્વોત્તમ મનાય છે.

⦁ કહે છે કે આસ્થા સાથે દત્ત મંત્રના જાપ કરવાથી પિતૃદોષ સંબંધી સમસ્યાઓથી જાતકને મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ માતાને કોણે અને શા માટે આપ્યું ખોડલ નામ ? જાણો રસપ્રદ ગાથા

આ પણ વાંચોઃ અત્યંત સરળ ઉપાય દ્વારા ભાગ્યોદય આડેના અવરોધો થશે દૂર ! જાણો મનશાપૂર્તિ સાંઈમંત્ર !

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">