AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champa Shashti 2022: આ વ્રત ભગવાન કાર્તિકેયને સમર્પિત છે, દેવોના સેનાપતિને કેવી રીતે પ્રસન્ન કરવા જાણો..

Champa Shashti 2022: આ તહેવાર ભોલેનાથના અવતાર ખંડોબાને સમર્પિત છે. આ દિવસે મહાદેવના માર્કંડેય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે ચંપા ષષ્ઠી 29 નવેમ્બર મંગળવારના રોજ પડી રહી છે. આ દિવસે ભક્તો ખંડોબાની પૂજા કરે છે.

Champa Shashti 2022: આ વ્રત ભગવાન કાર્તિકેયને સમર્પિત છે, દેવોના સેનાપતિને કેવી રીતે પ્રસન્ન કરવા જાણો..
Champa Shashti
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 9:59 AM
Share

માગસર મહિનામાં શુક્લ પક્ષની છઠ્ઠ તિથિએ ચંપા ષષ્ઠી વ્રત કરવામાં આવે છે. ભગવાન શિવ અને ભગવાન કાર્તિકેયને સમર્પિત આ વ્રતનું પાલન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને કષ્ટો દૂર થાય છે. ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાન કાર્તિકેયે આ દિવસે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો હતો અને આ તિથિએ તેઓ દેવતાઓની સેનાના સેનાપતિ બન્યા હતા. આ કારણથી આ દિવસનું વિશેષ મહત્વ છે. ભગવાન કાર્તિકેયને ચંપાનાં ફૂલ વધુ પ્રિય છે. આ કારણથી આ દિવસને ચંપા ષષ્ઠી કહેવામાં આવે છે. ભગવાન કાર્તિકેય મંગળના સ્વામી છે. મંગળને બળવાન કરવા માટે આ દિવસે ભગવાન કાર્તિકેયનું વ્રત કરવું જોઈએ.

ચંપા ષષ્ઠી પર ભગવાન શિવના ખંડોબા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ખેડૂતો ભગવાન ખંડોબાને તેમના દેવતા તરીકે પૂજે છે. આ દિવસે ભગવાન શિવના માર્કંડેય સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. પૂજામાં શિવલિંગ પર બાજરી, રીંગણ, શેરડી, ફૂલ, અબીલ, બિલીપત્ર વગેરે ચઢાવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાર્તિકેયની પૂજામાં ચંપાનાં ફૂલ ચઢાવવામાં આવે છે. આ વ્રત કરવાથી સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સ્કંદપુરાણ અનુસાર આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવનું ધ્યાન કરો. શિવલિંગ પર દૂધ અને ગંગા જળ ચઢાવો. ફૂલ, અબીલ, બિલીપત્ર અર્પણ કરો. સ્કંદ ષષ્ઠીના દિવસે વ્રત કરનારે દક્ષિણ દિશામાં મુખ રાખીને ભગવાન કાર્તિકેયની પૂજા કરવી જોઈએ. અર્ઘ્યને ઘી, દહીં, પાણી અને ફૂલ ચઢાવવા જોઈએ. રાત્રે જમીન પર સૂવું જોઈએ. આ દિવસે તેલનું સેવન ન કરવું જોઈએ. ચંપા ષષ્ઠીનું વ્રત કરવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

ચંપા ષષ્ઠી 2022 પૂજા મુહૂર્ત

– શુભ સમયઃ સવારે 06.45 મિનિટથી 08.05 મિનિટ સુધી

અમૃત સર્વોત્તમ મુહૂર્ત: તે બપોરે 01.26 મિનિટથી 02.46 મિનિટ સુધી રહેશે.

ચંપા ષષ્ઠી વ્રતનું મહત્વ

આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મહાદેવની પૂજા કરવાથી આપણાં પાપ નષ્ટ થાય છે. ચંપા ષષ્ઠીનું વ્રત કરવાથી સુખ-શાંતિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પાછલા જન્મના પાપ ધોવાઈ જાય છે.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">