Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Vastu Omens: વાસ્તુ સબંધિત આ સંકેતોથી જાણો ઘરમાં થનાર શુકન-અપશુકન

વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ ઈમારત અથવા પ્લોટ વગેરેને લગતા આવા ઘણા સંકેતો પણ જણાવવામાં આવ્યા છે, જેને જોઈને તમે તેને લગતા શુકન અને અપ શુકનોને જાણી શકો છો

Bad Vastu Omens: વાસ્તુ સબંધિત આ સંકેતોથી જાણો ઘરમાં થનાર શુકન-અપશુકન
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:55 AM

Bad Vastu Omens: સુખી જીવન જીવવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા મહત્વના નિયમો જણાવવામાં આવ્યા છે. જેને અનુસરીને, જો આપણે ઘર/મકાન બનાવીએ છીએ, તો તેમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે, જ્યારે તેને અવગણીને, તે ઘરમાં રહેતા લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ ઈમારત અથવા પ્લોટ વગેરેને લગતા આવા ઘણા સંકેતો પણ જણાવવામાં આવ્યા છે, જેને જોઈને તમે તેને લગતા શુકન અને અપ શુકનોને ઓળખી શકો છો. ચાલો જાણીએ વાસ્તુ સાથે જોડાયેલા કેટલાક મહત્વની આવી વાતો-

1 વાસ્તુ અનુસાર, જો કોઈ પણ જમીનમાં ખોદકામ વખતે કોઈ જીવતો સાપ બહાર આવે તો તેને ખરાબ શુકન માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જમીન પરથી જીવતા સાપને છોડવાથી બાંધકામમાં થનાર અકસ્માતની આશંકા આપે છે. આવી સ્થિતિમાં, તે સ્થળે મકાન નિર્માણનું કામ સર્પશાંતિ પછી જ આગળ વધવું જોઈએ.

2 વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ જમીન ખોદતી વખતે ત્યાં હાડકાં કે ભસ્મ બહાર આવે છે, તો ત્યાં પણ, કોઈ પણ કામ શાંત પૂજન વગેરે કર્યા પછી જ આગળ વધવું જોઈએ.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

3 વાસ્તુ નિયમો અનુસાર, વધુ ખડકાળ જમીન પર બનેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને ઘણીવાર કોઈ ને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

4 વાસ્તુ અનુસાર, જે ઘરમાં કાળી કીડીઓ ફર્યા કરે છે, ત્યાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ જો લાલ કીડીઓ આ રીતે રખડતી હોય તો કોઈ મોટું નુકશાન કે મુશ્કેલી થવાની પૂરેપૂરી શક્યતા છે.

5 વાસ્તુ અનુસાર, જો કોઈ જમીન અથવા મકાનનો વિસ્તાર ચોરસ અથવા લંબચોરસ હોય, તો તે શુભ છે. બીજી બાજુ, જો પ્લોટ કુટિલ, ત્રિકોણાકાર અથવા અસામાન્ય હોય, તો ઘર રહેવાસીઓને મોટી મુશ્કેલી આપે છે.

6 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશામાં વધુ ખુલ્લી જગ્યા હોવી ખૂબ જ શુભ છે.

7 વાસ્તુ અનુસાર ઘરની મધ્યમાં મોટો ખાડો હોવો અથવા ઘણું વજન હોવું અથવા વધારે ગંદકી રાખવી ઘરના વડા માટે હાનિકારક છે. જો આવું થાય તો આ તમામ વાસ્તુ દોષો જલ્દી દૂર કરવા જોઈએ.

8 વાસ્તુ અનુસાર જો કોઈ ઘરમાં કાળા ઉંદરોની સંખ્યા અચાનક વધી જાય તો તે અચાનક આફતની નિશાની છે.

નોંધ: અહી આપવમાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: CNG Price Hike: સામાન્ય માણસને ઝટકો! 9 વર્ષમાં સૌથી મોંઘું CNG, જાણો હવે શું મોંઘુ થશે?

આ પણ વાંચો: IPL 2021: રોહિત શર્મા અને ઋષભ પતં વચ્ચે જામશે ટક્કર, પ્લેઓફમાં પહોંચવા મરણીયા મુંબઇની મેચ જબરદસ્ત રહેશે

g clip-path="url(#clip0_868_265)">