AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: શું લગ્ન જીવનમાં આવી રહી છે મુશ્કેલીઓ  ? તો ગુરુવારે અચૂક  કરો આ લાભકારી ઉપાય, આર્થિક સ્થિતિ પણ લાગશે સુધરવા

ગુરુવારનો દિવસ ભગવાન નારાયણને સમર્પિત છે. આવી સ્થિતિમાં જેમનો ગુરુ ગ્રહ નબળો હોય તેમણે ગુરુવારે માતા લક્ષ્મીની સાથે ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ

Astrology: શું લગ્ન જીવનમાં આવી રહી છે મુશ્કેલીઓ  ? તો ગુરુવારે અચૂક  કરો આ લાભકારી ઉપાય, આર્થિક સ્થિતિ પણ લાગશે સુધરવા
ગુરુવારનો દિવસ ભગવાન નારાયણને સમર્પિત છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 11:45 PM
Share

Astrology: બૃહસ્પતિને દેવ ગુરુ કહેવામાં આવે છે. તેમજ ગુરુ નવ ગ્રહોમાંનો એક છે. એવું કહેવાય છે કે જો તમારા લગ્નજીવનમાં વારંવાર અડચણો આવી રહી હોય, પૈસાની કટોકટી તમને પરેશાન કરી રહી હોય, શિક્ષણમાં અડચણ આવી રહી હોય અથવા વારંવાર પ્રયત્નો કર્યા પછી પણ તમને સફળતા ન મળી રહી હોય, તો તમારી કુંડળી (Kundali) માં ગુરુની સ્થિતિ જરુર જોવી જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુને ખૂબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે.

જો ગુરુ નબળો હોય તો વ્યક્તિના જીવનમાં ઉથલપાથલ આવે છે. જો તમે પણ ઉપરોક્ત કોઈપણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે ગુરુવારે ગુરુ ગ્રહ સાથે સંબંધિત કેટલાક ઉપાય અવશ્ય કરવા જોઈએ. અહીં જાણો આ ઉપાયો વિશે (Thursday Remedies).

શ્રી નારાયણ અને માતા લક્ષ્મીની પૂજા કરો જ્યોતિષશાસ્ત્રી ડૉ.અરવિંદ મિશ્રા અનુસાર ગુરુવારનો દિવસ ભગવાન નારાયણને સમર્પિત છે. આવી સ્થિતિમાં જેમનો ગુરુ ગ્રહ નબળો હોય તેમણે ગુરુવારે માતા લક્ષ્મીની સાથે ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. પૂજા સમયે પીળા વસ્ત્રો પહેરો અને નારાયણને ગોળ અને ચણા અર્પણ કરો.

પીળા ફૂલ, પીળા વસ્ત્ર અને પીળા ચંદન અર્પણ કરો. જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને સાંજે મીઠાઈ ખાઈને ઉપવાસ તોડો. જો તમે વ્રત ન રાખી શકો તો પૂજા કર્યા પછી ગુરુવારની વ્રત કથા અવશ્ય વાંચવી અથવા સાંભળવી. કેળાના ઝાડની પૂજા કરો અને પાણી આપો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ગુરુની સ્થિતિ મજબૂત થાય છે અને લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. તેની સાથે જ ગુરુ ગ્રહ સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

આ ઉપાયો પણ ખૂબ જ ઉપયોગી છે દર ગુરુવારે સ્નાન કરતા પહેલા તમારા પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો.

– ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠો. સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ચણાના લોટમાંથી બનાવેલી કોઈપણ મીઠાઈ ચઢાવો.

ગુરુવારે પીળી વસ્તુઓ જેવી કે ચણાની દાળ, હળદર, ચણાનો લોટ, સોનું વગેરેનું દાન કરો. તેમજ દર ગુરુવારે કણકમાં ગોળ અને ચણા રાખીને ગાયને ખવડાવો.

ગુરુવારે આ દિવસે જો કોઈ વ્યક્તિ પૈસા માંગવા આવે તો પૈસા આપવાનું ટાળો. આ દિવસે વાળ ન કાપવા, ધોવા નહીં, નખ કાપવા નહીં વગેરે.

ગુરુવારે તમારે ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. તમે અહીં જણાવેલ કેટલાક મંત્રોમાંથી મંત્ર પસંદ કરી શકો છો

ॐ बृं बृहस्पतये नमः

ॐ ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम:

ॐ ऐं श्रीं बृहस्पतये नम:

ॐ गुं गुरवे नम:

ॐ क्लीं बृहस्पतये नम:

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: UP: ઉત્તર પ્રદેશમાં જીવતી ગાયો જમીનમાં દાટી દેવાનો મામલો આવ્યો સામે, જુઓ સત્તાવાર રિપોર્ટમાં શું થયો ખુલાસો

આ પણ વાંચો: CDS બિપિન રાવતના નિધનને કારણે સોનિયા ગાંધી નહીં ઉજવે તેમનો જન્મદિવસ, કાર્યકરોને પણ ઉજવણી ન કરવાની કરી અપીલ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">