AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal Kundli: અરવિંદ કેજરીવાલની કુંડળીમા કયા ગ્રહોની બદલાયેલી ચાલે અસર બતાડવાની શરૂ કરી? શું ફરી જવું પડશે જેલ

Arvind Kejriwal Kundli Analysis: દિલ્હીમાં આપ હારી છે, કેજરીવાલની પણ કારમી હાર થઇ છે. કેજરીવાલ આ દિવસોમાં કથીત દારૂના કૌભાંડમાં ફસાયેલા છે અને તેમની ધરપકડ કરવામાં આવી હતી, ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રો શું સંકેત આપી રહ્યા છે.

Arvind Kejriwal Kundli: અરવિંદ કેજરીવાલની કુંડળીમા કયા ગ્રહોની બદલાયેલી ચાલે અસર બતાડવાની શરૂ કરી? શું ફરી જવું પડશે જેલ
Arvind Kejriwal Kundli
| Updated on: Feb 08, 2025 | 1:28 PM
Share

દિલ્હીમાં આમઆદમી પાર્ટીના હારના સંકેત મળી રહ્યા છે.  એક તરફ પૂર્વ સીએમ કેજરીવાલ પણ હાલ જીતથી દુર છે,  કેજરીવાલ આ દિવસોમાં કથીત દારૂના કૌભાંડમાં ફસાયેલા છે , દિલ્હીની જનતા હવે આપ પર ભરોસો ગુમાવી રહિ છે, ત્યારે  ચાલો જાણીએ કે અરવિંદ કેજરીવાલની કુંડળીમાં હાજર ગ્રહો અને નક્ષત્રો શું સંકેત આપી રહ્યા છે.

રાજનીતિમાં સફળ થવા માટે કર્ક અને સિંહ રાશિ, ગુરુ અને શનિનું મજબૂત હોવું જરૂરી છે. વાસ્તવમાં, ચંદ્ર રાણી છે અને સૂર્ય રાજા છે, તેથી જ્યારે સૂર્ય, ગુરુ અને શનિ આ રાશિઓ સાથે સંબંધિત હોય છે, તે વ્યક્તિને નેતા બનવામાં મદદ કરે છે. તેમની કુંડળીમાં સિંહ રાશિના ચોથા ભાવમાં લગ્નેશ, ધનેશ અને લાભેશનો સંયોગ છે.

ગુરુ કેન્દ્ર સ્થાને બેઠેલા હોવાને કારણે આ રાજયોગમાં વધુ શુભફળ આવે છે. આ ત્રણ ગ્રહોનો પ્રભાવ દસમા ભાવ પર આવી રહ્યો છે. સાથે જ ત્રીજા ભાવમાંથી મંગળનું પાસુ પણ દસમા ભાવમાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલ વિસ્તરણવાદની નીતિ અપનાવી રહ્યા છે. અહીં એ પણ નોંધનીય છે કે મંગળ અને ચંદ્રનો રાશિ પરિવર્તન એ રાજયોગ છે, જેને મહર્ષિ પરાશરે સૌથી શક્તિશાળી રાજયોગ કહ્યો છે.

અહીં, મંગળ ચંદ્રની રાશિમાં બેઠો છે અને તે દુર્બળ બની રહ્યો છે, તે જ ચંદ્ર મંગળની રાશિ મેષમાં બેસીને નીચ ભંગ રાજયોગ બનાવી રહ્યો છે. આ કારણે રાજકારણમાં તેમનો પરાક્રમ સતત વધ્યો. રાજકારણમાં, ચોથા ઘરના ગુરુ શુક્ર અને બુધ જેવા 3 શુભ ગ્રહો સાથે યુતી હોવાને કારણે જાહેર પરિબળ તેમને સારી બહુમતી સાથે વિજયી બન્યા. પાંચમા ભાવમાં કેતુ અને લાભકારી ભાવમાં રાહુના કારણે તેમને પોતાના જ લોકો તરફથી બદનામીનો સામનો કરવો પડે છે.

અહીં, દસમા ઘરનો સ્વામી શનિ, 12માં ભાવમાં કમજોર અવસ્થામાં બિરાજમાન છે અને તે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટી કરી રહ્યા છે, આ એ સંકેત છે કે વ્યક્તિ પોતાનું કામ છોડીને કોઈ મોટા આંદોલનનો ભાગ બની શકે છે. દસમા ઘર અને દશમા સ્વામી બંને પર ગુરૂની દ્રષ્ટિ હોવાથી વ્યક્તિને લોકોનો સહયોગ મળે.ત્રીજા ભાવમાં સૌથી નીચના મંગળ પર રાહુના દ્રષ્ટીને કારણે તેમના પર મોટા દોષ લાગે, કોર્ટ કેસમાં ફસાય આવી સ્થિતી બને.વર્ષ 2010 થી, જ્યારે ગુરુની મહાદશા આવી છે, તેણે જબરદસ્ત સફળતા મળી.

હાલ તેમની કુંડળીમાં અષ્ટમેષની ગુરૂની દશા ચાલી રહી છે, જે ચિંતાનું કારણ બને, રાહુ આકસ્મિકતાના કારક છે રાહુના અંતરને કારણે તેમના પર રાજનૌતિક બદનામી થાય એમ પણ બને.

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">