AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય તૃતીયા 2025 : પૂજાવિધિ, શુભ સમય અને શુભ ખરીદી વિશે સંપૂર્ણ માહિતી

અક્ષય તૃતીયાના દિવસે ઘણા લોકો માં લક્ષ્મીની પૂજા કરે છે અને શુભ મુહૂર્ત જોઈને સોના ચાંદીની ખરીદી કરે છે. એવામાં ચાલો જાણીએ કે, આ વખતે કયા સમયે માં લક્ષ્મીની પૂજા કરવી અને કયા સમયગાળે સોના ચાંદી ખરીદવું.

અક્ષય તૃતીયા 2025 : પૂજાવિધિ, શુભ સમય અને શુભ ખરીદી વિશે સંપૂર્ણ માહિતી
| Updated on: Apr 29, 2025 | 4:57 PM
Share

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. આ કારણોસર આ પવિત્ર દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા ખૂબ જ શુભ તિથિ માનવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર, સત્ય યુગ, ત્રેતા યુગ અને દ્વાપર યુગ જેવા મહાન યુગોનો પ્રારંભ આ દિવસથી થયો હતો. અક્ષય તૃતીયાને ‘યુગદી તિથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અક્ષય તૃતીયા 2025: કઈ વસ્તુઓ ખરીદવી શુભ મનાય?

અક્ષય તૃતીયાના દિવસે માત્ર સોનું અને ચાંદી જ નહીં, પણ બીજી ઘણી વસ્તુઓ તમે ખરીદી શકો છો. જો તમે સોનું કે ચાંદી ખરીદી શકતા નથી, તો તમે પીળી સરસવ, જવ, કપાસ, માટીના વાસણો અથવા તો પિત્તળ અને તાંબાના વાસણો પણ ખરીદી શકો છો. આ પવિત્ર વસ્તુઓ ખરીદવાથી જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.

30 એપ્રિલ 2025ના રોજ સોનું અને ચાંદી ખરીદવાનો યોગ્ય સમય?

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો સમય સવારે 05:41 થી બપોરે 02:12 સુધીનો છે. શુભ ચૌઘડિયા મુહૂર્ત સવારે 05:41 થી 09:00 અને પછી સવારે 10:39 થી 12:18 વાગ્યા સુધી રહેશે.

અક્ષય તૃતીયા 2025 પૂજાવિધિનો શુભ સમય?

વૈશાખ શુક્લ તૃતીયાના શુભ અવસર પર પૂજાનો શુભ સમય 30 એપ્રિલ 2025ના રોજ સવારે 05:41 થી બપોરે 12:18 વાગ્યા સુધી રહેશે. આ શુભ સમયમાં દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને કુબેરની યોગ્ય રીતે પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. આ સમયગાળા દરમિયાન સોનું, ચાંદી, જમીન, વાહન અને અન્ય શુભ વસ્તુઓ ખરીદવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે.

શું તમે આજે પણ ‘સોનું’ ખરીદી શકો છો?

આજે 29 એપ્રિલ 2025ના રોજ પણ તમે સોનું ખરીદી શકો છો. તૃતીયા તિથિ 29 એપ્રિલના રોજ સાંજે 5:31 વાગ્યાથી શરૂ થશે, જે ખરીદી માટે શુભનો સમય માનવામાં આવી રહ્યો છે. 29 એપ્રિલ 2025ના રોજ સોનું ખરીદવા માટેનો શુભ સમય સાંજે 5:31 થી 30 એપ્રિલ સવારે 5:41 વાગ્યા સુધીનો છે. આ સિવાય 30 એપ્રિલ, 2025ના રોજ સોનું ખરીદવાનું મુહૂર્ત સવારે 06:11 થી બપોરે 02:12 વાગ્યા સુધીનું છે.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">