AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: 20 ફેબ્રુઆરી પછી ગુરુ થશે અસ્ત, લગભગ દોઢ મહિના સુધી લગ્ન પર લાગશે અલ્પવિરામ

કોઈપણ શુભ કાર્ય માટે દેવગુરુ બૃહસ્પતિનો ઉદય ખૂબ જ મહત્વપૂર્ણ છે. 24 ફેબ્રુઆરીથી ગુરુ અસ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લગ્ન, સગાઈ અને અન્ય શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે.

Bhakti: 20 ફેબ્રુઆરી પછી ગુરુ થશે અસ્ત, લગભગ દોઢ મહિના સુધી લગ્ન પર લાગશે અલ્પવિરામ
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 11:41 PM
Share

મકર સંક્રાંતિ પછી શરૂ થયેલા શુભ કાર્યો હવે થોડા સમય માટે વિરામ લેવા જઈ રહ્યા છે. હવે ફેબ્રુઆરીમાં લગ્ન માટે માત્ર ત્રણ જ શુભ મુહૂર્ત (Shubh Muhurt ) બાકી છે, જે 18, 19 અને 20 ફેબ્રુઆરી સુધી છે. આ પછી લગભગ દોઢ મહિના સુધી લગ્ન અને ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ સહિતના અન્ય શુભ કાર્યો પર રોક લાગશે કારણ કે 24 ફેબ્રુઆરીથી ગુરુ અસ્ત કરશે. દેવગુરુ બૃહસ્પતિ (Devguru Brihaspati) ને લગ્ન સહિત કોઈપણ શુભ કાર્યનો કારક માનવામાં આવે છે. આ કાર્યોને પૂર્ણ કરવા માટે ગુરુનો ઉદય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પછી, 15 એપ્રિલ પછી જ ફરીથી શુભ કાર્યો શરૂ થશે.

24 માર્ચ સુધી અસ્ત રહેશે ગુરુ

દેવગુરુ બૃહસ્પતિ 24 ફેબ્રુઆરીથી 24 માર્ચ સુધી અસ્ત થશે. આ એક મહિનામાં કોઈ શુભ કાર્ય થશે નહીં. હોલાષ્ટક થશે અને 15 એપ્રિલ સુધી તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે. 4 માર્ચે જ ફૂલેરા દૂજ હોવાને કારણે તમે તે દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. ફુલેરા દૂજને અબુજા મુહૂર્ત માનવામાં આવે છે. આ દિવસે તમે કોઈપણ જ્યોતિષની સલાહ લીધા વિના કોઈપણ શુભ કાર્ય કરી શકો છો.

ગ્રહ કેવી રીતે થાય છે અસ્ત

તમને જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરી, 2022ની સવારે સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં બદલાઈ ગયો છે. કુંભમાં ગુરુ પહેલેથી જ હાજર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય કોઈ ગ્રહની નજીક આવે છે, ત્યારે તે ગ્રહની શક્તિઓ નબળી પડવા લાગે છે, તેને ગ્રહનું અસ્ત થવું કહેવાય છે. આ રીતે ગુરુ બૃહસ્પતિ પણ સૂર્યના નજીક આવવાથી અસ્ત થશે. શાસ્ત્રોમાં ગુરુને શુભ કાર્યોનું પ્રતિક માનવામાં આવે છે, તેથી તેઓ અસ્ત થતાં જ શુભ કાર્યો બંધ થઈ જાય છે.

ધન અને મીન રાશિનો સ્વામી છે ગુરુ

દેવગુરુને ધન અને મીન રાશિનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે ગુરુ અસ્ત થાય છે, ત્યારે તેની આ રાશિઓ પર વિપરીત અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોએ પ્રતિકૂળ અસરોથી બચવા માટે ગુરુ સંબંધિત ઉપાયો કરવા જોઈએ. દરમિયાન, ગુરુવારે ઉપવાસ રાખો. કણકમાં ચણાની દાળ, ગોળ નાખી થોડી હળદર નાખીને ગાયને ખવડાવો. ગાયની સેવા કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Birthplace of Lord Hanuman: જાણો ક્યાં થયો હતો હનુમાનજીનો જન્મ, અહી સ્થાપિત થશે બજરંગબલીની 30 ફૂટ ઊંચી પ્રતિમા

આ પણ વાંચો: Maha Shivratri 2022: મહાદેવને અતિ પ્રિય છે આ વસ્તુ, મહાશિવરાત્રિના દિવસે કરો અર્પણ, ભોલેનાથ થશે પ્રસન્ન

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">