વૈદિક કેલેન્ડર મુજબ દરેક ગ્રહ ચોક્કસ સમયગાળામાં પોતાની રાશિ બદલે છે અને તેની સીધી અસર માનવ જીવન પર પડે છે. આ સાથે આ પરિવર્તન કેટલાક માટે શુભ અને કેટલાક માટે અશુભ રહે છે. તમને જણાવી દઈએ કે વૈભવ અને સંપત્તિનો કારક શુક્ર 31 માર્ચે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. કુંભ રાશિ પર શનિદેવનું શાસન છે અને જ્યોતિષશાસ્ત્ર (Astrology) અનુસાર શનિદેવ અને શુક્ર (venus) વચ્ચે મિત્રતાની ભાવના છે. આથી જ્યોતિષની દૃષ્ટિએ આ ગોચર મહત્વપૂર્ણ છે. ઉપરાંત, તે તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેને આ ગોચર થી વિશેષ લાભ મળી શકે છે. ચાલો જાણીએ આ 3 રાશિઓ કઈ છે.
મેષઃ– મેષ રાશિના જાતકોને કુંભ રાશિમાં શુક્રના ગોચરથી લાભ થઈ શકે છે. કારણ કે શુક્ર તમારા 11મા ભાવમાં ભ્રમણ કરશે, જે આવક અને લાભનું સ્થાન કહેવાય છે. તેથી આ તમારી આવકમાં વધારો કરી શકે છે. વેપારમાં સારો ફાયદો થઈ શકે છે. તેમજ પ્રોપર્ટી અને વાહન સંબંધિત લેવડ-દેવડમાં લાભ થઈ શકે છે. આ સાથે શુક્ર ગ્રહ તમારા બીજા અને સાતમા ઘરનો સ્વામી છે. તેથી, આ સમયે તમને ભાગીદારીના કામમાં લાભ મળી શકે છે. ઉપરાંત, જો પૈસા ક્યાંક અટવાયેલા હોય, તો તે મેળવી શકાય છે.
મકર: શુક્ર તમારી રાશિથી બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેને ધન, પરિવાર અને વાણીનું ઘર કહેવામાં આવે છે. તેથી, આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. કરિયર અને બિઝનેસમાં અણધારી સફળતા મળી શકે છે. નવા વેપારી સંબંધો પણ બની શકે છે. જ્યારે જે લોકોની કારકિર્દી વાણી સાથે જોડાયેલી હોય છે. મતલબ જેઓ માર્કેટિંગ અને વકીલ, શિક્ષકના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ સમય દરમિયાન તેમને ફાયદો થઈ શકે છે. બીજી તરફ, શનિ મકર રાશિના સ્વામી છે અને શુક્ર અને શનિ વચ્ચે મિત્રતાની ભાવના છે. તેથી, આ સંક્રમણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે.
કુંભ: શુક્રનું ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર તમારા કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી છે. જેને સુખ ભાવ અને નવમભાવ પણ કહેવામાં આવે છે. તેથી આ સમયે તમને વાહન અને સંપત્તિનું સુખ મળી શકે છે. સાથે જ તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. આ ગોચર સમયગાળા દરમિયાન, શુક્ર કુંભ રાશિના લગ્ન ભાવમાં બીરાજમાન છે. તેથી, આ સમયે કાર્યસ્થળ પર અધિકારીઓ તમારા માટે અનુકૂળ રહેશે. આ સમયે તમારી નાણાકીય બાજુ પણ મજબૂત રહેશે. પ્રોપર્ટી ડીલર્સ, રિયલ એસ્ટેટ એજન્ટ, ટ્રાવેલ એજન્ટ અને ઓટોમોબાઈલ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આ સમયે વિશેષ લાભ મળી શકે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Jammu Kashmir: CRPF કેમ્પ ઉપર બુરખાધારી મહિલાએ ફેક્યો પેટ્રોલ બોમ્બ, જુઓ વીડિયો
આ પણ વાંચો :યુક્રેન-રશિયા યુદ્ધ પર મમતા બેનર્જીએ એવુ તે શું કહ્યું કે હંગામો મચી ગયો, જુઓ VIDEO