કાર ચાલકો માટે મોટા સમાચાર, નીતિન ગડકરીનું નિવેદન, 6 એરબેગ્સ ફરજીયાત બનાવવાની તૈયારી

અકસ્માતમાં મૃત્યુને અંકુશમાં લેવા માટે સરકાર સુરક્ષાના ધોરણોને સતત અપગ્રેડ કરી રહી છે. આ અંગે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં 6 એરબેગ્સ ફરજિયાત કરવા જઈ રહી છે.

કાર ચાલકો માટે મોટા સમાચાર, નીતિન ગડકરીનું નિવેદન, 6 એરબેગ્સ ફરજીયાત બનાવવાની તૈયારી
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 2:18 PM

અકસ્માતમાં મૃત્યુને અંકુશમાં લેવા માટે સરકાર સુરક્ષાના ધોરણોને સતત અપગ્રેડ કરી રહી છે. આ અંગે પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં 6 એરબેગ્સ ફરજિયાત કરવા જઈ રહી છે. આ દરેક વાહન માટે જરૂરી રહેશે. તાજેતરમાં લોકસભામાં બોલતા પરિવહન મંત્રીએ કહ્યું હતું કે, અમે તમામ વાહનો માટે 6 એરબેગ ફરજિયાત બનાવી છે. આ નિયમ 8 સીટર સુધીના વાહનો માટે લાગુ પડશે. વાહનનું મોડેલ શું છે અને તે કયા સેગમેન્ટનું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. સરકારની પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા છે.

હાલમાં, 6 એરબેગ્સની જરૂરિયાત અંગે પેપરવર્ક કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં, પરિવહન વિભાગ દ્વારા જાન્યુઆરી 2022 માં એક ડ્રાફ્ટ સૂચના જાહેર કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે 1 ઓક્ટોબર, 2022થી 6 એરબેગ્સનો નિયમ લાગુ થઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તેનાથી કારની કિંમતમાં થશે વધારો?

લોકસભામાં પોતાના સંબોધનમાં ગડકરીએ કહ્યું કે, હું જાણું છું કે 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાથી વાહનની કિંમતમાં વધારો થશે. કાર કંપનીઓ આ માટે સહેલાઈથી સંમત થશે નહીં. કારની કિંમત વધશે તો વેચાણ ઘટશે. આવી સ્થિતિમાં ઉત્પાદકો નથી ઈચ્છતા કે હાલમાં 6 એરબેગ્સનો નિયમ લાગુ કરવામાં આવે. ઓટો સેક્ટર પહેલેથી જ ચિપ સંકટથી પરેશાન છે. એવું માનવામાં આવે છે કે, વધારાની એરબેગને કારણે કિંમતમાં ઓછામાં ઓછા 50 હજાર રૂપિયાનો વધારો થશે. હાલમાં જે કારમાં 6 એરબેગ્સ છે તેની કિંમત ઓછામાં ઓછી 10 લાખ રૂપિયા છે.

હાઈડ્રોજનથી ચાલતી કારમાં સંસદ પહોંચ્યા નીતિન ગડકરી

ભારતમાં કાર અને અન્ય વાહનોથી થતા વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી એક પ્રયાસ હાઇડ્રોજન ઇંધણ પર ચાલતી કારમાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્રીન હાઈડ્રોજન ઈંધણ પર ચાલતી આવી જ એક કારની મદદથી કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી સંસદ પહોંચ્યા હતા. આ કારનું નામ Toyota Mirai (2022 Toyota Mirai) છે. ટોયોટાએ આ કારને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરી છે અને તેમાં એડવાન્સ ફ્યુઅલ સેલ સિસ્ટમ લગાવી છે.

આ સિસ્ટમ સેલ ઓક્સિજન અને હાઇડ્રોજનનું મિશ્રણ કરીને ખાસ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીની મદદથી કાર રસ્તા પર ચાલે છે. જેની મદદથી નીતિન ગડકરી બુધવારે સંસદમાં પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કારમાંથી માત્ર પાણી જ ઉત્સર્જનના રૂપમાં નીકળે છે.

આ પણ વાંચો: RBI Recruitment 2022: ભારતીય રિઝર્વ બેંક ઘણી જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: Maharashtra Schools: રજાઓ રદ થતાં નિરાશ થયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જો અભ્યાસક્રમ પૂરો નહીં થાય તો જ એપ્રિલમાં શાળાઓ રહેશે શરૂ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">