AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2023: એક મંત્ર અપાવશે સંપત્તિ અપાર, મહાશિવરાત્રીએ ભૂલ્યા વિના કરી લો જાપ !

શિવરાત્રિ એટલે શિવની રાત અથવા તો શિવની મહાન રાત, મહાશિવરાત્રિ (Mahashivratri) ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જે જાતક સાચા મનથી શિવની ભક્તિ કરે છે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે અને તેની સૂતેલી કિસ્મત જાગી જાય છે તેમજ તેના ઘરમાં રહેલ વાસ્તુદોષનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

Mahashivratri 2023: એક મંત્ર અપાવશે સંપત્તિ અપાર, મહાશિવરાત્રીએ ભૂલ્યા વિના કરી લો જાપ !
Mahashivratri
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:33 AM
Share

આજે મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવશે. શિવજીએ કુબેર દેવને વરદાન આપ્યું હતું કે જે ભક્ત કુબેર દેવની પૂજા કરશે તેની પર અપાર ધનની વર્ષા થશે. મહાશિવરાત્રિના વ્રતથી ધન, સુખ, વૈભવની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે મહાશિવરાત્રિ પર કેટલાક ખાસ ઉપાયો કરવાથી કુબેર દેવતા ખૂબ જ પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

કુબેરદેવ અને શિવજીનો સંબંધ

સંહારના દેવતા ભોલેનાથને દેવોના દેવ કહેવાય છે. એવી જ રીતે ધનના રાજા કુબેર માનવામાં આવે છે. કુબેર સુખ-સમૃદ્ધિ અને ધનના દેવતા છે. જીવનમાં દરેક લોકો કુબેર દેવતાના આર્શીવાદ મેળવવા માંગે છે. જો કે કુબેર દેવતા શિવજીના પરમ ભક્ત છે. ભગવાન શિવની કૃપાથી જ કુબેર ધનપતિ કહેવાયા છે. પૌરાણિક કથા અનુસાર શિવજીએ જ વરદાન આપ્યું હતું કે કુબેર દેવની પૂજા કરવાથી ધન અને વૈભવની વર્ષા થશે. મહાશિવરાત્રિના પર્વ પર કુબેર મંત્રનો જાપ કરવાથી ભોળાનાથની સાથે કુબેર દેવતા પણ મહેરબાન થશે.

ધનલાભ અર્થે પૂજાવિધિ

⦁ મહાશિવરાત્રિએ સ્નાન કરીને સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો.

⦁ ૐ શ્રીં, ૐ શ્રીં, ૐ હ્રીં શ્રીં ક્લીં વિત્તેશ્વરાયઃ નમઃ આ મંત્રના 1008 વાર જાપ કરો.

⦁ આ મંત્રના ઉચ્ચારણ કરતા સમયે તમે બીલીના વૃક્ષની આસપાસ બેસવાથી તેનો પ્રભાવ ખૂબ થાય છે. ધ્યાન રહે કે મંત્રજાપમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે.

⦁ આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે આ મંત્ર ખૂબ પ્રભાવશાળી બતાવવામાં આવ્યો છે. આ મંત્રના જાપથી ઘરમાંથી દરિદ્રતા જતી રહે છે અને ધનલાભ થાય છે.

⦁ ધન અને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી ત્રસ્ત લોકોએ 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઇએ.

મહાશિવરાત્રનું મહત્વ

મહાશિવરાત્રિમાં મહાનો અર્થ થાય છે મહાન. શિવરાત્રિ એટલે શિવની રાત અથવા તો શિવની મહાન રાત, મહાશિવરાત્રિ ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે જે જાતક સાચા મનથી શિવની ભક્તિ કરે છે તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે અને તેની સૂતેલી કિસ્મત જાગી જાય છે તેમજ તેના ઘરમાં રહેલ વાસ્તુદોષનો અશુભ પ્રભાવ દૂર થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">