AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ત્રણ બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર, અન્ય બેંકના ATMમાંથી ગમે એટલી વાર ઉપાડી શકશો પૈસા, નહીં લાગે કોઈ ચાર્જ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં ગ્રાહકોની ફ્રી મર્યાદા પૂરી થયા પછી બેન્કોને એટીએમ ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. દેશમાં ત્રણ ખાનગી બેન્કો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની ( Free ATM Transaction) ઓફર કરી રહી છે.

આ ત્રણ બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર, અન્ય બેંકના ATMમાંથી ગમે એટલી વાર ઉપાડી શકશો પૈસા, નહીં લાગે કોઈ ચાર્જ
આ ત્રણ બેન્કના ગ્રાહકો માટે સારા સમાચાર
Charmi Katira
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:25 PM
Share

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં ગ્રાહકોની ફ્રી મર્યાદા પૂરી થયા પછી બેન્કોને એટીએમ ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ અન્ય બેંકના ATM દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહાર પર એટીએમ ઇન્ટરચેંજ ફી (ATM Interchange Fees)15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરી દીધી છે.

ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શન(Free ATM Transaction) પછી ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા કસ્ટમર ચાર્જીસની મહત્તમ મર્યાદા રૂ 20 થી વધારીને 21 કરવામાં આવી છે. જે બેંકના એટીએમ રોકડ ઉપાડવા માટે વપરાય છે તેને કાર્ડ આપતી બેંક દ્વારા ચુકવણી કરવામાં આવે છે. જ્યારે નોન ફાયનાન્સિયલ એટીએમ ચાર્જ રૂ 5 થી વધારીને 6 કરવામાં આવ્યો છે.

હાલમાં ભારતની મોટાભાગની ખાનગી અને સરકારી બેંકો શહેરો અને નગરોમાં 3 થી 5 નિઃશુલ્ક એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો કે, ગ્રામીણ વિસ્તારોમાં, બેંકો વધારેમાં વધારે 5 મફત એટીએમ ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. જો તમે આ લિમિટ વટાવી લો છો, તો બેન્કો તમને એટીએમ ચાલુ રાખવા માટે ચાર્જ કરે છે. જો કે, કેટલીક એવી બેંકો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાંઝેક્શનની ઓફર કરી રહી છે.

જો કે, દેશમાં ત્રણ ખાનગી બેન્કો છે જે તેમના ગ્રાહકોને અમર્યાદિત ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની ઓફર કરી રહી છે. આ બેંકો ઈન્ડસઇન્ડ બેંક,(IndusInd Bank) આઈડીબીઆઈ બેંક (IDBI Bank) અને સિટી બેંક (Citi Bank)છે.

ચાલો તમને જણાવી દઈએ કે સિટીબેંક ભારતમાં તેની બેન્ક બંધ કરી રહી છે. આઈડીબીઆઈ બેંક અને ઈન્ડસઇન્ડ બેંક તેમના ગ્રાહકોને દેશભરમાં મફત અમર્યાદિત એટીએમ ટ્રાન્ઝેક્શનની ઓફર કરશે.

બેંકબજાર મુજબ, જો તમે આઈડીબીઆઈના ગ્રાહક છો અથવા બેંકમાં ખાતું ખોલવાની યોજના કરી રહ્યા છો, તો તમારે જાણવું જોઈએ કે બેંક તેના એટીએમ પર નિઃશુલ્ક અમર્યાદિત ટ્રાન્ઝેક્શન અને અન્ય બેન્કોના એટીએમ પર ફ્રી લિમિટ 5 છે.

તો ઇન્ડસઇન્ડ બેંક ભારતમાં કોઈપણ બેંકના એટીએમ પર અનલિમિટેડ ફ્રીમાં ટ્રાન્ઝેક્શન આપે છે. બેંકની વેબસાઇટ મુજબ, તમે ભારતના કોઈપણ એટીએમ પર ઇન્ડસઇન્ડ બેંક ડેબિટ કાર્ડ સાથેઅનલિમિટેડ એટીએમમાંથી ફ્રીમાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">