AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Road : રસ્તા પર ચાલતી વખતે આપોઆપ ચાર્જ થશે ઈલેક્ટ્રિક વાહન, આ રાજ્યને મળશે સૌપ્રથમ સુવિધા

કોપર કોઇલ રોડ અને વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજી હાલ વિકાસના તબક્કામાં છે. આ ટેક્નોલોજીનો હાલમાં દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો આના દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને યોગ્ય રીતે ચાર્જ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો થશે. તે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.

Electric Road : રસ્તા પર ચાલતી વખતે આપોઆપ ચાર્જ થશે ઈલેક્ટ્રિક વાહન, આ રાજ્યને મળશે સૌપ્રથમ સુવિધા
Electric Vehicle
| Updated on: Feb 09, 2024 | 6:17 PM
Share

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જો કોઈ તમને કહે કે હવે રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વાહન આપોઆપ ચાર્જ થશે, તો પહેલા તમને તે મજાક લાગશે, પરંતુ આ હકીકત છે.

આજે અમે તમને રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરવાની ટેક્નોલોજીની સંપૂર્ણ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ. અમે એ પણ જણાવીશું કે દેશના કયા રાજ્યમાં આ સુવિધા સૌથી પહેલા શરૂ થવા જઈ રહી છે.

કયા રાજ્યમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે?

રસ્તા પર ચાલતી વખતે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સુવિધા સૌપ્રથમ કેરળમાં શરૂ કરવામાં આવશે. આ માટે કેરળ સરકાર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટમાં કેરળ સરકાર રસ્તાની નીચે તાંબાની કોઇલ નાખશે, જેના દ્વારા વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી ઇલેક્ટ્રિક વાહનો આપમેળે ચાર્જ થઈ જશે.

આ ટેક્નોલોજી ક્યારે શરૂ થશે?

કેરળ સરકારના ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ કે આર જ્યોતિલાલે જણાવ્યું હતું કે આગામી વર્ષથી રાજ્યમાં ડ્રાઇવ એન્ડ ચાર્જ રોડ પ્રોજેક્ટ શરૂ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે કેરળ સરકાર વાહન ટુ ગ્રીડ ટેકનોલોજી પર પણ કામ કરવાની યોજના બનાવી રહી છે.

વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજી કેવી રીતે કામ કરશે?

Fiat અને Peugeot ની પેરન્ટ કંપની Stellantis દ્વારા તાજેતરમાં ઇટલીમાં વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીમાં પાવર ગ્રીડમાંથી રસ્તાની નીચે બિછાવેલી કોપર કોઇલમાં વીજળી ટ્રાન્સફર કરવામાં આવશે. આ કોપર કોઇલ વીજળીથી ચાર્જ રહેશે.

ત્યારે જો કોઈ EV આ રસ્તા પરથી પસાર થાય છે, તો કોપર કોઇલના સંપર્કમાં આવ્યા પછી, તે વાયરલેસ ટેક્નોલોજીની મદદથી આપોઆપ ચાર્જ થઈ જશે. તમને જણાવી દઈએ કે તાંબાની કોઇલ સાથે 1 કિમી રોડ બનાવવા પર 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને પ્રતિ કિમી 48 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. અમેરિકા, જર્મની અને ફ્રાન્સમાં પણ આ ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો TATAનો કમાલ! દેશમાં પહેલીવાર લોન્ચ કરી ઓટોમેટિક CNG કાર, કિંમત બસ આટલી

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">