AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : સ્મશાનમાં યુવાનોનો સેવાયજ્ઞ, કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહોની કરે છે અંતિમવિધી

Jamnagar : જામનગર શહેરની નજીક આવેલા લાખાબાવડ ગામના સોનાપુરી સ્મશાનમાં 15 જેટલા યુવાનો દ્રારા કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને ચિતા ઉપર ગોઠવવા, અગ્નિદાહ આપવા, અસ્થિ કાઢવા સહીતની અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.

Jamnagar : સ્મશાનમાં યુવાનોનો સેવાયજ્ઞ, કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહોની કરે છે અંતિમવિધી
જામનગર નજીકના લાખાબાવડ ગામે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ વિધી કરવાનો યુવાનોનો અનોખો સેવાયજ્ઞ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 24, 2021 | 9:07 PM
Share

કોરોનાની કપરી સ્થિતિમાં અનેક લોકોએ સેવાયજ્ઞ શરુ કર્યા છે. પરંતુ જામનગરની નજીક આવેલા લાખાબાલડ ગામના યુવાનોએ એક અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જામનગર મ્યુનિસિપિલ કોર્પોરેશનના સ્મશાનમાં  કોરોનાથી મૃત્યુ પામેલાઓના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવામાં પારાવાર સમય થતા લાખા બાવડ ગામના સ્મશાનમાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. લાખા બાવડ ગામના યુવાનોએ, સ્મશાનમાં લાકડા લાવવાથી ચિતા ઉપર મૃતદેહ ગોઠવવા, અગ્નિદાહ આપવા, અસ્થિ બહાર કાઢવા સહીતની સેવાકિય પ્રવૃતિ આદરી છે.

કોરોનાની કપરી પરીસ્થિતીમાં માનવતા જીવંત રહી છે, તેમજ વિવિધ પ્રકારની સેવાઓ કરવા સ્વયસેવકો અને દાતાઓ આગળ આવી રહ્યા છે. હાલની સ્થિતીમાં સામાન્ય દિવસો કરતા મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે સ્મશાનગૃહમાં કલાકો સુધી રાહ જોવી પડે તેવી વિકટ પરીસ્થિતીનો હાલ સામનો કરવા મજબુર બન્યા છે.

જામનગર શહેરમાં કાર્યરત બે સ્મશાનમાં જયારે મૃતકોની સંખ્યા વધુ હોય ત્યારે કલાકો ત્યારે અંતિમવિધી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. તેવી સ્થિતીમાં હાલ જામનગર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોના સ્મશાનગૃહમાં અંતિમવિધી કરવામાં આવે છે. જામનગર નજીક આવેલા લાખાબાવડના સોનાપુરી સ્મશાનમાં 15 જેટલા યુવાનો દ્રારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

છેલ્લા 12 દિવસથી અંહી સ્થાનિકોને જામનગર શહેરના 15 સ્વયંસેવકો દ્રારા સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક દાતાની મદદથી લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મૃતકોના પરીવારજનોને મુ્શ્કેલીના સમયે મદદરૂપ થવાના હેતુથી શકય તેટલી મદદ કરવામાં આવે છે.

અંતિમવિધીમાં તમામ કામગીરી યુવાનો દ્રારા કરવામાં આવે છે. હાલની સ્થિતીમાં જીવના જોખમે સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે. લાખાબાવડના સ્મશાનમાં દૈનિક 12થી વધુ મૃતહેહ અંતિમવિધી માટે આવે છે.

જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ આવેલી છે. જેના કારણે અનેક જીલ્લા કે શહેરમાંથી કોરોનાના દર્દીઓ સારવાર માટે જામનગર આવી રહ્યા છે. તો કયારેક સારવાર દરમિયાન દર્દીના મોત થાય તો તેમના પરીવારજનો દ્રારા તેમની અંતિમવિધી અંહી કરવામાં આવે છે. તેવા સમયે તેમને વધુ સમય સુધી પરેશાન ના થાય તે માટે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સેવાકીય યજ્ઞ સ્વયંસેવક યુવાનો દ્રારા કરવામાં આવેલ છે.

હાલ કપરી સ્થિતીમાં આવા સેવાભાવી યુવાનો નિસ્વાર્થ સેવા કરીને મુશકેલીના સમયમાં લોકોને મદદરૂપ થવાનો સહરાનીય પ્રયાસ શરૂ કર્યો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">