AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ચારધામ યાત્રાના બદલાયા નિયમો, 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે લાગુ પડશે નિયમો

જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઉત્તરાખંડ સરકારે હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે.

Uttarakhand: ચારધામ યાત્રાના બદલાયા નિયમો, 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે લાગુ પડશે નિયમો
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 11:14 PM
Share

Uttarakhand: જો તમે ચારધામની યાત્રા પર જવાના હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ઉત્તરાખંડ સરકારે (Government of Uttarakhand) હવે ચારધામની યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો 50 વર્ષથી વધુ વયના લોકોને લાગુ પડશે. 50 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો માટે આરોગ્યની તપાસ ફરજિયાત કરવામાં આવી છે. જે યાત્રાળુઓ તપાસમાં અનફિટ જણાશે તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવશે. યાત્રાળુઓના મોતનો આંકડો વધી રહ્યો હોવાના કારણે આ નિર્ણય લેવાયો છે. કારણ કે, આ વર્ષે ચારધામની યાત્રા દરમિયાન 106 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગ અનુસાર અત્યાર સુધી કેદારનાથમાં 50, બદ્રીનાથ ધામમાં 21, ગંગોત્રીમાં 7 અને યમુનોત્રીમાં 28 યાત્રાળુઓનાં મોત થયા છે. વર્ષ 2019માં 90 યાત્રાળુઓનાં મોત થયા છે. જ્યારે 2018માં 102 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો હતો.

કેદારનાથમાં મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી સિક્સ સિગ્મા હેલ્થકેરના વડા પ્રદીપ ભારદ્વાજ પ્રમાણે, મોટાભાગના મૃત્યું શ્રદ્ધાળુઓની નબળી રોગપ્રતિકારક શક્તિ, પહેલા કોરોના પછી ખરાબ હવામાન અને વધુ શ્રદ્ધાળુઓના કારણે રહેવાની અપૂરતી વ્યવસ્થાને કારણે થઈ રહ્યા છે. ભારદ્વાજનું કહેવું છે કે, મેદાની પ્રદેશોમાંથી આવતા લોકો હિમાલયના ઠંડા હવામાન સાથે તાલમેલ રાખી શકતા નથી. ઊંચાઈ અને ઠંડીના કારણે તેમને વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. એટલું જ નહીં કેટલાક મુસાફરો પુરતા ગરમ કપડા પણ લાવી રહ્યા નથી. જેના કારણે તેમને હાઈપોથર્મિયા થઈ રહ્યો છે.

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">