વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે આપ્યુ મોટુ નિવેદન, કહ્યું હું ક્યારેય રાજનીતિમાં નહીં જાઉ, જુઓ વીડિયો

વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham)ના પ્રમુખ આર.પી. પટેલે પોતાના રાજનીતિમાં જોડાવાને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે તેઓ ક્યારેય રાજનીતિમાં નહીં આવે. સોશિયલ મીડિયા પર તેમના રાજનીતિમાં જવાની ચાલી રહેલી અટકળો વચ્ચે તેમણે આ મોટુ નિવેદન આપ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2022 | 5:57 PM

વિશ્વ ઉમિયાધામ (Vishv Umiyadham)ના પ્રમુખ આર.પી. પટેલે (R P Patel) કહ્યું છે કે હું ક્યારેય રાજનીતિમાં નહીં જાઉ. તેમના રાજનીતિમાં જવાને લઈને સોશિલ મીડિયામાં ચાલી રહેલી અટકળોને પગલે તેમણે આ સ્પષ્ટતા કરી છે. આર.પી. પટેલે વધુમાં કહ્યું હતુ કે જેમને રાજનીતિ કરવી હોય તે સંસ્થાથી દૂર રહે. વિશ્વ ઉમિયાધામ સંસ્થા માત્ર સમાજના ઉત્થાન માટે કાર્યરત છે. સાથે જ આર.પી. પટેલે ચેતવણીના સૂરમાં જણાવ્યુ કે સંસ્થા સાથે જોડાનારા લોકો રાજકીય એજન્ડા સાથે ન આવે અને સંસ્થાને રાજકીય અખાડો ન બનાવે.

શું કહ્યું આર.પી. પટેલે?

આર.પી. પટેલે કહ્યું ” હું ક્યારેય કોઈ પોલિટિકલ હોદ્દાનો ઈચ્છુક નથી, ક્યારેય મને પોલિટિકલ હોદ્દો લઈ અને આ સામાજિક પ્લેટફોર્મ ઉપર એને રાજકીય મહેચ્છાનું સાધન બનાવવાનું કોન્સેપ્ટ ક્યારેય વિચાર્યો નથી અને એના માટે આ સંસ્થામાં જે કોઈ મિત્રો કામ કરે છે એ મિત્રો સ્પષ્ટપણે પોલિટિકલ એજન્ડાને સાઈડમાં રાખીને કામ કરે એવો આગ્રહ રાખવામાં આવે છે.”

આપને જણાવી દઈએ કે અગાઉ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના પણ રાજકારણમાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી હતી. જેમાં નરેશ પટેલે એવુ જણાવ્યુ હતુ કે તેઓ સમાજ કહેશે તે મુજબ નિર્ણય લેશે. તેઓ સર્વે કરાવશે અને જો સમાજની ઈચ્છા હશે તો રાજનીતિમાં જોડાશે. જો કે નરેશ પટેલે અંત સુધી કોઈ પાર્ટીમાં જોડાવાને છે કે નથી જોડાવાના તેને લઈને પત્તા ખોલ્યા ન હતા.  રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ પ્રકારે સામાજિક સંસ્થાઓના વડાઓની રાજનીતિમાં આવવાની અટકળો વધુ તેજ બની છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">