Junagadh : જંગલ વિસ્તાર ઘટતા હાલ સિંહો રહેણાંક વિસ્તારમાં આવતા જોવી મળી રહ્યા છે, ત્યારે જૂનાગઢના ભવનાથમાં દરગાહ નજીક બે સિંહ દેખાયા. અસાઈબા પીરની દરગાહ નજીક આ બે સિંહ જોવા મળ્યા. આ બંને સિંહોના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
અત્યાર સુધી સિંહ તમે રસ્તા ઉપર કે ખેતરમાં અથવા તો આંબાવાડિયામાં લટાર મારતા જોયા હશે. જોકે વનરાજાએ પોતાની સીમા વિસ્તારી છે અને ક્યારેક તેઓ હાઇ વે ઉપર જોવા મળે છે. આ પહેલા કોવાયા ગામમાં પાંચ સિંહનો પરિવાર જોવા મળ્યો હતો.
પરંતુ કયારેય માર્કેટમાં સિંહની લટાર નહીં જોઈ હોય. જંગલનો રાજા સિંહ હવે જંગલમાંથી ભૂલો પડી શહેરમાં આંટાફેરા મારવા લાગ્યો છે. ઘટના હતી અમરેલીના રાજુલા શહેરની, જયાં કોવાયા પાસે આવેલી એક ખાનગી કંપની અને માર્કેટ નજીકની કોલોનીમાં સિંહ દેખાયો હતો. કંપનીના માર્કેટ નજીક સિંહે રાત્રના સમયે લટાર મારી હતી. આ સિંહના આંટાફેરાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જંગલ છોડીને સિંહ શહેરમાં પ્રવેશતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેથી વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડેલા સાવજોને જંગલ તરફ ખસેડે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.
Published On - 10:20 am, Mon, 6 March 23