અમદાવાદમાં કોરોનાની સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો, હોસ્પિટલમાં દર્દીઓની ભીડ

અમદાવાદ શહેરમાં વકરી રહેલા રોગચાળા પર નજર કરીએ તો ચાલુ માસમાં ડેન્ગ્યુના 134 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 127 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 8:31 PM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોનાની(Corona)  સાથે સાથે મચ્છરજન્ય (Vector Borne ) રોગચાળો વકર્યો છે. જેમાં શહેરની મોટા ભાગની હોસ્પિટલો(Hospital) દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ હોસ્પિટલમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે આરોગ્ય તંત્રએ પણ આળસ ખંખેરી શહેરની વિવિધ કન્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ હાથ ધર્યું હતું.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા મચ્છરોના બ્રિડિંગ અટકાવવાના પગલા લેવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં વકરી રહેલા રોગચાળા પર નજર કરીએ તો ચાલુ માસમાં ડેન્ગ્યુના 134 કેસ નોંધાયા હતા. જ્યારે ચિકનગુનિયાના 127 અને કમળાના 165 અને ટાઈફોડના 176 કેસ નોંધાયા છે. 252 કન્સ્ટ્રક્શન સાઈટ પર મચ્છરોના બ્રિડિંગનું ચેકીંગ કરાયું હતુ તેમજ 127 સાઈટ પરથી બ્રિડિંગ મળતાં નોટિસ ફટકારવામાં આવી છે. મચ્છરોનું બ્રિડિંગ મળતાં 4.38 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે ચોમાસાની વિદાય સાથે જ મચ્છર જન્ય રોગચાળો ઓછો થાય છે. જો કે આ વર્ષે આ વર્ષે ચોમાસા પછી પણ રોગચાળો હજુ યથાવત છે. જેમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા લોકો પરેશાન થયા છે, તેમજ આરોગ્ય તંત્ર દ્વારા જ મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે અનેક વિસ્તારોમાં દવાનો છંટકાવ અને ફોગીંગ કરવામાં આવી રહ્યું છે.

જો કે લોકો હાલ તો કોરોનાના વધતાં કેસ વચ્ચે સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળી રહ્યા છે. તેમજ ખાનગી ડોકટરોના ત્યાં સારવાર લઇ રહ્યા છે. જેના પગલે કોર્પોરેશનના રોગચાળાના આંકડા અને વાસ્તવિક આંકડાઓ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનના સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ કરાયા

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 394 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 1420 થયા, ઓમિક્રોનના નવા 5 કેસ

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">